Oct 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-19


Gujarati-Ramayan-Rahasya-97-ગુજરાતી-રામાયણ-રહસ્ય-97


દશરથ રાજા કૌશલ્યાને ભૂતકાળ ના પોતાના કરુણ પ્રસંગની કથા કહે છે,
રાજા ની વ્યાકુળતા વધી છે,અને ધીરે ધીરે “હે,રામ-હે,રામ” બોલતા જાય છે.
સાથે સાથે તેમનો જીવ પણ ઊંડે ઉતરતો જતો હતો.મધરાતે “રામ-રામ-રામ-
રામ-રામ-રામ” એમ છ વખત રામનામ ઉચ્ચારી તેમણે દેહ છોડી દીધો.
દશરથજીનો રામજી પ્રત્યેનો પ્રેમ અને રામજીનો વિયોગ અપ્રતિમ છે.એમને રામ 
પાછા નહિ જ આવે તેવી ખાતરી થતા રામજીના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા.
તેમણે જીવી જાણ્યું ને મરી પણ જાણ્યું.આ દુનિયામાં જીવવું યે મહત્વનું છે ને મરવું પણ મહત્વનું છે. 

Oct 8, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-18-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-18

Gujarati-Ramayan-Rahasya-96-ગુજરાતી-રામાયણ-રહસ્ય-96

વાત એ વખતની છે જયારે દશરથરાજા યુવાનીને ઉંબરે પહોંચ્યા હતા.હજી તેમનાં લગ્ન થયા નહોતાં.ધનુર્વિદ્યામાં તે અતિ પારંગત હતા,આંખ મીંચી,માત્ર અવાજ પરથી તે ધાર્યું નિશાન વીંધતા હતા.આ શબ્દ-વેધી બાણ- વિદ્યાનો તેમને બહુ ગર્વ પણ હતો.ઘણીવાર કુમાર દશરથ એકલો,નદીના કિનારે કે ઉપવનમાં ફરવા નીકળી પડતો અને ક્યાંક સંતાઈને માત્ર અવાજ પરથી વન્ય-પશુના શિકાર કરતો.

Oct 7, 2021

Gujarati-Ramayan-Rahasya-95-ગુજરાતી-રામાયણ-રહસ્ય-95

મંત્રી સુમંત્ર પર શોકની એટલી બધી અસર થઇ છે કે,તેમની દ્રષ્ટિ મંદ થઇ ગઈ,કાને સંભળાવાનું ઓછું થઇ ગયું,ને બુદ્ધિ જાણે બહેર મારી ગઈ,જીવતા છતાં જાણે મૂવા જેવા થઇ ગયા.જાત સાથે જ વાતો કરતા હોય તેમ બબડે છે-અયોધ્યાના લોકો પૂછશે તો તેમને હું શું જવાબ આપીશ? કૌશલ્યામા,વાછરડીને મળવા ગાય દોડી આવે તેમ દોડી આવશે તો તેમને હું શું જવાબ આપીશ? મહારાજાને હું કેવી રીતે આશ્વાસન આપીશ? રામજી વનમાં જ રહી ગયા તેવું હું કેવી રીતે બોલી શકીશ?