May 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-186

 
રાજ્યલંભ પર્વ 

અધ્યાય-૨૦૭-ઈંદ્રપ્રસ્થનું નિર્માણ 

II द्रुपद उवाच II एवमेतन्ममहाप्राज्ञ यथास्थ विदुराद्य माम् I ममापि परमो हर्षः संबन्धेSस्मिन् कृते प्रभो II १ II

દ્રુપદ બોલ્યો-હે મહામતિ વિદુર,તમે આજે જે મને કહો છો તે તેમ જ છે.આ સંબંધ થવાથી મને પણ પરમહર્ષ 

થયો છે.આ મહાત્માઓને પોતાના નગર હસ્તિનાપુર જવું એ ઘણું યોગ્ય છે.પણ હું મારા મુખથી 

એ કહું તે ઉચિત નથી.કેમ કે ધર્મજ્ઞ બલરામ અને શ્રીકૃષ્ણની પણ સલાહ ને આજ્ઞા લેવી યોગ્ય છે,

કેમ કે તેઓ પાંડવોના હિતમાં તત્પર છે,તેઓ પણ અનુમતિ આપે તો તેઓ ભલે જાય.(1-4)

May 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-185

અધ્યાય-૨૦૬-વિદુર અને દ્રુપદનો સંવાદ 

II धृतराष्ट्र उवाच II भीष्मः शांतन्वो विद्वान द्रोणश्च भगवानृपि: हितं च परमं वाक्यं त्वं च सत्यं ब्रवीपि माम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-વિદ્વાન શાંતનુપુત્ર ભીષ્મે તથા ભગવાન દ્રોણે જે વચન મને કહ્યું છે તે પરમહિતકારી છે.

હે વિદુર,તું પણ મને સત્ય કહે છે,પાંડુના પુત્રો,પણ નિઃસંશય ધર્મથી મારા પુત્રો છે.

જેમ,મારા પુત્રો આ રાજ્યના અધિકારી છે તેમ,પાંડુપુત્રો પણ તેના અધિકારી છે.

હે વિદુર તું જા,તે પાંડવોને તેમની માતાને તથા કૃષ્ણાને અહીં સત્કારપૂર્વક લઇ આવ.

May 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-184

અધ્યાય-૨૦૫-વિદુરનો ઉપદેશ 

II विदुर उवाच II राजन्निःसंशयं श्रेयो वाच्यस्त्वमासि बान्धवैः I नत्वशुश्रुषमाणे वै वाक्यं संप्रतितिष्ठति II १ II

વિદુર બોલ્યા-હે મહારાજ,નિઃસંશય,બાંધવોએ (મારે) તમને હિતકારી વચન કહેવાં જોઈએ.પણ જો તે તમે નહિ સાંભળો,તો તે જોઈ ઉપયોગમાં આવે નહિ.ભીષ્મે અને દ્રોણે,હિતકારી વચનો કહ્યાં છે,પણ કર્ણ તેને હિતકારી હોવાનું માનતો નથી.હે રાજન,વિચાર કરવા છતાં,મને એ સમજાતું નથી કે-આ બે પુરુષસિંહો કરતાં,તમારે બીજો તો કયો શ્રેષ્ઠ મિત્ર છે ? અથવા તો તેમનાથી બુદ્ધિમાં બીજો કોણ અધિક હોઈ શકે છે? હે રાજા,આ બંને,વયમાં,બુદ્ધિમાં ને વિદ્યામાં વૃદ્ધ છે ને તમારા ને પાંડવોમાં તેમનો સમભાવ છે.(1-5)

May 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-183

 
અધ્યાય-૨૦૩-ભીષ્મનો ઉપદેશ 

II भीष्म उवाच II न रोचते विग्रहो मे पाण्डुपुत्रैः कथंचन I यथैव धृतराष्ट्रो मे तथा पाण्डुरसंशयम् II १ II

ભીષ્મ બોલ્યા-પાંડુપુત્રો સાથે મને કોઈ પણ રીતે વિગ્રહ રુચતો નથી.જેમ,ધૃતરાષ્ટ્ર મારો છે,તેમ પાંડુ પણ મારો છે.

જેમ,ગાંધારીપુત્રો મારા છે તેમ,કુંતીપુત્રો પણ મારા છે.મારે તે બંનેને રક્ષવાના છે.હે રાજા,તેઓ જેમ મારા છે તેમ,તેઓ તારા,દુર્યોધનના અને અન્ય કુરુઓના છે.ને તેથી જ તેમની સાથે વિગ્રહ કરવો યોગ્ય નથી.

તે વીરો સાથે સંધિ કરીને તેમને અડધું રાજ્ય આપો કેમ કે આ રાજ્ય તેમના પણ બાપદાદાઓનું છે.

May 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-182

 
અધ્યાય-૨૦૨-કર્ણે,યુદ્ધ કરવાની સલાહ આપી 

II कर्ण उवाच II दुर्योधन तव प्रज्ञा न सम्यगिति मे मतिः I न उपायेन ते शक्याः पाण्डवाः कुरुवर्धन II १ II

કર્ણ બોલ્યો-હે દુર્યોધન,મારો એવો મત છે કે-તારી સમજ બરાબર મને બરાબર લગતી નથી.પાંડવો આ ઉપાયોથી

અધીન થાય તેમ નથી.કેમ કે પહેલાં પણ આવા ઉપાયોથી તેમને વશ કરવાના પ્રયત્નો થયા હતા.તેઓ અહીં,

તારી સમીપમાં હતા,પક્ષ વિનાના હતા ને બાળક અવસ્થામાં હતા,છતાં,તેમને કોઈ બાધ કરી શકાયો નહોતો.

ને હવે જયારે તેમનો પક્ષ થયો છે,તેઓ વિદેશમાં છે ને સર્વ રીતે વૃદ્ધિ પામ્યા છે,

ત્યારે તે આવા ઉપાયોથી વશ થાય તેમ નથી,એવી મારી અટલ માન્યતા છે.