Feb 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-091

અધ્યાય-૯૮-ભીષ્મની ઉત્પત્તિ 


II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वा वचो राज्ञः सस्मितं मृदु वल्गु च I वसूनां समयं स्मृत्याथाम्याग्च्छद्निन्दिता  II १ II

વૈશંપાયન બોલ્યા-રાજાનું એવું મૃદુ,મનોહર અને સ્મિતયુક્ત વચન સાંભળીને તે આનંદિત ગંગા,

વસુઓના વચન સંભાળીને રાજની પાસે આવી અને તેના મનને પ્રસન્ન કરતી વાણીમાં બોલી કે-

'હે મહીપાલ,હું તમારી અધીન પટરાણી થઈશ,પણ મારી શરત છે કે-હું જે કાંઈ શુભ કે અશુભ કરું,તેમાં તમારે 

મને વારવી નહિ,તેમ જ મને કશું અપ્રિય કહેવું નહિ,હે રાજન,તમે જો આ રીતે વર્તશો તો હું તમારી સાથે રહીશ,

પણ જયારે તમે રોકશો કે અપ્રિય કહેશો ત્યારે હું તમને અવશ્ય ત્યજી દઈશ' 

શાંતનુએ કહ્યું કે-'ભલે તેમ જ હો' ને આમ,શાંતનુને પામીને ગંગા અપાર આનંદ પામી (1-5)

Feb 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-090

 
અધ્યાય-૯૭-શાંતનુ રાજાને ગંગાજીનો મેળાપ 

II वैशंपायन उवाच II ततः प्रतीपो राजासित्सर्वभूतहितः सदा I निपसाद समावहिर्गगा द्वारमतो जपन्  II १ II

વૈશંપાયન બોલ્યા-ભૂતમાત્રના કલ્યાણમાં તત્પર રહેલો રાજા પ્રતીપ,ગંગા દ્વારે વસીને,અનેક વર્ષો સુધી તપ 

કરતો બેઠો હતો.ત્યારે એક વખતે,અત્યંત આકર્ષક રૂપવતી ગંગા,સ્ત્રીરૂપ ધરીને બહાર આવી,

ને તે રાજર્ષિની શાલવૃક્ષના જેવી જમણી જાંઘ પર બેઠી,ત્યારે પ્રતીપે તેને પૂછ્યું કે-

હે કલ્યાણી,હું તારું શું પ્રિય કરું? તારી ઈચ્છા શી છે?તે મને કહે. (1-4)

Feb 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-089

અધ્યાય-૯૬-શાંતનુ રાજાનું ઉપાખ્યાન(મહાભારત કથાની શરૂઆત) 


II वैशंपायन उवाच II इक्ष्वाकुवंशप्रभवो राजासीत्पृथिवीयतिः I महाभिप इति ख्यातः सत्यवाक् सत्यविक्रमः II १ II

વૈશંપાયન બોલ્યા-ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામે એક સત્યવચની અને પરાક્રમી પૃથ્વીપતિ રાજા હતો,તેણે એક હજાર અશ્વમેઘ યજ્ઞો ને સો રાજસૂય યજ્ઞોથી ઇન્દ્રને પ્રસન્ન કરી સ્વર્ગલોકને પામ્યો હતો.(1-2)

કોઈ એકવાર,દેવો,બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા,ત્યારે ગંગાજી ત્યાં આવ્યાં,તે વખતે,ચંદ્રકાંતિ જેવું તેમનું વસ્ત્ર પવનથી ઉડી ગયું,તેથી દેવગણો એકદમ નીચું જોઈ ગયા,પણ મહાભિષ,ગંગાને જોઈ રહ્યા હતા,

તેમને આમ કરતા જોઈને બ્રહ્માજીએ મહાભિષને કહ્યું કે-'તું મનુષ્યલોકમાં જન્મીને,

ફરી પાછો સ્વર્ગલોકને પામીશ,હે દુર્બુદ્ધિ,જે ગંગાથી તારું મન હરાયું છે,

તે ગંગા.મનુષ્યલોકમાં તારું અપ્રિય કરશે,તને જયારે ક્રોધ ઉત્પન્ન થશે ત્યારે તું શાપ મુક્ત થશે.(3-8)

Feb 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-088

 પણ,વિચિત્રવીર્ય,અપુત્ર જ મરી ગયો,એટલે સત્યવતીએ વિચાર્યું કે વંશનો નાશ થવો ન જોઈએ,તેથી,

તેણે,(પરાશર મુનિથી થયેલા પોતાના પુત્ર) વ્યાસજીનું સ્મરણ કરી તેમને  બોલાવીને કહ્યું કે-

'તારો ભાઈ વિચિત્રવીર્ય,અપુત્ર જ સ્વર્ગવાસી થયો છે તો તું તેની સ્ત્રીમાં સારી પ્રજા ઉત્પન્ન કર'

'બહુ સારું' એમાં કહીને વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્ર,પાંડુ ને વિદુર એ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.જ્યેષ્ઠ પુત્ર 

(અંધ) ધૃતરાષ્ટ્રને ગાંધારીથી સો પુત્રો થયા,જેમાં દુર્યોધન,દુઃશાસન,વિકર્ણ અને ચિત્રસેન-મુખ્ય હતા.

Feb 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-087

 
અધ્યાય-૯૫-પૂરુવંશનું વિશિષ્ટ વર્ણન (મહાભારતનાં પાત્રો)

II जनमेजय उवाच II श्रुतस्तवतो मया ब्रह्मन् पूर्वेषां संभवो महान् I उदाराश्वापि वंशेSस्मिन् राजानो मे परिश्रुताः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,તમારી પાસેથી,મેં પૂર્વ (પૂરૂવંશના) પુરુષોની જન્મવાર્તા ને એ વંશમાં થયેલા રાજાઓ વિશે સાંભળ્યું,પણ એ આખ્યાન સંક્ષિપ્ત અર્થમાં હોઈ મને પૂરી તૃપ્તિ આપતું નથી.તો તમે મને પ્રજાપતિથી માંડીને મનુની એ દિવ્યકથા ફરીથી કહો.આ પાવનકારી કથા સાંભળતાં મને તૃપ્તિ થતી નથી (1-5)