Jul 27, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-26-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-26


Gujarati-Ramayan-Rahasya-26-ગુજરાતી-રામાયણ-રહસ્ય-26

મહર્ષિ વાલ્મીકિએ જગતને જપ કેમ કરવો ? અને તપ કેમ કરવું ?તેનું દૃષ્ટાંત દેખાડ્યું છે.
સંત-મહાત્માઓ કહે છે કે-જપ અને ધ્યાન સાથે થવાં જોઈએ.જપ કરવા બેસો ત્યારે જે દેવ કે દેવીનો જપ કરો તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહિ તે જોવાનું.
જીભથી હરિનું નામ લેવું,મનથી તે હરિ-નામનું સ્મરણ અને ધ્યાન કરવું,આંખથી હરિના દર્શન કરવાં અને કાનથી તે હરિનામનું શ્રવણ કરવું.આ પ્રમાણે જપ કરવાના.

Jul 26, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-25-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-25


Gujarati-Ramayan-Rahasya-25-ગુજરાતી-રામાયણ-રહસ્ય-25

‘ઈશ્વર ની ભક્તિ" એ બધાં વરદાનોમાં ઉત્તમ વરદાન છે’ એમ કહ્યું છે તે ખોટું નથી.
બ્રહ્મત્વ,દેવત્વ,ઇન્દ્રત્વ,અમૃતત્વ વગેરે કરતાં પણ ભક્તિને ચડિયાતી કહી છે.અને સાથે સાથે એ ભક્તિને સુદુર્લભ એટલે કે દુર્લભ કરતાં યે દુર્લભ પણ કહી છે.જેને ભક્તિ પ્રાપ્ત થઇ તે મોટો ભાગ્યશાળી છે.એટલે જ વ્યાસજી એ ભાગવતમાં ગોપીઓ ને ‘મહાભાગ્યશાળી’ કહીને બિરદાવી છે.રામાયણના હનુમાનજી પણ એવા મહાભાગ્યશાળી છે.રામજીનો તેમના પરનો પ્રેમ અલૌકિક છે.