Dec 2, 2020

ભાગવત રહસ્ય -૪૬૪

શ્રીકૃષ્ણ રુક્મિણીને કહે છે કે-'દેવી તમને થશે કે- મારી જરૂર નહોતી તો મને શું કામ લેવા આવ્યા ?પણ હું તમારા માટે નહિ પણ રાજાઓને મારું પરાક્રમ બતાવવા આવ્યો હતો.
દેવી,હજુ કશું બગડી ગયું નથી' આમ કહી 'પોતે મનથી રુક્મિણીનો ત્યાગ કર્યો છે' તેવું રુક્મિણીને બતાવે છે.આ સાંભળી રુક્મિણી ગભરાયાં છે,”નાથ,મારો ત્યાગ ના કરો” એમ કહેતાં તેમને મૂર્છા આવી ગઈ છે.

Dec 1, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-77-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-77


ભાગવત રહસ્ય -૪૬૩

ગીતામાં પણ મુખ્ય ”અનાશક્તિ” નો બોધ આપેલો છે.પણ અનેક લોકો પોતપોતાની રીતે જુદુંજુદું કહે છે.કેટલાક તેને કર્મપ્રધાન,તો કેટલાક ભક્તિપ્રધાન તો કેટલાક તેને જ્ઞાનપ્રધાન કહે છે. પણ,વાસ્તવમાં,ગીતામાં ત્રણેય (કર્મ-ભક્તિ અને જ્ઞાન) પ્રધાન છે.
શંકરાચાર્યજી એ કહ્યું છે કે-ચિત્ત (મન) ની એકાગ્રતા માટે કર્મ (ઉપાસના-યોગ) આવશ્યક છે,કર્મ કરો અને તે જો ભક્તિપૂર્વક કરો (હું અને મારો ઈશ્વર=દ્વૈત=ભક્તિ) તો ચિત્ત જલ્દી એકાગ્ર થાય છે.ઈશ્વર માં ચિત્ત એકાગ્ર થાય એટલે જ્ઞાન મળવાનું જ.
જ્ઞાન એ પરમાત્મા નો અનુભવ સિદ્ધ કરી આપે છે.આત્મા-પરમાત્માની એકતા સિદ્ધ કરી આપે છે.