(અધ્યાય-1-51-52-53 માં કહ્યા મુજબ) ઘણા,જુદાજુદા સ્થાન(પર્વ)થી આ સંહિતા (મહાભારત)નો આરંભ કરે છે.કોઈ પંડિતો,नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् એ મંત્રથી (અધ્યાય-1 થી)આરંભ કરે છે,કોઈ પંડિતો (આ આદિપર્વમાં આવતા) આસ્તીક-પર્વ (અધ્યાય-13)થી આરંભ કરે છે,તો કોઈ રાજા ઉપરિચરની કથાથી (અધ્યાય -63)પ્રારંભ કરે છે.
સંક્ષિપ્ત મહાભારત અધ્યાય-61 માં કહ્યું છે.
(નોંધ-વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકનું (કાવ્ય-રૂપે) આખ્યાન લખ્યું તે 'જય' નામે પ્રસિદ્ધ થયું હતું.પછી વૈશંપાયને તેને 'ભારત' નામે અને છેવટે સૂતજી(સૌતી)એ તેનું નામ 'મહાભારત' કર્યું હતું.હાલમાં જેની જુદીજુદી આવૃત્તિઓમાં ચોર્યાસી હજાર થી એક લાખ શ્લોકોનું મહાભારત જોવા મળે છે. પ્રથમ અધ્યાયમાં મહાભારતની અનુક્રમણિકાનું વર્ણન છે તો બીજા અધ્યાયમાં પર્વોની અનુક્રમણિકા છે.મહાભારતના મુખ્ય પાત્રો (કૌરવો અને પાંડવોના (ચંદ્ર) વંશની કથા અધ્યાય-96 થી શરુ થાય છે)
મહાભારતની કથા પહેલીવાર વાંચવાની ઈચ્છા ધરાવનાર,અધ્યાય-100 થી શરુ કરી શકે?!!-અનિલ)