May 19, 2020

ભાગવત રહસ્ય -૨૭૯

કૃષ્ણ કથા એવી છે-કે-તે જગતને ભુલાવે છે.અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે,
અને પ્રભુ સાથે પ્રેમ થાય છે.આનંદ જગતમાં નથી પણ જગતને ભુલવામાં છે.
જગતમાં રહેવાનું અને જગતને ભૂલવાનું છે.સંસાર છોડીને ક્યાં જશું ?
જ્યાં જઈશું ત્યાં મન સાથે આવશે-પાંચ મહાભૂતવાળું (શરીર) સાથે આવશે.
સંસારને છોડવાનો નથી પણ મનમાંથી સંસારને કાઢીને સંસાર માં રહેવાનું છે.
મન પરમાત્મા સ્મરણમાં તન્મય થાય તો-મનમાંથી સંસાર નીકળી જાય છે.

May 18, 2020

ભાગવત રહસ્ય -૨૭૮-સકંધ-૧૦-પૂર્વાર્ધ

હવે દશમ સ્કંધ (પૂર્વાર્ધ)ની શરૂઆત થાય છે. ભાગવતનું ફળ દશમ સ્કંધ છે.
દશમ સ્કંધમાં શુકદેવજી ખીલ્યા છે. તેમના ઇષ્ટદેવની કથા છે,લાલાજીની કથા છે.
શ્રીમદ ભાગવત સાત દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે.અનેક જન્મ અનેક સાધન કરતાં પણ મળે નહિ -તે અતિ દુર્લભ મુક્તિ –પરીક્ષિત રાજાને સાત દિવસમાં મળે છે.
ભાગવતની શરૂઆતમાં-પરીક્ષિત રાજાનો પ્રથમ પ્રશ્ન હતો કે-જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું ?

May 17, 2020

ભાગવત રહસ્ય -૨૭૭

કામ-ને શાસ્ત્રમાં હિત શત્રુ કહ્યો છે,એ કામ કરે છે-શત્રુનું,પણ બતાવે છે-કે-હું તમારો મિત્ર છું.યયાતિ રાજા વિલાપ કરે છે-“મેં મારી શક્તિનો દુર્વ્યય કર્યો,મેં મારું શરીર બગાડ્યું,”કામ-ક્રોધને મિત્ર ન બનાવતાં તેને વેરી બનાવી તેમને ત્યજવા જોઈએ.
દેવયાનીના મોટા પુત્ર –યદુના વંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.નાના પુત્ર પુરુએ પોતાની યુવાની પિતાને આપેલી,તેથી પિતાએ રાજ્ય તેને આપ્યું છે.આગળ જતાં આ વંશમાં દુષ્યંત અને રંતિદેવ નામના રાજા થયા.