Nov 17, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-61-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-61


ભાગવત રહસ્ય -૪૪૯

ઉદ્ધવ વિચારે છે કે-આ ગોપીઓને તો સર્વમાં શ્રીકૃષ્ણના દર્શન થાય છે,હું વ્યાપક બ્રહ્મનું રટણ-ચિંતન કરતો હતો,પરંતુ મને વ્યાપક બ્રહ્મનો અનુભવ થયો નથી,ગોપીઓને વ્યાપક-બ્રહ્મનો અનુભવ છે.ભલે તે તત્વજ્ઞાન જાણતી ના હોય.ઉદ્ધવને લાગ્યું કે તેનું વેદાંતનું જ્ઞાન માત્ર ગોખેલું જ છે.શુષ્ક જ છે.

Nov 16, 2020

ભાગવત રહસ્ય -૪૪૮

ત્યારે ગોપી કહે છે કે-હું જેમ જેમ કનૈયાને ભૂલવાનો પ્રયત્ન કરું છું,તેમ તેમ તે વધારે યાદ આવે છે.ગઈ કાલે હું કૂવા પર જળ ભરવા ગઈ હતી,ત્યાં એકાએક મને કનૈયાની વાંસળી નો અવાજ સંભળાણો.મે જ્યાં નજર કરી તો લાલાને પાસેના બોરસલીના ઝાડ પર બેઠેલો જોયો,લાલાને જોઈ ને હું એવી પાગલ થઇ કે,દેહનું ભાન રહ્યું નહિ,મે ઘડાને દોરી બાંધવા ના બદલે મારા બાળકને દોરી બાંધી કુવામાં નાખવા જતી હતી ,ત્યાં જ લાલાએ ઝાડ પરથી કૂદકો મારી અને મને રોકીને કહે છે કે-અરી,બાવરી ,તું આ શું કરે છે ? પછી તો,કનૈયો આવી મને ઘેર સુધી મૂકી ગયો.