Jan 6, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-024


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૮

સુંદરકાંડમાં શ્રીરામનું બહુ વર્ણન આવતું નથી.પણ હનુમાનજીની ને સીતાજીની કથા મુખ્ય છે.
હનુમાનજી “સેવા” નું સ્વરૂપ છે,અને સીતાજી “પરા-ભક્તિ” નું સ્વરૂપ છે.
આમ,સુંદરકાંડમાં સેવા અને પરાભક્તિનો મહિમા ગાયો છે.
જેમ,હનુમાનજી લંકા જતાં વચ્ચે આરામ કરવા ક્યાંય રોકાતા નથી,
તેમ,પ્રભુના કામમાં જોડાયેલો માનવી,નથી આરામ કરતો કે નથી આળસ કરતો.

Jan 5, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-023


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-સુંદરકાંડ-૧૬૭

સુંદરકાંડ
તુલસીદાસજી કહે છે કે-શ્રી રઘુનાથજીનું બાણ છૂટે એવા વેગથી હનુમાનજીએ લંકા તરફ પ્રયાણ કર્યું.
'જિમિ અમોઘ રઘુપતિ કર બાના,એહી ભાંતિ ચલેંઉ હનુમાના.'
તેમના વેગીલા સુસવાટથી,કેટલાંય વૃક્ષો ઉખડી પડ્યાં,અને પ્રવાસે જતા સંબંધીને વળાવવા જતા હોય,
તેમ થોડે દૂર સુધી,હવામાં તેમની પાછળ ઉડ્યા.હનુમાનજીના ઉડવાના વેગથી સમુદ્રનાં મોજાં ખેંચાઈને ઉંચે ઉંચે ઉછળવા લાગ્યાં.હનુમાનજીએ ઉડતી વખતે,પૂંછડું ઊંચું રાખ્યું હતું,જે આકાશમાં મેઘ-ધનુષ્ય સમાન ભાસતું હતું.