જે શ્રીકૃષ્ણને દેવકીએ નવ
મહિના પોતાના પેટમાં રાખ્યા,યશોદાએ પ્રેમથી પાલન કર્યું,- તે
આખરે તો અર્જુન ને જ ઉપયોગી થઇ પડ્યા હોય-તેવું લાગે છે.
અર્જુનને નથી કોઈ સેવા કરવી પડી,કે નથી કોઈ વિનંતી કરવી પડી–
પણ તે શ્રીકૃષ્ણ નો કૃપા-પાત્ર બન્યો.
આવો અર્જુન એ જાણે આપણી જ મનોવ્યથા કૃષ્ણ આગળ રજુ કરે છે.