Sep 9, 2021

Gujarati-Ramayan-Rahasya-68-ગુજરાતી-રામાયણ-રહસ્ય-68

ત્યાર બાદ સીતાજીની લગ્ન-મંડપમાં પધરામણી થઇ. તુલસીદાસજી કહે છે કે-સીતાજીની સુંદરતા વર્ણવી જાય તેમ નથી.કારણ કે બુદ્ધિ નાની છે ને સુંદરતા મોટી છે.
બ્રાહ્મણોએ શાંતિપાઠ ભણ્યો,ગણપતિ પૂજન થયું.સીતાજી સુંદર સિંહાસન પર વિરાજમાન થયાં.જનકરાજા અને તેમના રાણી અત્યંત પ્રેમમગ્ન બની ને રામચંદ્રનાં પવિત્ર ચરણ ધોવા લાગ્યાં.જે ચરણ-કમળ શિવજીના હૃદય-સરોવરમાં વિરાજે છે તેનો સ્પર્શ થતા,રાજારાણી અપૂર્વ આનંદ અને સુખ અનુભવી રહ્યાં. તે પછી કુળગુરૂ એ વર-કન્યાનો હસ્તમેળાપ કર્યો.

Sep 8, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-24-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-24


Gujarati-Ramayan-Rahasya-67-ગુજરાતી-રામાયણ-રહસ્ય-67

અયોધ્યા નગરીમાં સર્વને રામજીના લગ્નના સમાચાર મળ્યા અને સર્વ રાજી થયા છે.આખી નગરી આનંદમાં આવી જઈ ઘેર ઘેર આનંદ-ઉત્સવ થઇ રહ્યો.
બીજે જ દિવસે વસિષ્ઠ વગેરે ઋષિ સાથે દશરથ રાજાએ જાન લઇને જનકપુર તરફ પ્રયાણ કર્યું.પાંચમે દિવસે જાને જનકપુરમાં પ્રવેશ કર્યો ત્યારે ભારે ધામધૂમથી જનકરાજાએ જાનનું સામૈયું કર્યું.પછી વિશ્વામિત્રની સલાહ લઇને જનકરાજાએ પોતાની બીજી પુત્રી ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણ સાથે અને પોતાના નાના ભાઈ કુશધ્વજની બે કન્યાઓ માંડવી અને શ્રુતકીર્તિનાં લગ્ન ભરત અને શત્રુઘ્ન સાથે કરવાનું જાહેર કર્યું.

Sep 7, 2021

Gujarati-Ramayan-Rahasya-66-ગુજરાતી-રામાયણ-રહસ્ય-66

સીતાજી એ સૃષ્ટિની ઉત્પત્તિ,પાલન અને સંહાર કરનારી મહાશક્તિ છે.
પ્રભુ જે ધનુષ્ય બે હાથે ઉઠાવે છે તે મહાશક્તિ એક ડાબા હાથે ઉઠાવીને ખેલે છે. 
શક્તિથી મોટો કોઈ કર્તા નથી.અને બ્રહ્મથી મોટો કોઈ અકર્તા નથી.
એટલે જ જનકરાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે-જે ધનુષ્યને તોડશે તે સીતાજીને વરશે.
શંકરનું ધનુષ્ય કર્તૃત્વ રહિત કર્મનું પ્રતિક છે,રાવણ કર્તાપણાના અહંકારવાળો છે,તેથી તેનું કશું ચાલી શકે નહિ,જયારે શ્રીરામમાં કર્તૃત્વ-પણું નથી,અહંકાર નથી,અને તેથી જ તે કર્મ “શક્તિ” ને પ્રસન્ન કરે છે.

Sep 6, 2021

Gujarati-Ramayan-Rahasya-65-ગુજરાતી-રામાયણ-રહસ્ય-65

સ્વયંવરની શરત સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો.કોણ પહેલ કરે? તે જ વખતે રાવણ આકાશમાર્ગે જતો હતો તે મોટો મંડપ જોઈને નીચે ઉતરી આવ્યો.રાવણને જોતાં જ સભામાં ખળભળાટ મચી ગયો.જનકરાજા વિનયી હતા.વણનોતર્યો પણ અતિથી છે એટલે તેને આસન આપ્યું.રાવણે પ્રસંગનું પ્રયોજન પૂછ્યું.ને જવાબ મળતાં ગુસ્સો કરી પૂછ્યું કે-મને આમંત્રણ કેમ નહિ આપેલું? જનક રાજા વિચારે છે કે –આ પાપને ઠારવું પડશે.એટલે તેમણે કહી દીધું કે –મેં મંત્રીને સર્વ રાજાઓને આમંત્રણ આપવાનું કહ્યું હતું પણ મંત્રીજી કદાચ ભૂલી ગયા હશે.

Sep 5, 2021

Gujarati-Ramayan-Rahasya-64-ગુજરાતી-રામાયણ-રહસ્ય-64

રામ-લક્ષ્મણ ફુલ-તુલસી લઈને વિશ્વામિત્રજી પાસે પાછા આવ્યા.ત્યારે રામજીએ વિશ્વામિત્રને કહ્યું કે-જેનો સ્વયંવર થવાનો છે તે રાજ-કન્યા પણ બગીચામાં આવી હતી.
'સરલ સ્વભાવ,છુઅત છલ નહિ' રામજીનો સ્વભાવ અતિ સરળ છે તેમનામાં લેશમાત્ર કપટ નથી,શ્રીરામની વાત સાંભળી મુનિ મલકાયા અને તેમણે કહ્યું-કે-હું બધું જાણું છું,કે સીતા ત્યાં રોજ આવે છે,એટલે જ મેં તમને ત્યાં મોકલ્યા હતા કે જેથી એ મારા રામને નિહાળે. પછી તેમણે શ્રીરામને આશીર્વાદ આપ્યા કે-તમારા મનોરથો સફળ થાઓ.

Sep 4, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-23-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-23


Gujarati-Ramayan-Rahasya-63-ગુજરાતી-રામાયણ-રહસ્ય-63

જનકરાજાના બાગની શોભા જોઈ રામ-લક્ષ્મણ અતિ પ્રસન્ન થયા.બાગમાં એક સરોવર હતું,અને તેના કિનારે શંકર-પાર્વતીનું મંદિર હતું.બંને ભાઈઓ બગીચામાં ફુલ વીણે છે.
એટલામાં બગીચામાં સીતાજી તેમના રોજના નિયમ મુજબ સખીઓની સાથે  પાર્વતીજીનાં 
દર્શન કરવા આવ્યા.માતાજીની પૂજા કરી ને પોતાને યોગ્ય વરની માગણી કરી.ત્યાં સીતાજીની એક સખી અતિ આનંદમાં દોડતી આવી,સીતાજીએ તેના હર્ષનું કારણ પૂછ્યું.

Sep 3, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-22-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-22


Gujarati-Ramayan-Rahasya-62-ગુજરાતી-રામાયણ-રહસ્ય-62

ભોજન બાદ થોડી વિશ્રાંતિ કરી,મુનિની રજા લઈને રામ-લક્ષ્મણ નગરની શોભા જોવા નીકળ્યા.બંને ભાઈઓએ પીળાં વસ્ત્રો ધારણ કર્યા છે,બેઉની ડોક સિંહ-સમાન છે,ડોકમાં માળા છે,બાહુ વિશાળ છે,નેત્રો કમળ સરખાં છે,મુખ ચંદ્રમા સમાન છે,કાનમાં કુંડળ છે ને માથે વાંકડિયા પણ સુંવાળા વાળ છે.તુલસીદાસજી એ શ્રીરામને “રૃપ,શીલ,બલધામ” કહ્યા છે.
રૂપ પ્રગટ્યું જનકપુરમાં,શીલ અયોધ્યામાં અને બળ લંકામાં.

Sep 2, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-21-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-21


Gujarati-Ramayan-Rahasya-61-ગુજરાતી-રામાયણ-રહસ્ય-61

આવા જનક અંતરમાં ઊંડા ઉતરીને પોતાના અંતરની (મનની) પરીક્ષા કરે છે,
“હું ઉઘાડી આંખે જગત જોઉં છું પણ કશાથી મારું મન આકર્ષાતું નથી,પણ આ કુમારોને જોઈને મારું મન આકર્ષાય છે,માટે તે ભૌતિક સૃષ્ટિના માનવો હોઈ ના શકે! મારું મન ઈશ્વર સિવાય બીજું કોઈ આકર્ષી ના શકે! એટલે જરૂર આ પરમાત્મા છે.

Sep 1, 2021

Gujarati-Ramayan-Rahasya-60-ગુજરાતી-રામાયણ-રહસ્ય-60

અહલ્યાજી હાથ જોડી રામજીની સામે ઉભાં છે,આંખમાંથી અશ્રુધારા નીકળે છે 
અને સ્તુતિ કરે છે.'રાજીવ બિલોચન ભવભય મોચન,પાહિપાહિ સરન હિ આઈ'
હે,પ્રભુ,રાજીવલોચન,ભવભયમોચન,મારું રક્ષણ કરો,હું તમારે શરણે છું.
પછી અહલ્યાજી કહે છે કે-મુનિએ મને શાપ દીધો એ કેવું સારું કર્યું? એ શાપને લીધે હું તમારાં દર્શન કરવા ભાગ્યશાળી થઇ.જે શાપથી પ્રભુના દર્શન થાય એને શાપ નહિ પણ અનુગ્રહ થયો એમ સમજુ છું.

Aug 31, 2021

Gujarati-Ramayan-Rahasya-59-ગુજરાતી-રામાયણ-રહસ્ય-59

ભગીરથ રાજા ગંગાના પ્રવાહને દોરતા આગળ ચાલ્યા.ગંગાજીનો વહેતો પ્રવાહ 
જહનુ મુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યો,ધોધમાર વહેતા પ્રવાહમાં 
જહનુ મુનિનો આશ્રમ ડૂબી ગયો, ક્રોધે ભરાયેલા મુનિએ ગંગાના આખા પ્રવાહને 
અંજલિમાં લઇ ગળે ઉતારી દીધો.વળી પાછા ભગીરથે તેમને પ્રાર્થના કરી 
એટલે જહનુ મુનિએ પોતાના ડાબા કાનમાંથી ગંગાને બહાર કાઢયાં.
આથી ગંગાને જહનુની પુત્રી જાહ્નવી પણ કહે છે.ત્યાંથી પ્રવાહ આગળ ચાલ્યો અને 
સગરરાજાના સાઠ હજાર પુત્રોની ભસ્મ પર ફરી વળ્યો.અને સગર-પુત્રોની આમ છેવટે સદગતિ થઇ.
એક સુપુત્ર સાત પેઢીઓને તારે છે તે કહ્યું છે –તે ખોટું કહ્યું નથી.