Nov 30, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-030

 

અધ્યાય-૩૮-એલાપત્ર નાગનાં વચન 


II सौतिरुवाच II सर्पाणां तु वचः श्रुत्वा सर्वेपामिति चेति च I वासुकेश्व वचः श्रुत्वा एलापत्रोSन्नविदिदम् II १ II

સુતજી બોલ્યા-સર્વ સર્પોનાં અને વાસુકિના વચન સાંભળી,એલાપત્ર (નાગે) કહ્યું કે-

તે યજ્ઞ કંઈ થાય જ નહિ,એમ કદી બનવાનું નથી,વળી,જેનાથી આપણને મોટો ભય છે તે,જન્મેજય રાજા પણ જેવોતેવો નથી.હે નાગો,આપણે દૈવથી હણાયા છીએ,એટલે દૈવનું જ શરણું લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

વળી,જયારે માતાએ શાપ આપ્યો ત્યારે,હું બીકથી તેના ખોળામાં બેસી ગયો હતો,

તે વખતે દેવો,દુઃખથી પીડિત થઈને બ્રહ્મા પાસે ગયા હતા,તેમનાં વચન મેં સાંભળ્યાં હતાં.

દેવોએ બ્રહ્માજીને કહ્યું-અતિશય તીખા સ્વભાવની કદ્રૂ,પોતાના પુત્રોને,તમારી સમક્ષ જ શાપ આપે,અને 

તમે 'તથાસ્તુ' કહી તેની વાતને માન્ય રાખી,પણ તમે તે વખતે તેને રોકી કેમ નહિ? (1-8)

Nov 29, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-029

 

અધ્યાય-૩૫-સર્પોના નામનું કથન 


II शौनक उवाच II भुजंगमानां शापस्य मात्रा चैव सुतेन च I विनतायास्त्वया प्रोत्त्कं कारणं सूतनन्दन  II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,સર્પોને માતા કદ્રૂએ અને પુત્ર અરુણે માતા વિનતાને જે શાપ આપ્યા તેનું કારણ તમે કહ્યું,

વળી,પતિ કાશ્યપથી કદ્રૂ અને વિનતાને વરદાન મળ્યું-તે પણ કહ્યું,વિનતાના બે પુત્રો (વરુણ ને ગરુડ)નાં નામ 

પણ તમે કહ્યાં,પણ તમે સર્પો (કદ્રૂના પુત્રો)નાં નામ કહ્યાં નથી,તેમનામાંના મુખ્ય નામો કહો.

Nov 28, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-028


 અધ્યાય-૩૩-ગરુડને અમૃતપ્રાપ્તિ 

II सौतिरुवाच II जांवुनदमयो भूत्वा मरीचिनिकरोज्ज्वलः I प्रविवेश बलात् पक्षी वारिवेग इवार्णवम् II १ II

સૂતજી બોલ્યા-પછી,સુવર્ણમય રૂપ ધારણ કરીને,કિરણોના સમૂહ જેવો ઉજ્જવળ જણાતો,

તે ગરુડ,બળપૂર્વક અમૃતસ્થાનમાં પેઠો,જાણેકે પાણીનો વેગ સાગરમાં પ્રવેશ્યો !

ત્યારે ત્યાં,અમૃતની સમીપમાં,તેણે,એક લોખંડનું સતત ઘૂમતું ચક્ર જોયું,કે જેની ધાર તીણી હતી,તે ભયંકર હતું 

અને અગ્નિ ને સૂર્યના જેવી તેની ઝલક હતી,અમૃતને હરી જનારા માટે તે ભેદી ન શકાય તેવું હતું.

ગરુડ તેની આસપાસ ભમવા લાગ્યો ને પોતાનું અંગ સંકોચીને તે ચક્રના મધ્યમાં થઇ નીચે ઉતરી ગયો.

Nov 27, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-027

 

અધ્યાય-૩૧-ગરુડની ઉત્પત્તિનાં કારણ 


II शौनक उवाच IIकोSपराधो महेन्द्रस्य कः प्रमदम्श्च सूतज I तपसा वालखिल्यानां संभूतो गरुडः कथम्  II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,ઇન્દ્રનો કયો અપરાધ હતો? કયો પ્રમાદ હતો? અને વાલખિલ્યોના તપથી ગરુડ કેવી રીતે ઉત્પન્ન થયો?વળી બ્રાહ્મણ કશ્યપને પક્ષીરાજ પુત્ર કેમ થયો? ને શા કારણથી તે પ્રાણીમાત્રથી અસહ્ય અને અવધ્ય થયો? તે સ્વેચ્છા ગતિવાળો અને સ્વેચ્છા બળવાળો શી રીતે થયો? તે હું સાંભળવા ઈચ્છું છું 

Nov 26, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-026

અધ્યાય-૨૯-મેરુ પર્વત પર ગરુડ 


II सौतिरुवाच II तस्य कण्ठमनुप्राप्तो ब्राह्मणः सह भार्यया I दहन दीप्त इवांगार स्तमुवाचान्तरिक्षगः II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,એક બ્રાહ્મણ (તેની નિષાદ પત્ની સાથે) ગરુડના ગળામાં જઈ પડ્યો.

ગરુડના ગળામાં,અંગારા જેવો દાહ થયો એટલે,ગરુડે તે બ્રાહ્મણને કહ્યું કે-તું મારા આ ઉઘાડેલા મોંમાંથી,

જલ્દી બહાર નીકળી જા,કેમ કે (મા એ કહ્યું છે) બ્રાહ્મણ પાપી હોય તો પણ તેને મરાય નહિ.

બ્રાહ્મણે કહ્યું કે-આ મારી નિષાદ જાતિની પત્ની પણ મારી સાથે બહાર નીકળો.

ગરુડે કહ્યું કે -ભલે,તેને પણ તું સાથે લઇ જા.અને વેળાસર,તું તારી જાતને અને તેને ઉગારી લે (1-4)