Feb 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-106

 
અધ્યાય-૧૧૬-દુઃશલાની જન્મકથા 

II जनमेजय  उवाच II धृतराष्ट्रस्य पुत्राणामादितः कथितं त्वया I ऋषिः प्रसादात्तुशतं न च कन्या प्रकिर्तिता II १ II

જન્મેજય બોલ્યા-તે વ્યાસ ઋષિના પ્રસથી,ધૃતરાષ્ટ્રને સો પુત્રો થયા તે તમે પહેલાં કહ્યું.પણ તે વખતે કન્યા વિશે,

તમે કશું જ કહ્યું નહોતું.મહર્ષિ વ્યાસે તો કહ્યું હતું કે 'સો પુત્રોવાળી  થા' તો આ કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ?

જો મહર્ષિએ માંસપેશીના સો ભાગ જ કર્યા હોય,અને ગાંધારી,જો ફરીથી પ્રજાવતી થઇ જ ન હોય 

તો,દુઃશલાનો જન્મ કેવી રીતે થયો?તે વિશે આપ,મને યથાવત કહો,મને આ વિશે કુતુહલ થયું છે.(1-5)

Feb 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-105

અધ્યાય-૧૧૪-પાંડુનો અરણ્યનિવાસ તથા વિદુરનાં લગ્ન 


II वैशंपायन उवाच II धृतराष्ट्राम्यनुज्ञातः स्वबाहुविजितं धनम् I भीष्माय सत्यवत्यै च मात्रे चोपजहार सः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુએ,ધૃતરાષ્ટ્રની આજ્ઞા મેળવીને,પોતાના બાહુબળથી જીતેલું તે ધન,ભીષ્મ,સત્યવતી 

અને પોતાની માતાને અર્પણ કર્યું.વળી વિદુરને તથા મિત્રો સુધ્ધાંને તે ધનથી સંતુષ્ટ કર્યા.સત્યવતીએ પણ,પોતાને મળેલા ધનથી ભીષ્મ ને કૌશલ્યાને પ્રસન્ન કર્યા.તેજસ્વી પાંડુને ભેટી,માતા કૌશલ્યા અપાર આનંદ પામી.(1-4)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-104

 
અધ્યાય-૧૧૨-કુંતીની સાથે પાંડુના લગ્ન 

II वैशंपायन उवाच II सत्वरुपगुणोपेता धर्मारामा महाव्रता I दुहिता कुन्तिभोजस्य पृथा पृथुललोचना II १ II

કુંતીભોજની વિશાળ નેત્રવાળી પુત્રી પૃથા (કુંતી),મહાવ્રતીની અને સત્વ,રૂપ ને ગૂંથી સંપન્ન હતી.ને 

આ યૌવનવંતી કન્યાને કેટલાયે રાજાઓએ પ્રાર્થી (ઈચ્છી) હતી.કુંતીભોજે,તેનો સ્વયંવર રચાવ્યો હતો,

તે સ્વયંવરમાં,કુંતીએ રાજાઓમાં સિંહ જેવા,વિશાલ છાતીવાળા,બીજા ઈન્દ્રની જેમ વિરાજેલા,

પાંડુને જોયા,ને તે હૃદયથી વ્યાકુળ થઇ,કુંતીના અંગમાં અનગ વ્યાપ્યો,

ને શરમાતાં શરમાતાં,તેણે,રાજા પાંડુના ગળામાં હાળમાળા પહેરાવી દીધી.(1-8)

Feb 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-103


 અધ્યાય-૧૧૧-કર્ણનો જન્મ 

II वैशंपायन उवाच II शूरो नाम यदुश्रेष्ठो वसुदेवपिताSभवत् I तस्य कन्या पृथा नाम रूपेणाप्रतिमाSभुपि II १ II

યદુઓમાં શ્રેષ્ઠ એવા શૂરસેન નામે વસુદેવના પિતા હતા.તેમને પૃથ્વીમાં અજોડ રૂપવાળી પૃથા નામે એક કન્યા હતી.તેણે પોતાના,સંતાનવિહીન ફોઈના છોકરા કુંતીભોજને પોતાનું પહેલું બાળક આપવાની અગાઉથી 

પ્રતિજ્ઞા કરી હતી,તેથી તે સત્યવાદી શૂરસેને પોતાની પહેલી કન્યા પૃથાને કુંતીભોજને આપેલી.(1-3)