શ્રીકૃષ્ણ
ગોપીઓને કહે છે કે-તમે મને માથે હાથ પધરાવવાનું કહો છો,પણ તમારું મંડળ તો બહુ
મોટું છે,તેમાં
તો બહુ સમય જોઈએ,મારા બીજા ભક્તોનું થોડું કામ પતાવ્યા પછી હું આવું તો ? ત્યારે
ગોપી કહે છે કે-કનૈયા,બીજા ભક્તોનું કામ તમે પછી કરજો.અમે તમારાં છીએ અને તમે
અમારા છો.જ્ઞાની
માને છે કે-ઈશ્વર સર્વના છે, જયારે પ્રેમી ભક્ત માને છે કે-ઈશ્વર મારા છે,તે મારે
આધીન છે.પ્રેમ
પરમાત્માને પરતંત્ર બનાવે છે.