Jun 26, 2020
ભાગવત રહસ્ય -૩૧૬
નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે. જીવ-જયારે - મા ના પેટમાં આવે ત્યારથી સંસ્કાર કરવા પડે છે.મન બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે સંસ્કાર છે.શાસ્ત્રમાં સોળ સંસ્કાર બતાવ્યા છે.પણ આજકાલ તો બધા સંસ્કાર ભૂલાઈ ગયા છે માત્ર એક લગ્ન સંસ્કાર બાકી રહ્યો છે.બાળકનો જન્મ થાય એટલે તેનો જાત-કર્મ-સંસ્કાર કરવો પડે છે.જન્મ થાય પછી મધ ચટાડવાનું હોય છે,તે પછી,તેના ઉપર કોઈ પવિત્ર સંત,પવિત્ર બ્રાહ્મણની નજર પાડવી જોઈએ.
Jun 25, 2020
ભાગવત રહસ્ય -૩૧૫
એક દિવસ યશોદાજી- લાલાને ખોળામાં બેસાડી ને રમાડતાં હતા.ત્યારે તૃણાવર્ત દૈત્ય ને મારવા કૃષ્ણ ભારે બન્યા. યશોદાજીને વજન લાગવા માંડ્યું એટલે –
કૃષ્ણને ત્યાં મૂકીને ઘરકામ માં લાગ્યા.તે વખતે તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઇને આવ્યો અને શ્રીકૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો.શ્રીકૃષ્ણ ત્યારે વધુને વધુ ભારે બન્યા અને-તેને પછાડ્યો.એટલે તેના પ્રાણ ઉડી ગયા.તૃણાવર્ત એ રજોગુણનું સ્વરૂપ છે, રજોગુણ મનને ચંચળ બનાવે છે.
કૃષ્ણને ત્યાં મૂકીને ઘરકામ માં લાગ્યા.તે વખતે તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઇને આવ્યો અને શ્રીકૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો.શ્રીકૃષ્ણ ત્યારે વધુને વધુ ભારે બન્યા અને-તેને પછાડ્યો.એટલે તેના પ્રાણ ઉડી ગયા.તૃણાવર્ત એ રજોગુણનું સ્વરૂપ છે, રજોગુણ મનને ચંચળ બનાવે છે.
Subscribe to:
Posts (Atom)