Jan 14, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૬
હનુમાનજી અતિ ભાવ-પૂર્ણ થઇ સીતાજી સામે હાથ જોડીને ઉભા છે,ને સીતાજીનો રામજીને કહેવાનો સંદેશો સાંભળી રહ્યા છે.સીતાજી કહે છે કે-રામજીને મારા વતી કહેજો કે-તમે જો એક મહિનામાં નહિ આવો તો મને જીવતી નહીં ભાળો.હે,પવનપુત્ર, હનુમાન,તમને જોઈને મારા મનને ટાઢક થઇ હતી,જીવવાનો ઉત્સાહ આવ્યો હતો,પણ તમે તો ચાલ્યા,ને પાછાં મારા નસીબે તો તે જ દિવસ અને તે જ રાત રહ્યાં.“પૂનિ મો કહું,સોઈ દિનુ,સો રાતી”
Jan 13, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૫
નાગપાશમાં બંધાયેલા હનુમાનજીએ,જેવી પૂંછડે આગ લાગી કે તરત જ,સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું, એટલે નાગપાશનું બંધન એકદમ સરી પડ્યું,ને હનુમાનજી મુક્ત થયા.તેમણે ફરી વિશાળ સ્વરૂપ ધારણ કર્યું,ને જોરથી અટ્ટહાસ્ય કરીને ગર્જના કરી.અને ગઢના દરવાજા પર ચડી ગયા.સળગતા પૂંછડા સાથે દરવાજા પર ઉભેલા હનુમાનજી મધ્યાહ્નના સૂરજની જેમ શોભતા હતા.
Subscribe to:
Posts (Atom)