Oct 14, 2021

Gujarati-Ramayan-Rahasya-101-ગુજરાતી-રામાયણ-રહસ્ય-101

દશરથરાજાના દેહનો અગ્નિ સંસ્કાર અને ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી,
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં 
ભરતને પોતાને પડખે બેસાડ્યો. પછી,સભામાં વશિષ્ઠજીએ ઉભા થઇ ને કહ્યું કે-
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને 
માટે કોને દોષ દેવો અને કોના પર ક્રોધ કરવો? દશરથરાજા શોક કરવાને પાત્ર નથી,
તેઓ તો શ્રીરામનું સ્મરણ કરતાં મંગલમય મૃત્યુને વર્યા છે.
એમનો રામ-પ્રેમ સત્ય છે કે,રામના વનમાં ગયા પછી,તેમના વિયોગમાં તે જીવ્યા નહી.

Oct 13, 2021

Gujarati-Ramayan-Rahasya-100-ગુજરાતી-રામાયણ-રહસ્ય-100

કૈકેયીની વાત સાંભળી ભરતના કાળજે આગ લાગી,પિતાના મરણનો શોક પણ 
તે જાણે ભૂલી ગયા.અને આ સર્વ અનર્થનું કારણ પોતે છે,એ જાણી તેમના દુઃખનો પાર રહ્યો નહિ.મનમાં ભરાયેલા ગુસ્સાથી તે બોલી ઉઠયા કે-અરેરે,તેં તો કુળનો 
નાશ કરી નાખ્યો,જો તારી આવી દુષ્ટ ઈચ્છા હતી તો મને જન્મતાં જ કેમ 
મારી ના નાખ્યો? તેં તો ઝાડને કાપીને પાંદડાંને પાણી સીંચ્યું,મને રામ-લક્ષ્મણ 
જેવા ભાઈ મળ્યા,પણ વિધિની વક્રતા છે, કે માતા તરીકે મને તું મળી.
તને મા, કહેતાં પણ મારી જીભ અચકાય છે, અરે,આવું માગતાં તારી જીભ કેમ ના તૂટી પડી? 
તારા મોં મોં કીડા કેમ ના પડ્યા? તારા હૃદયના કટકા કેમ ના થયા?

Oct 12, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-1


Gujarati-Ramayan-Rahasya-99-ગુજરાતી-રામાયણ-રહસ્ય-99

વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી,છતાં ડોસાને વારંવાર સારું-સારું ખાવાની ઈચ્છા 
થાય છે.વૃદ્ધાવસ્થામાં આ લૂલી (જીભ) બહુ પજવે છે.માટે હજી શરીર સારું છે 
ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે,ત્યાં સુધી માં પ્રભુ ને રાજી કરવામાં આવે તો 
બેડો પાર છે.મરણ પથારીમાં પડ્યા પછી જેની પાછળ પૈસાનું પાણી કર્યું હશે 
તે જ લોકો,ડોસો ક્યારે મરે તેવી ઈચ્છા રાખે છે.ભાગવતમાં સગાંઓને 
શિયાળ-કૂતરાં જેવાં કહ્યા છે.છેવટે ડોસો એકલો જ રડતો,રડતો જાય છે.
તે જાણે છે કે કોઈ સાથે નહિ આવે,એકલાએ જ જવું પડશે,છતાં વિવેક રહેતો નથી.

Oct 11, 2021

Gujarati-Ramayan-Rahasya-98-ગુજરાતી-રામાયણ-રહસ્ય-98

મનુષ્ય એમ વિચારે છે કે-આખી જિંદગી કામ-ધંધો કરીશું,કાળાં-ધોળાં કરીશું 
અને અંત-કાળે ભગવાનનું નામ લઈશું તો પણ તરી જઈશું. પણ આ સમજ ખોટી છે.
એક તો અંતકાળ ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નથી.
એટલે તો સંતો કહે છે કે-આ પળે જ મોત આવવાનું છે તેમ સમજી ને ચાલો,
અને બીજું,અંતકાળ આવશે ત્યારે પ્રભુ નું નામ લઇ શકાશે જ,એની કોઈ ખાતરી નથી.
જિંદગીભર જેનું ચિંતન કર્યું હશે તે જ અંતકાળે યાદ આવશે.