May 28, 2020

ભાગવત રહસ્ય -૨૮૮

શુકદેવજી વર્ણન કરે છે-આ બાજુ દેવકીને આઠમો ગર્ભ રહ્યો છે,કંસે સેવકોને કહ્યું છે-કે-સાવધાન રહેજો,મારો કાળ હવે આવશે.સેવકો કહે છે-અમે રાત્રે બેસતા પણ નથી,
બેસીએ તો કદાચ આંખ મળી જાય,ખડે પગે,ખુલ્લી તલવારે,ઉભા રહી અમે પહેરો ભરીએ છીએ.બાળક થશે એટલે અમે ખબર આપીશું.કંસ પણ –“આઠમો-આઠમો” કરતા તન્મય થયો છે.

May 27, 2020

Bhadrkali Mataji,Abu-road,Rajasthan


ભાગવત રહસ્ય -૨૮૭

દાઉજી (બળદેવજી)નું પ્રાગટ્ય થયું છે-પણ દાઉજી આંખ ઉઘાડતા નથી. મનમાં વિચારે છે-કે-“જ્યાં સુધી મારા કૃષ્ણ ના આવે ત્યાં સુધી મારે આંખ ઉઘાડવી નથી શ્રીકૃષ્ણનું સ્વરૂપ હું હૃદયમાં ઉતારીશ પછી જ મારે જગત જોવું છે.મારે મારી આંખ બીજા કોઈને આપવી નથી ”યશોદાજીએ શાંડિલ્યઋષિનાં ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યાં અને બલદેવની નજર ઉતારવાનું કહ્યું.