Oct 20, 2020

ભાગવત રહસ્ય -૪૨૨

આ બાજુ નારદજી કંસ રાજાને ઘેર ગયા.અને કંસ પાસે જઈને કહ્યું-કે-
આ વસુદેવે દગો કર્યો છે,લોકો જેને નંદબાબાનો કનૈયો કહે છે,તે નંદબાબાનો પુત્ર નથી 
પણ દેવકીનો આઠમો પુત્ર છે અને તે જ તારો કાળ છે.
કંસ કહે છે કે-મેં તો તેમને કેદમાં રાખ્યા હતા,તો તે ગોકુળ ગયા કેવી રીતે ?
નારદજી કહે છે કે-તું બહુ ભોળો છે,તને ખબર નથી,વસુદેવે તારી સાથે કપટ કર્યું છે,તેઓ ભોયરા વાટે ગોકુળમાં ગયેલા.દેવકીનો આઠમો પુત્ર નંદજીને ત્યાં મૂકી આવ્યા અને યશોદાજીની પુત્રી ને અહીં લઇ આવ્યા.શ્રીકૃષ્ણ દેવકીના પુત્ર છે અને બલરામ રોહિણીના પુત્ર છે.તેઓએ તારા ઘણા સેવકોને મારી નાખ્યા છે.

Oct 19, 2020

ભાગવત રહસ્ય -૪૨૧

શ્રીકૃષ્ણ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી તેમણે સીવેલાં કપડાં પહેર્યા નથી.
બીજાં ગોપબાળકોને સીવેલાં કપડાં પહેરવા ન મળે તો પોતાનાથી સીવેલાં કપડાં કેમ પહેરાય ? શ્રીકૃષ્ણ નો મિત્ર-પ્રેમ અલૌકિક છે.મારા મિત્રો કાળી કામળી ઓઢે છે,
તો હું પણ તે જ ઓઢીશ.ખભે કામળી લઈને ફરે છે,
તેથી તો કનૈયાને કેટલાક કાળી કામળી વાળા કહે છે.