Sep 17, 2021
Gujarati-Ramayan-Rahasya-76-ગુજરાતી-રામાયણ-રહસ્ય-76
મનુષ્યને પ્રભુએ જીભ આપી છે મીઠું બોલવાને માટે.પણ કોણ જાણે કેમ પણ મનુષ્યને કડવું બોલવું જ વધારે ગમે છે, અને એમાં એને જાણે મજા પણ આવે છે.
કાગડાની વાણી કર્કશ લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ લાભ નથી,તે જ રીતે કોયલની વાણી મીઠી લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ ખોટ પણ જતી નથી.જો લાભ નથી કે ખોટ પણ નથી તો મીઠી વાણી જ શા માટે ના બોલવી? શા માટે મીઠું ના બોલવું? પણ જે સમજવું સહેલું લાગે છે તે મનુષ્યને કરવું અઘરું લાગે છે.
જે કરવા જેવું નથી તે કરે છે અને જે કરવા જેવું છે તે નથી કરતો,ને પછી તે મનુષ્ય ઠેબાં ખાય છે.
કાગડાની વાણી કર્કશ લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ લાભ નથી,તે જ રીતે કોયલની વાણી મીઠી લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ ખોટ પણ જતી નથી.જો લાભ નથી કે ખોટ પણ નથી તો મીઠી વાણી જ શા માટે ના બોલવી? શા માટે મીઠું ના બોલવું? પણ જે સમજવું સહેલું લાગે છે તે મનુષ્યને કરવું અઘરું લાગે છે.
જે કરવા જેવું નથી તે કરે છે અને જે કરવા જેવું છે તે નથી કરતો,ને પછી તે મનુષ્ય ઠેબાં ખાય છે.
Sep 16, 2021
Gujarati-Ramayan-Rahasya-75-ગુજરાતી-રામાયણ-રહસ્ય-75
વશિષ્ઠના ગયા બાદ શ્રીરામ સીતાજીને આ રાજ્યાભિષેકની વાત કહેવા ચાલ્યા,સીતાજી તે વખતે માતા કૌશલ્યાના ભવનમાં ગયા હતા.શ્રીરામ પણ કૌશલ્યના ભવનમાં આવ્યા.
માતાજી તે વખતે દેવમંદિરમાં હતા અને પ્રભુના ધ્યાનમાં લીન હતાં.
સુમિત્રા માતા,સીતાજી અને લક્ષ્મણ માતાજીની સેવામાં ઉભા હતા.રામચંદ્રે દેવમંદિરમાં પ્રવેશ કરી માતાજીને પ્રણામ કર્યા.કૌશલ્યાજી હજુ પ્રાર્થના કરી રહ્યા હતાં.“પ્રભુ મારા પુત્ર રામને રાજ્યશ્રી પ્રાપ્ત થાઓ.” તેમના મુખમાંથી નીકળેલા શબ્દો સહુને સંભળાયા.
માતાજી તે વખતે દેવમંદિરમાં હતા અને પ્રભુના ધ્યાનમાં લીન હતાં.
સુમિત્રા માતા,સીતાજી અને લક્ષ્મણ માતાજીની સેવામાં ઉભા હતા.રામચંદ્રે દેવમંદિરમાં પ્રવેશ કરી માતાજીને પ્રણામ કર્યા.કૌશલ્યાજી હજુ પ્રાર્થના કરી રહ્યા હતાં.“પ્રભુ મારા પુત્ર રામને રાજ્યશ્રી પ્રાપ્ત થાઓ.” તેમના મુખમાંથી નીકળેલા શબ્દો સહુને સંભળાયા.
Sep 15, 2021
Gujarati-Ramayan-Rahasya-74-ગુજરાતી-રામાયણ-રહસ્ય-74
દશરથ રાજાને રામ પર અપાર પ્રેમ હતો.તેમના પ્રાણ –રામમય હતા.રામનું નામ લેતા તેમના ચિત્તમાં આનંદની લહરીઓ ઉઠતી.અત્યારે રાજાને ઈચ્છા થઇ છે કે-મારો રામ રાજા થાય ને તેમનો રાજ્યાભિષેક મારી આંખોની સમક્ષ થાય એવી મારી ઈચ્છા પ્રભુ જરૂર પુરી કરશે.અત્યાર સુધીમાં પ્રભુએ મારી બધી ઇચ્છાઓ પુરી કરી છે તો આ પણ જરૂર પુરી થશે.ધોળા વાળના દર્શનથી રાજાને આ ઈચ્છા પેદા થઇ અને પેદા થતાં જ તે એવી જોરદાર બની ગઈ કે-જો તે ઈચ્છા જો તાત્કાલિક પુરી ના થાય તો પોતાનો એક મહાન મનોરથ સિદ્ધ થયા વિનાનો રહી જશે –એવું દશરથ રાજાને લાગવા માંડ્યું.
Subscribe to:
Posts (Atom)