Sep 11, 2020

ભાગવત રહસ્ય -૩૮૮

ટેકો લેવો હોય,આધાર લેવો હોય તો માત્ર ઈશ્વરનો જ લેવો,બીજા કોઈનો નહિ.
કનૈયાએ માત્ર સાત વર્ષ ની ઉંમરે ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરીને પોતાની અલૌકિક દિવ્ય શક્તિ બતાવી છે.કનૈયાએ બીજા હાથમાં વાંસળી લઇને તેનો સુર છેડ્યો છે.એવી સુંદર વાંસળી વગાડી છે કે-ગોવર્ધનનાથ ડોલવા લાગ્યા છે,
વાંસળીના નાદબ્રહ્મમાં બધા વ્રજવાસીઓ એવા તન્મય થયા છે કે-વ્રજવાસીઓ સાત દિવસ સુધી દેહધર્મને ભૂલી ગયા છે.નથી કોઈને ભૂખ લાગતી કે નથી કોઈને તરસ લાગતી.

Sep 10, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-14

ભાગવત રહસ્ય -૩૮૭

આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે પહોંચી ગયા છે,અને કહે છે કે-આ ગોવાળોએ તારી પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથનું પૂજન કર્યું છે અને તારું અપમાન થયું છે.
આ વાત સાંભળી ઇન્દ્ર કોપાયમાન થયો છે,બાર મેઘોને હુકમ કર્યો છે કે-એક સામાન્ય ગોવાળના પુત્રે મારું પૂજન નહિ કરીને મારું અપમાન કર્યું છે,માટે જાઓ અને વ્રજ પર જઈને વરસો,ગોકુલને છિન્નભિન્ન કરી તેનો નાશ કરો.