Feb 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૦

આગળ બતાવ્યા પ્રમાણેના યોગનો (અથવા બીજા કોઈ પણ જાતના યોગનો)-જે મનુષ્ય
અભ્યાસ (યમ,નિયમ,પ્રાણાયામ-વગેરે)  કરતો નથી- અને-જેના માં વૈરાગ્ય (અનાશક્તિ) નથી –તેનું મન કદી પણ વશ થઇ શકવાનું નથી.
વિષયો (સ્વાદ-વગેરે) માં લંપટ થયેલા ટેઢા -“મન” ને –
અભ્યાસ (યોગ) અને વૈરાગ્યની ચીમટી ખણીને,તેના કાન મચેડીને –સીધું કરવાનું છે.