Oct 8, 2022

Vipasana (Vipasyana) in Gujarati-Easy Explaination

અત્યારની ભાગદોડ ની જિંદગીમાં કોઈને કશા માટે સમય નથી .....અને જયારે સમય જ સમય હોય તેવી પરિસ્થિતિમાં માનવ પહોચે ત્યારે તે સમય ને --સમજીને-- વિચારી શકે-- તેવી સ્થિતિ રહેતી નથી.

માનવ ને જો જરા બેસવાનું કહેવામાં આવે તો તે તરત જ પૂછે છે કે--બેસીને શું કરવાનું?

Oct 5, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-18

 

स कीत्र्यमानः शीघ्रमेवाविर्भवति अनुभावयति च भक्तान्।। ८० ।।

ભગવાનનું પ્રેમ-પૂર્વક કીર્તન કરવાથી ભગવાન પ્રગટ થાય છે 

અને ભક્તોને પોતાનો અનુભવ કરાવી દે છે (૮૦)


પરમાત્મા તો સર્વ જગ્યાએ હાજર જ છે,તેને કોઈ ખુશામતની (વખાણની) પડી નથી,

પણ,જયારે,ભક્ત તેના સ્મરણમાં સતત રહે છે ત્યારે તે ભક્ત ખુલે છે,તેના આંખ આગળનો પડદો હટી જાય છે,

અને પરમાત્મા પ્રગટ થાય છે,ને તે ભક્તને પોતાનો (પરમાત્માનો) અનુભવ કરાવે છે.

એટલે કે-કીર્તનથી,સતત સ્મરણથી,ભક્તને તન્મયતા થાય છે,ભક્ત ભગવાન બને છે.

ને સર્વમાં તેને પરમાત્માના દર્શન થાય છે.અને તે જ પરમાત્માની કીર્તિનું કીર્તન છે.

Oct 4, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-17

 

भक्तिशास्त्राणि मननीयानि तदुदबोधककर्माण्यपि करणीयानि ॥ ७६ ॥

(પ્રેમ-ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તિ-શાસ્ત્ર નું મનન કરતા રહેવું જોઈએ,

અને એવા કર્મ પણ કરવા જોઈએ કે-જેનાથી ભક્તિમાં વૃદ્ધિ થતી રહે. (૭૬)


ભક્તિશાસ્ત્ર,એ પરમ-પ્રેમનું શાસ્ત્ર છે.કે જેમાં ભાવના મુખ્ય છે.

શાસ્ત્રના મનનમાં,કોઈ વિચાર (કે ચિંતન) નથી.મોટે ભાગે મન એ વિચારો (ચિંતન) કરે છે.

પણ એ જ મન,જયારે શાંત બનીને (એટલે કે વિચારો શાંત બને ત્યારે) 

 એક જ વિચાર (કે શાસ્ત્ર) પર ધ્યાન આપે ત્યારે તે મનન કહેવાય છે.

Oct 3, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-16

 

नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादिभेदः ।। ७२ ।।

તે ભક્તોમાં જાતિ,વિદ્યા,રૂપ,કુલ,ધન અને ક્રિયા-એ કશાનો ભેદ નથી (૭૨)

यतस्तदीयाः ।। ७३ ।। કારણકે બધા ભક્તો તેમના ભગવાનના જ હોય છે. (૭૩)


ઈશ્વર 'એક' છે,અને ભક્તો જયારે ભક્તિને (પરમપ્રેમને)લીધે ઈશ્વર જ બની જાય છે તો 

સર્વ ભક્તો એક સમાન જ કે 'એક' જ છે.ઈશ્વરને પામવા તેમની પ્રત્યે પરમપ્રેમ જ જરૂરી છે,

એટલે તે ભક્તોમાં (બ્રાહ્મણ કે ક્ષુદ્ર વગેરે જેવો) જાતિભેદ હોઈ શકે જ નહિ.

Sep 30, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-15

 

तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम्।। ६५ ।।

બધા આચાર (કર્મો-ક્રિયાઓ) ભગવાનને અર્પણ કર્યા પછી કોઈ કામ,ક્રોધ,અભિમાન-વગેરે રહી ગયા હોય,તો તેને પણ ભગવાનને અર્પણ કરી દેવા જોઈએ (૬૮)


આગળ કહયા મુજબ,જયારે મનુષ્યે,જો સર્વ કર્મો અને તે કર્મોના ફળો ભગવાનને અર્પણ કરી દીધા હોય,

ને પછી,કામ,ક્રોધ,અભિમાનનો પણ ત્યાગ કર્યો હોય,છતાં,જો તે કામ-ક્રોધ-અભિમાન આદિ,

સંપૂર્ણ રીતે દૂર ન થયા હોય તો તે બાકી રહેલા કામ-ક્રોધ-આદિને પણ ભગવાનને સમર્પણ કરવા જોઈએ.