Nov 17, 2020
Nov 16, 2020
ભાગવત રહસ્ય -૪૪૮
ત્યારે
ગોપી કહે છે કે-હું જેમ જેમ કનૈયાને ભૂલવાનો પ્રયત્ન કરું છું,તેમ તેમ તે વધારે
યાદ આવે છે.ગઈ
કાલે હું કૂવા પર જળ ભરવા ગઈ હતી,ત્યાં એકાએક મને કનૈયાની વાંસળી નો અવાજ
સંભળાણો.મે
જ્યાં નજર કરી તો લાલાને પાસેના બોરસલીના ઝાડ પર બેઠેલો જોયો,લાલાને જોઈ ને હું એવી પાગલ થઇ કે,દેહનું ભાન રહ્યું નહિ,મે ઘડાને દોરી બાંધવા ના બદલે
મારા બાળકને દોરી બાંધી કુવામાં નાખવા જતી હતી ,ત્યાં જ લાલાએ ઝાડ પરથી કૂદકો મારી અને મને રોકીને કહે છે કે-અરી,બાવરી ,તું આ શું કરે છે ? પછી
તો,કનૈયો આવી મને ઘેર સુધી મૂકી ગયો.
Subscribe to:
Posts (Atom)