Sep 26, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-10


Gujarati-Ramayan-Rahasya-84-ગુજરાતી-રામાયણ-રહસ્ય-84

કૌશલ્યા માતાના ચરણમાં પ્રણામ કરીને ત્યાંથી શ્રીરામ ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે,તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે-સર્વને વંદન કરી ધરતી પર નજર રાખીને ઉભાં છે.રામચંદ્રે સીતાજીને કહ્યું કે-હે જાનકી,પિતાની આજ્ઞાથી હું ચૌદ વર્ષ વનમાં જાઉં છું,તમે તમારું અને મારું ભલું ચાહતા હો તો,મારું વચન માની ઘેર રહો,
જેથી મારાથી પિતાજીની આજ્ઞા પળાશે અને ઘેર તમારાથી સાસુ-સસરાની 
સેવા થશે ,વળી તમે ઘેર રહેશો તો તેમને પણ ઘણો આધાર રહેશે.

Sep 24, 2021

Gujarati-Ramayan-Rahasya-83-ગુજરાતી-રામાયણ-રહસ્ય-83

રસ્તામાં ઉભેલા લોકોનું રામજી સ્મિત કરી કરીને સ્વાગત કરે છે અને જાણે કશું જ બન્યું નથી,તેમ માતા કૌશલ્યાના ભવનમાં પ્રવેશ કરે છે.રામને જોઈને કૌશલ્યામા બહુ રાજી થયાં,શ્રીરામે તેમના ચરણમાં મસ્તક નમાવ્યું,માતાએ તેમને હૃદય સરસા લગાવી કહ્યું કે-
હે રામ,તારો આજે રાજ્યાભિષેક છે,આજે મંગળ દિવસ છે,તુ કાલનો ઉપવાસી છે,
આસન ગ્રહણ કર.અને થોડી મીઠાઈ ખાઈ લે.

Sep 23, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-8-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-8


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-7


Gujarati-Ramayan-Rahasya-82-ગુજરાતી-રામાયણ-રહસ્ય-82

રામજી કૈકેયીને વંદન કરી ને કહે છે-મા- મારો ભરત રાજા થાય તે સાંભળી 
મને આનંદ થાય છે.તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે. 
મને ઋષિ-મુનિઓનો સત્સંગ થાય-અને મારું કલ્યાણ થાય –તે માટે તમે વનમાં મોકલો છો-
તેનાથી વધુ સારું શું ? મા,મને વનવાસ આપવામાં પણ તમે મારા 
સુખનો જ વિચાર કર્યો છે,વળી આ તો પિતાજીની આજ્ઞા છે તે આજ્ઞા 
પાળવામાં મારું સર્વ પ્રકારે કલ્યાણ થશે.અને વળી મારો પ્રાણપ્રિય ભરત રાજા થશે.

Sep 22, 2021

Gujarati-Ramayan-Rahasya-81-ગુજરાતી-રામાયણ-રહસ્ય-81

ત્યારે યાજ્ઞવલ્કય ઋષિએ કહ્યું કે-ના,ધનથી મોક્ષ નહિ મળે,અમરત્વ નહિ મળે,
પણ તમે સુખ-સગવડથી આનંદથી જીવી શકશો. મૈત્રેયી કહે છે-જે ધનથી મોક્ષ ના મળે 
તે ધનને લઇ હું શું કરું? પછી યાજ્ઞવલ્કયે મૈત્રેયીને જિજ્ઞાસુ જાણી,તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો.
મોક્ષનાં સાધનો કહ્યાં.યાજ્ઞવલ્કયનો મૈત્રેયીને આપેલો એ ઉપદેશ અમર થઇ ગયો.

Sep 21, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-6


Gujarati-Ramayan-Rahasya-80-ગુજરાતી-રામાયણ-રહસ્ય-80

તુલસીદાસજી કહે છે કે-કૈકેયી મંથરાના સ્વભાવને ઓળખતી હતી.સાચું-જુઠું કરવું,પારકાની બદબોઈ કરવી, કોઈની પીઠ પાછળ વાંકુ બોલવાની મંથરાને આદત હતી.એટલે તેનું નામ તેણે ”ઘરફોડી” રાખ્યું હતું.આવું જાણવા છતાં કૈકેયીએ,તે મંથરાને પોતાના ઘરમાંથી રવાના ના કરતાં,ઘરમાં રહેવા દીધી,અને એ “ઘરફોડી” એ તેનું જ ઘર ફોડ્યું.અને કૈકેયીને દુનિયામાં પારાવાર અપજશ મળ્યો.કૈકેયી સાધારણ સ્ત્રી નહોતી.દશરથ તેના રૂપ પર જ મુગ્ધ હતા તેવું નહોતું,યુદ્ધવિદ્યામાં તે પ્રવીણ હતી.પતિની સાથે યુદ્ધ-મોરચે પણ તે જતી. એની બુદ્ધિ તીક્ષ્ણ હતી.પણ કુસંગ કોનું નામ? પાણીમાં આગ લગાડે તે કુસંગ.

Sep 20, 2021

Gujarati-Ramayan-Rahasya-79-ગુજરાતી-રામાયણ-રહસ્ય-79

જગતમાં સત્સંગની ઘણી તકો છે,પણ તેને છોડીને જે કુસંગમાં પડે છે તે આંબો કાપીને એની જગ્યાએ લીમડો રોપે છે,ને પછી કેરીની આશા રાખે છે.લીમડાના મૂળમાં દૂધ સિંચવામાં આવે તો પણ તે મીઠો થવાનો નથી.એક વાર જીવ કુસંગમાં ફસાયો પછી એ લીમડા જેવો કડવો બની જાય છે.બાળક જન્મે છે ત્યારે આમ્રવૃક્ષ (આંબા) જેવો હોય છે.એને પહેલો સંગ માતાનો અને પછી પિતાનો થાય છે.માતા બાળકને ઉછેરે છે ત્યારે તે જગત-જનની જગદંબા સ્વરૂપ હોય છે.પણ બાળક જયારે માતાનો ખોળો છોડીને શેરીમાં મિત્રો સાથે રમવા જાય ત્યારે,પિતા અને ગુરુજનોની જવાબદારી વધે છે.તેમણે બાળક કોના અને કેવાં સંગમાં ફરે છે તે ધ્યાન રાખવાનું હોય છે.બાળકના નિર્મળ સંસ્કારોના આંબાની જગ્યાએ કુસંગનો લીમડો તો રોપાતો નથી ને?તે જોવાનું છે.

Sep 19, 2021

Kaak Bhushundi and Garuda-Sanvaad-Gujarati

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-5


Gujarati-Ramayan-Rahasya-78-ગુજરાતી-રામાયણ-રહસ્ય-78

કૈકેયી હવે કહે છે-કે-“તું જે કહે તે હું કરવા તૈયાર છું.” મંથરા કૈકેયીને ખુબ વહાલી હતી.મંથરાને જયારે ખાતરી થઇ કે કૈકેયી હવે તેને આધીન થઇ છે-એટલે તે કહે છે-કે-“તેં મને કહ્યું હતું કે રાજા દશરથના બે વરદાન તારી પાસે છે-તે માગી લે. એક તો ભરત ને ગાદી અને રામને ૧૪ વર્ષ નો વનવાસ.પણ જો જે પહેલું વનવાસનું માગતી નહિ,નહી તો રાજાનો રામ પરના પ્રેમને લીધે બેભાન થઇ જશે તો ભરતના રાજ્યાભિષેકની વાત રહી જશે.ખૂબ જ અક્કલ ને હોશિયારીથી કામ કરવાનું છે,જરાયે ઉતાવળ કરવાની નથી.અત્યાર સુધી “મારો રામ” કરીને વેવલાઈ બતાવી છે તે હવે કરવાની નથી,અને કાળજું કાઠું કરીને કામ કરવું પડશે.

Sep 18, 2021

Gujarati-Ramayan-Rahasya-77-ગુજરાતી-રામાયણ-રહસ્ય-77

કૌશલ્યામાની વ્યવહારમાં જરીક ભૂલ થઇ એનું પરિણામ ભયંકર આવ્યું. મંથરાની ઈર્ષ્યા છંછેડાયેલા સાપની જેમ જાગી ઉઠી.અને તેનું મન અને બુદ્ધિ “રાજ્યાભિષેકને કેમ કરી ને રોળી નાખું “તેમાં લાગી ગઈ. તે ઉદાસ થઇ ને ઝેરી નાગણ જેવી થઇ કૈકેયીની પાસે ગઈ.
મંથરા કૈકેયી પાસે આવી જોરથી રડવા લાગી અને નાટક કર્યું છે. કંઈ બોલતી નથી અને નિસાસા નાખે છે.એણે રડતી જોઈ કૈકેયીએ પૂછ્યું-કેમ રડે છે? શું કોઈએ ધોલ-ધપાટ કરી છે કે શું? તોયે મંથરા કશું બોલતી નથી.નાગણ બોલે ખરી? એ તો ડંશ જ દે ને?