Jul 2, 2020

ભાગવત રહસ્ય -૩૨૨

યશોદા મા હવે ગર્ગાચાર્યને કહે છે-કે-નાદાન છોકરો છે,તેને અક્કલ નથી,બાળક છે,
ભૂલ થઇ છે,તમે ક્ષમા કરો.ગર્ગાચાર્ય કહે છે-કે ક્ષમા તો કરું પણ આ ખીર મારાથી કેવી રીતે ખવાશે ?ફરીથી ખીર બનાવવી પડશે.યશોદા મા કહે છે-કે- મહારાજ તમે ફરીથી ખીર બનાવો.યશોદાજીનો પ્રેમ એવો હતો કે-મહારાજ ફરી રસોઈ કરવા તૈયાર થયા છે,મહારાજે ઘડો ઉઠાવ્યો,અને યમુનાજી માં ફરીથી સ્નાન કરવા ગયા છે.

Jul 1, 2020

ભાગવત રહસ્ય -૩૨૧

ગર્ગાચાર્યે,લાલાજીના નામકરણની વિધિ કરી, અને લાલાજીનું નામ “કૃષ્ણ” પાડ્યું.
યશોદાજી ગર્ગાચાર્યને કહે છે-કે-મહારાજ મોડું થયું છે,ભોજનનો સમય થયો છે,હવે તમને ભૂખ લાગી હશે,હુ તમારા માટે રસોઈ બનાવું છું,એક વખત આપ ભોજન કરો –તે પછી બીજી વાત.ગર્ગાચાર્ય કહે છે-કે- હુ સ્વયંપાકી બ્રાહ્મણ છું,મને કોઈના હાથનું પાણી પણ ચાલે નહિ. મારી રસોઈ હું મારી જાતે જ બનાવીશ,યમુનામાંથી જળ પણ હું જ લઇ આવીશ.

Jun 30, 2020

ભાગવત રહસ્ય -૩૨૦

શ્રીકૃષ્ણની લીલા-માધુરી દિવ્ય છે.તેથી શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ છે.હવે લાલા ની વેણુ-માધુરી વિષે અને લાલા ની શ્રેષ્ઠતા વિષે ગોપી કહે છે-કે-વૈકુંઠના નારાયણ તો હાથમાં શંખ રાખે છે,ત્યારે કનૈયો તો હાથમાં વાંસળી રાખે છે.અરી,સખી,તું વિચાર કર કે-મધુર વાંસળી વગાડનાર શ્રેષ્ઠ કે-શંખ વગાડનાર શ્રેષ્ઠ ? આ બીજા દેવો હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઈને બેઠા છે.કોઈના હાથમાં સુદર્શન,કોઈના હાથમાં ધનુષ્ય-બાણ,કોઈના હાથમાં ગદા,તો કોઈના હાથમાં ત્રિશુલ છે. મને લાગે છે-કે-આ બીજા દેવોને દુનિયાના લોકોની બીક લાગતી હશે,તેથી તેઓ હાથ માં શસ્ત્રો લઈને ઉભા છે.