Apr 2, 2020

Gyaneshvari-Bhagvad-Geeta-As It Is-Adhyay-2-Sankhya-Yog


ભાગવત રહસ્ય -૨૩૩

સીતાજી,સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજીની જોડે- જાય છે.અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે-કૌશલ્યા માએ ચારેને વધાવ્યા છે.અયોધ્યા પાછા આવ્યા પછી,દશરથરાજાએ રાણીઓની રૂબરૂમાં જનકરાજાના બહુ વખાણ કર્યા.સીતાજી તે સાંભળે છે.કન્યાના માતપિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય છે.