અધ્યાય-૧૩૮-દ્રુપદનો પરાજય ને અર્જુને આપેલી ગુરુદક્ષિણા
II वैशंपायन उवाच II पाण्डवान धार्तराष्ट्राश्च कृतास्त्रान्प्रसमीक्ष्य सः I गुर्वर्थ दक्षिणाकाले प्राप्तेSमन्यत वै गुरुः II १ II
વૈશંપાયન બોલ્યા-પાંડવો ને ધાર્તરાષ્ટ્રો (કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિપુણ થયેલા જોઈને,દ્રોણે 'ગુરુદક્ષિણાનો સમય હવે આવ્યો છે' તેમ વિચાર્યું,એટલે તેમણે સર્વ શિષ્યોને ભેગા કરીને કહ્યું કે-'હે કુમારો,તમારું કલ્યાણ થાઓ,
તમારી પાસેથી ગુરુદક્ષિણામાં હું એટલું જ ઈચ્છું છું કે-તમે પાંચાલરાજ દ્રુપદને,રણમાં જીતીને પકડી લાવો'(1-3)