Sep 9, 2021

Gujarati-Ramayan-Rahasya-68-ગુજરાતી-રામાયણ-રહસ્ય-68

ત્યાર બાદ સીતાજીની લગ્ન-મંડપમાં પધરામણી થઇ. તુલસીદાસજી કહે છે કે-સીતાજીની સુંદરતા વર્ણવી જાય તેમ નથી.કારણ કે બુદ્ધિ નાની છે ને સુંદરતા મોટી છે.
બ્રાહ્મણોએ શાંતિપાઠ ભણ્યો,ગણપતિ પૂજન થયું.સીતાજી સુંદર સિંહાસન પર વિરાજમાન થયાં.જનકરાજા અને તેમના રાણી અત્યંત પ્રેમમગ્ન બની ને રામચંદ્રનાં પવિત્ર ચરણ ધોવા લાગ્યાં.જે ચરણ-કમળ શિવજીના હૃદય-સરોવરમાં વિરાજે છે તેનો સ્પર્શ થતા,રાજારાણી અપૂર્વ આનંદ અને સુખ અનુભવી રહ્યાં. તે પછી કુળગુરૂ એ વર-કન્યાનો હસ્તમેળાપ કર્યો.

Sep 8, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-24-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-24


Gujarati-Ramayan-Rahasya-67-ગુજરાતી-રામાયણ-રહસ્ય-67

અયોધ્યા નગરીમાં સર્વને રામજીના લગ્નના સમાચાર મળ્યા અને સર્વ રાજી થયા છે.આખી નગરી આનંદમાં આવી જઈ ઘેર ઘેર આનંદ-ઉત્સવ થઇ રહ્યો.
બીજે જ દિવસે વસિષ્ઠ વગેરે ઋષિ સાથે દશરથ રાજાએ જાન લઇને જનકપુર તરફ પ્રયાણ કર્યું.પાંચમે દિવસે જાને જનકપુરમાં પ્રવેશ કર્યો ત્યારે ભારે ધામધૂમથી જનકરાજાએ જાનનું સામૈયું કર્યું.પછી વિશ્વામિત્રની સલાહ લઇને જનકરાજાએ પોતાની બીજી પુત્રી ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણ સાથે અને પોતાના નાના ભાઈ કુશધ્વજની બે કન્યાઓ માંડવી અને શ્રુતકીર્તિનાં લગ્ન ભરત અને શત્રુઘ્ન સાથે કરવાનું જાહેર કર્યું.

Sep 7, 2021

Gujarati-Ramayan-Rahasya-66-ગુજરાતી-રામાયણ-રહસ્ય-66

સીતાજી એ સૃષ્ટિની ઉત્પત્તિ,પાલન અને સંહાર કરનારી મહાશક્તિ છે.
પ્રભુ જે ધનુષ્ય બે હાથે ઉઠાવે છે તે મહાશક્તિ એક ડાબા હાથે ઉઠાવીને ખેલે છે. 
શક્તિથી મોટો કોઈ કર્તા નથી.અને બ્રહ્મથી મોટો કોઈ અકર્તા નથી.
એટલે જ જનકરાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે-જે ધનુષ્યને તોડશે તે સીતાજીને વરશે.
શંકરનું ધનુષ્ય કર્તૃત્વ રહિત કર્મનું પ્રતિક છે,રાવણ કર્તાપણાના અહંકારવાળો છે,તેથી તેનું કશું ચાલી શકે નહિ,જયારે શ્રીરામમાં કર્તૃત્વ-પણું નથી,અહંકાર નથી,અને તેથી જ તે કર્મ “શક્તિ” ને પ્રસન્ન કરે છે.

Sep 6, 2021

Gujarati-Ramayan-Rahasya-65-ગુજરાતી-રામાયણ-રહસ્ય-65

સ્વયંવરની શરત સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો.કોણ પહેલ કરે? તે જ વખતે રાવણ આકાશમાર્ગે જતો હતો તે મોટો મંડપ જોઈને નીચે ઉતરી આવ્યો.રાવણને જોતાં જ સભામાં ખળભળાટ મચી ગયો.જનકરાજા વિનયી હતા.વણનોતર્યો પણ અતિથી છે એટલે તેને આસન આપ્યું.રાવણે પ્રસંગનું પ્રયોજન પૂછ્યું.ને જવાબ મળતાં ગુસ્સો કરી પૂછ્યું કે-મને આમંત્રણ કેમ નહિ આપેલું? જનક રાજા વિચારે છે કે –આ પાપને ઠારવું પડશે.એટલે તેમણે કહી દીધું કે –મેં મંત્રીને સર્વ રાજાઓને આમંત્રણ આપવાનું કહ્યું હતું પણ મંત્રીજી કદાચ ભૂલી ગયા હશે.