Jan 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-078

 
અધ્યાય-૮૪-પુરુએ યયાતિની વૃદ્ધતા સ્વીકારી 

II वैशंपायन उवाच II जरां प्राप्य ययातिस्तु स्वपुरं प्राप्य चैव हि I पुत्रं ज्येष्ठं वरिष्ठं च यदुमित्यब्रविद्वाच  II १ II

વૈશંપાયન બોલ્યા-વૃદ્ધત્વને પામીને પછી,તે યયાતિ પોતાના નગરે પાછો ગયો,

અને પોતાના મોટા અને શ્રેષ્ઠ પુત્ર યદુને બોલાવીને તેને તે કહેવા લાગ્યો કે-

બેટા,કવિપુત્ર ઉશના (શુક્રાચાર્ય)ના શાપે,મને ઘડપણ લાગ્યું છે,પણ યૌવનથી હું હજી તૃપ્ત થયો નથી,

તું જો મારા ઘડપણ ને પાપને સ્વીકારી લે,તો તારી યુવાનીથી હું વિષયભોગો ભોગવું.હજાર વર્ષ પૂરાં થતાં,

હું તને તારી યુવાની પાછી આપી દઈને મારુ ઘડપણ અને પાપો પાછાં લઇ લઈશ (1-4)

Jan 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-077

અધ્યાય-૮૩-યયાતિ રાજા શાપથી વૃદ્ધ થયો 


II वैशंपायन उवाच II श्रुत्या कुमारं जातं तु देवयानि शुचिस्मिता I चिन्तयामास दुःखार्तो शर्मिष्ठां भारत  II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,શર્મિષ્ઠાને ત્યાં પુત્રજન્મ થયેલો સાંભળીને,

શુદ્ધ-સ્મિત દેવયાની,દુઃખ પામી,તેણે શર્મિષ્ઠા વિષે વિચાર કર્યો,ને પછી તેની પાસે જઈને 

તે બોલી કે-હે શર્મિષ્ઠા,કામથી લોભાઈને તેં આ કેવું પાપ કર્યું છે?

Jan 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-076

 
અધ્યાય-૮૨-દેવયાની અને શર્મિષ્ઠાને સંતાન પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II ययातिः स्वपुरं प्राप्य महेन्द्रपुरसन्निभम् I प्रविष्यांत:पुरं तत्र देवयानीं न्यवेशयत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ઇન્દ્રપુરી જેવી,પોતાની નગરીમાં આવીને રાજા યયાતિએ,દેવયાનીને પોતાના અંતઃપુરમાં નિવાસ આપ્યો અને દેવયાનીની સંમતિ પ્રમાણે શર્મિષ્ઠાને,અશોકવનની પાસે ઘર કરાવીને તેમાં વાસ આપ્યો.

વળી,સહસ્ત્ર દાસીઓથી ઘેરાયેલી શર્મિષ્ઠાને,વસ્ત્ર-ખાનપાન આદિની વ્યયવસ્થાથી સત્કારવામાં આવી.

યયાતિએ અનેક વર્ષ સુધી દેવયાની સાથે સુખ ને આનંદમાં વિહાર કર્યો.

ઋતુકાળ આવતાં,દેવયાનીએ ગર્ભ ધારણ કર્યો,ને પહલે ખોળે એક કુમાર (પુત્ર)નો જન્મ આપ્યો.(1-5) 

Jan 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-075

અધ્યાય-૮૧-યયાતિ રાજા સાથે દેવયાનીનાં લગ્ન 

II वैशंपायन उवाच II अथ दीर्घस्य कालस्य देवयानि नृपोत्तम I चनं तदेव निर्याता क्रीडार्थ वरवर्णिनी  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લાંબા સમય બાદ,તે દેવયાની,હજાર દાસીઓ ને શર્મિષ્ઠા સાથે,તે જ વનમાં ક્રીડા કરવા માટે ગઈ.જયારે,તે વનમાં તે,સર્વ સખીઓ સાથે ક્રીડાઓ કરતી ને વિવિધ ભોજન આરોગતી હતી,તેવામાં,

મૃગયા માટે નીકળેલો,ને થાકથી પીડાયેલો,રાજા યયાતિ ફરી,તે જ વનમાં પાણીની શોધમાં આવી ચડ્યો.

ત્યારે,રાજાએ,સુંદર આભૂષણોથી વિભૂષિત,દેવયાની ને શર્મિષ્ઠા-એ બે યુવતીઓને જોઈ.

Jan 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-074

 
અધ્યાય-૮૦-શર્મિષ્ઠા દેવયાનીની દાસી થઇ 

II वैशंपायन उवाच II ततः काव्यो भृगु श्रेष्ठ: समन्पुरुषगम्य ह I वृषपर्वाणमासीनमित्युवाचाविचारन  II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,ભૃગુશ્રેષ્ઠ કવિપુત્ર શુક્ર,વૃષપર્વા પાસે ગયા,ને  સહસતાથી જ તેને કહેવા લાગ્યા કે-

હે રાજન,અધર્મ કર્યો હોય,તો તે ગાયની જેમ તરત જ ફળતો નથી,તે તો આવર્તન પામીને (વધીને) ધીરેધીરે અધર્મ કરનારનો મૂળથી નાશ કરે છે.જેમ,ઠાંસીને ખાવાથી પેટને પીડા થાય જ છે,તેમ,પાપ પણ ચોક્કસ ફળ આપે જ છે.

કદાચ પોતે,પોતાના કરેલ પાપને જોઈ શકે નહિ,પણ તે પાપનું ફળ તો મળે જ છે ને દેખાય છે.