અધ્યાય-૩૫-સર્પોના નામનું કથન
II शौनक उवाच II भुजंगमानां शापस्य मात्रा चैव सुतेन च I विनतायास्त्वया प्रोत्त्कं कारणं सूतनन्दन II १ II
શૌનક બોલ્યા-હે સૂતજી,સર્પોને માતા કદ્રૂએ અને પુત્ર અરુણે માતા વિનતાને જે શાપ આપ્યા તેનું કારણ તમે કહ્યું,
વળી,પતિ કાશ્યપથી કદ્રૂ અને વિનતાને વરદાન મળ્યું-તે પણ કહ્યું,વિનતાના બે પુત્રો (વરુણ ને ગરુડ)નાં નામ
પણ તમે કહ્યાં,પણ તમે સર્પો (કદ્રૂના પુત્રો)નાં નામ કહ્યાં નથી,તેમનામાંના મુખ્ય નામો કહો.