Mar 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-115

 
અધ્યાય-૧૨૬-પાંડવો હસ્તિનાપુરમાં 

II वैशंपायन उवाच II पाण्डोरूपमं द्रष्ट्वा देवकल्पा महर्षयः I ततो मंत्रविदः सर्वे मन्त्रायाश्चक्रिरे प्रिथः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુનું મૃત્યુ થયેલું જોઈને દેવ જેવા મંત્રવેત્તા મહર્ષિઓએ અંદરઅંદર મંત્રણા કરી કે-

'આ મહાયશસ્વી મહાત્મા પાંડુ,રાજ્ય ને રાષ્ટ્ર છોડીને,અહીં શરણ પામ્યા હતા.ને હવે,તે પોતાની પત્ની 

અને પુત્રોને અહીં,થાપણ તરીકે સોંપીને સ્વર્ગે ગયા છે,માટે એ મહાત્માના પુત્રો,પત્ની અને 

તેમના દેહાવશેષને,તેમના રાજ્યમાં પહોંચાડવા એ જ આપણો ધર્મ છે.(1-4)

Mar 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-114

 
અધ્યાય-૧૨૫-પાંડુરાજાનું અવસાન 

II वैशंपायन उवाच II दर्शनीयांस्ततः पुत्रान् पाण्डुः पश्च महावने I तानु पश्यन् पर्वते रम्ये स्वबाहुबलमाश्रितः II १ II

વૈશંપાયન બોલ્યા-પોતાના પાંચ દર્શનીય પુત્રોને જોતા,પાંડુરાજા,પોતાના બાહુબલને આશ્રિત રહીને,

તે રમ્ય પર્વતના મહાવનમાં રહેતા હતા.એક વાર,વસંત કાળમાં તે પોતાની પત્ની માદ્રી સાથે તે વનમાં ફરી 

રહ્યા હતા.પુષ્પો,વૃક્ષો,જળાશયો તેમ જ પદ્મિણીઓ આદિથી શોભી રહેલા,વનને જોઈને,પાંડુમાં કામવિકાર 

થયો.ને ત્યારે પ્રસન્ન મનથી પોતાને અનુસરી રહેલી,ને શુભ,સૂક્ષ્મ વસ્ત્રથી ઝગી રહેલી,માદ્રીને જોતાં,

જેમ,ગહન વનમાં દવ ફાટી નીકળે તેમ,રાજાનો કામ ભભૂકી ઉઠ્યો.(1-6)

Mar 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-113

 
અધ્યાય-૧૨૪-નકુલ અને સહદેવનો જન્મ 

II वैशंपायन उवाच II कुंतीपुत्रेषु जातेषु धृतराष्ट्रात्मजेषु च I मद्रराजसुता पांडु रहो वचनमव्रवित II १ II

વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મતાં,માદ્રીએ,પાંડુને એકાંતમાં આ વચન કહ્યું કે-

હે પરંતપ,તમે પુત્રોત્પાદન માટે અસમર્થ થયા છે,તેનો મને સંતાપ નથી,કે કુંતીથી હું અશ્રેષ્ઠ રહું છું,તેનો 

પણ મને ખેદ નથી,ગાંધારીને સો પુત્રો થયા તેનું પણ મને દુઃખ થતું નથી,તેમ છતાં,મને વાંઝિયાપણું રહ્યું છે,

તેનું મને મહાદુઃખ છે.હવે કુંતીને ય સંતતિ છે,તો તે મને પણ સંતતિ થાય,એવું કરે તો મારા પર કૃપા થશે.

ને તમારું પણ હિત થશે.કુંતી શોક્ય હોવાથી હું તેને કહેતાં અકળાઉં છું,

પણ જો તમે મારા પર પ્રસન્ન હો તો,તમે પોતે જ કુંતીને પ્રેરો (કે જેથી તે મને મંત્રદાન કરે)(1-6)

Mar 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-112

 
અધ્યાય-૧૨૩-કુંતીપુત્રોની ઉત્પત્તિ 

II वैशंपायन उवाच II संवत्सरवृते गर्भे गान्धार्या जनमेजय I आह्वयामास वै कुंती गर्भार्थे धर्ममच्युतम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,ગાંધારીને ગર્ભ ધર્યાને જયારે એક વર્ષ થયું હતું,ત્યારે કુંતીએ,ગર્ભને માટે અવિનાશી ધર્મરાજનું આવાહન કર્યું.તે દેવીએ વિધિપૂર્વક,પૂર્વે દુર્વાસા મુનિએ આપેલ મંત્રનો જાપ કરવા માંડ્યો,

મંત્રના બળથી ધર્મદેવ વિમાનમાં બેસી ત્યાં આવ્યા અને કુંતીને પૂછ્યું કે-'તને હું શું આપું?'

Mar 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-111

 
અધ્યાય-૧૨૨-કુંતીને પુત્રોત્પત્તિની આજ્ઞા 

II वैशंपायन उवाच II एवमुक्त स्तया राजा तां देवीं पुनरन्नवीत I धर्मविद्वर्मसंयुक्तमिदं वचनमुतमम II १ II

વૈશંપાયન બોલ્યા-કુંતીએ આમ કહ્યું એટલે રાજાએ કુંતીને ધર્મયુક્ત ઉત્તમ વચન કહ્યાં.

પાંડુ બોલ્યા-પૂર્વે,વ્યુષિતાશ્વે,તેં કહ્યું તે જ પ્રમાણે કર્યું હતું.કેમ કે તે દેવતુલ્ય હતો.હવે,તું.ધર્મજ્ઞ અને 

મહાત્મા ઋષિઓએ જે પુરાતન ધર્મતત્વ જોયું હતું,તે સાંભળ.હે સુવદના,કહે છે કે-પૂર્વે સ્ત્રીઓને 

કોઈ જાતનું બંધન નહોતું.ઈચ્છા પ્રમાણે ઘૂમનારી ને વિહાર કરનારી તે સ્ત્રીઓ સ્વતંત્ર હતી.(1-4)