Mar 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૫

માયા (પ્રકૃતિ)થી આવૃત્ત થયેલા (ઢંકાયેલા) -પરમાત્મા–માયાના પડદાને લીધે- સર્વને સ્પષ્ટ
દેખાતા નથી.અને મૂઢ  (મૂર્ખ) લોકો –જન્મ નહિ પામનાર અને અવિનાશી-એવા
પરમાત્માને  (પરમાત્મ-તત્વને) જાણતા નથી (૨૫) 
માયાના પડદાને લીધે જે મનુષ્યો જાણે કે-આંધળા થયેલા છે-અને જેમની બુદ્ધિ “હું એટલે શરીર છું” એટલું જ વિચારી શકે છે-તેને (આત્મા અને) પરમાત્મા–ક્યાંથી દેખાય ???
બાકી જેમાં પરમાત્મા નથી એવી એક પણ વસ્તુ આ જગતમાં નથી !!!!!

Mar 2, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-1


INDEX PAGE     PREVIOUS PAGE   NEXT PAGE

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૪

આકાશમાં રહેલો “અહીં તહીં જતો પવન” શાંત થાય –તો તેનું “પવન-પણું” આકાશથી જુદું લાગતું નથી.એટલે કે –એમ કહી શકાય-કે-“પવન”(વાયુ) -“આકાશ-મય” થઇ જાય છે.
આકાશ પણ દેખી ન શકાય અને વાયુ (શાંત-પવન) પણ દેખી ન શકાય.
બીજી રીતે કહીએ તો-જો વાયુને હલાવવામાં આવે તો તેને આકાશથી ભિન્ન –પવન-રૂપે અનુભવી શકાય છે.પરંતુ-વસ્તુતઃ-આકાશ અને વાયુ (શાંત-પવન) ભિન્ન (જુદા) નથી.