नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादिभेदः ।। ७२ ।।
તે ભક્તોમાં જાતિ,વિદ્યા,રૂપ,કુલ,ધન અને ક્રિયા-એ કશાનો ભેદ નથી (૭૨)
यतस्तदीयाः ।। ७३ ।। કારણકે બધા ભક્તો તેમના ભગવાનના જ હોય છે. (૭૩)
ઈશ્વર 'એક' છે,અને ભક્તો જયારે ભક્તિને (પરમપ્રેમને)લીધે ઈશ્વર જ બની જાય છે તો
સર્વ ભક્તો એક સમાન જ કે 'એક' જ છે.ઈશ્વરને પામવા તેમની પ્રત્યે પરમપ્રેમ જ જરૂરી છે,
એટલે તે ભક્તોમાં (બ્રાહ્મણ કે ક્ષુદ્ર વગેરે જેવો) જાતિભેદ હોઈ શકે જ નહિ.