Feb 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૭

યોગ કોને સાધ્ય નથી ? કોનો યોગ પર અધિકાર નથી? તો -કહે છે-કે-
જે અતિશય ખાય છે (આહાર લે છે)–અથવા તો જે બિલકુલ જ ખાતો નથી,
જે અતિશય નિંદ્રા ને માણે છે-અથવા તો બિલકુલ નિંદ્રા લેતો નથી 
(અતિશય ઓછી નિંદ્રા લે છે)-તે યોગ સાધન કરી શકતો નથી.
સમતા –એ યોગમાં  ખુબ જરૂરી  છે.