May 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-195

અધ્યાય-૨૧૮-અર્જુનનું દ્વારકામાં આગમન 

II वैशंपायन उवाच II सोSपरांतेपु तीर्थानि पुण्यान्यायतनानि च I सर्वाण्येवानुपूर्व्येण जगामामितविक्रम II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે અમાપ પરાક્રમી અર્જુન,પશ્ચિમ સમુદ્રને તીરે આવેલાં સર્વ તીર્થો ને પુણ્યસ્થાનોમાં ક્રમપૂર્વક ફરતાં ફરતાં તે પ્રભાસતીર્થે આવ્યો.મધુસુદન શ્રીકૃષ્ણે,જયારે સાંભળ્યું કે-અર્જુન પ્રભાસતીર્થ આવ્યો છે ત્યારે તે અર્જુનને મળવા આવ્યા ને અર્જુનને મળીને,ભેટીને પરસ્પર કુશળ પૂછીને,તે બે મિત્રો તે વનમાં બેઠા.

વાસુદેવે અર્જુનને,તેના પ્રવાસનું કારણ પૂછ્યું ત્યારે અર્જુને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો.

તે સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'તેં કર્યું તે બરાબર જ છે ને એમ જ થવું જોઈએ' (1-7)

May 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-194

 
અધ્યાય-૨૧૬-વર્ગા અપ્સરાની શાપમુક્તિ 

II वैशंपायन उवाच II ततः समुद्रे तीर्थानि दक्षिणे भरतर्पम: I अभ्यगच्छत्सुपुण्यामि शोभितानि तपस्विमिः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભારતવંશમાં શ્રેષ્ઠ એવો તે અર્જુન,તપસ્વીઓથી શોભતા દક્ષિણ સમુદ્ર પરનાં પુણ્યતીર્થોમાં ગયો.ત્યાં અગસ્ત્ય,સૌભદ્ર,પૌલોમ,કારંધમ,ને ભારદ્વાજ નામના પાંચ તીર્થોનાં તેણે દર્શન કર્યાં.

જો કે આ તીર્થો તપસ્વીઓથી ત્યજાયેલાં હતાં,એટલે અર્જુને ત્યાં હાજર રહેલ કોઈ સાધુને પૂછ્યું કે-

'હે બ્રહ્મવાદી,તપસ્વીઓ આ તીર્થનો ત્યાગ કેમ કરે છે?' ત્યારે તેણે કહ્યું કે-આ તીર્થોમાં પાંચ મોટા મગરમચ્છો 

રહે છે અને તે તપસ્વીઓને ખેંચી જાય છે એટલે તપસ્વીઓ આ તીર્થમાં રહેતા નથી' (1-6)

May 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-193

 
અધ્યાય-૨૧૫-અર્જુનનાં ચિત્રાંગદા સાથે લગ્ન 

II वैशंपायन उवाच II कथयित्वा च तत्सर्वं ब्राह्मणेभ्य: स भारत I प्रपयौ हिमवत्पार्श्वं ततो वज्रधरात्मजः II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુને તે બધી વાત બ્રાહ્મણોને કહી સંભળાવી અને પછી,ત્યાં અગસ્ત્ય વટ આગળ જઈને વસિષ્ઠ પર્વત પર ગયો ને ભૃગુતુંગ (તુંગનાથ)માં જઈ પહોંચ્યો.હિરણ્યતીર્થમાં સ્નાન કરીને,તેણે અનેક પુણ્યસ્થાનોનાં દર્શન કર્યા ને પછી બ્રાહ્મણોની સાથે તે ,એ સ્થાનોમાંથી નીચે ઉતરી પૂર્વ તરફ ચાલ્યો.

ને તેણે નૈમિષારણ્ય તરફ વહેતી ઉત્પલીની,નંદા,અપરનંદા,યશસ્વિની,કૌશિકી.મહાનદી-આદિનાં દર્શન કર્યા.

આમ સર્વ તીર્થો તથા આશ્રમોના દર્શન કરીને તેણે બ્રાહ્મણોને ગાયોનું દાન આપ્યું.(1-8)

May 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-192

અધ્યાય-૨૧૪-અર્જુન અને ઉલૂપીનો મેળાપ 


II वैशंपायन उवाच II तं प्रयान्तं महाबाहु कौरवाणां यशस्करं I अनुजग्मुर्महात्मानो ब्राह्मणा वेदपारगा II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,કૌરવ વંશનો યશ વધારવાવાળો અર્જુન જયારે ત્યાંથી જવા લાગ્યો ત્યારે,

તેની સાથે વેદજ્ઞ મહાત્મા બ્રાહ્મણો પણ તેની સાથે જવા લાગ્યા.વળી,આધ્યાત્મચિંતન કરવાવાળા,ભિક્ષાચારી બ્રહ્મચારી,ભગવદ્ભક્ત,પુરાણોના જ્ઞાતા સૂત,કથાવાચક,સન્યાસી,વાનપ્રસ્થ વગેરે પણ તેની સાથે ગયા.(1-3)

May 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-191

 

અધ્યાય-૨૧૨-સુંદ-ઉપસુંદનું મૃત્યુ 


II नारद उवाच II जित्वा तु पृथिवीं दैत्यो निःसप्तनौ गतव्यथौ I कृत्वा त्रैलोक्यमव्यग्नं कृतकृत्यो बभूवतुः II १ II

નારદ બોલ્યા-સમસ્ત પૃથ્વીને જીતી લઈને,ને ત્રણે લોકને એકસરખાં હથેળીમાં લઈને,તે બંને દૈત્યો શત્રુરહિત અને ચિંતામુક્ત થયા ને પોતાને કૃતાર્થ માનવા લાગ્યા.દેવો,ગંધર્વો,યક્ષો,નાગો,રાજાઓ ને રાક્ષસો પાસેથી સર્વ રત્નો પોતાને ત્યાં લાવીને તેઓ પરમ સંતોષ પામતા હતા.હવે કોઈ પણ તેમને વ્યથા કરનારો રહ્યો નહોતો એટલે તે બંને  નિરઉદ્યોગી રહી દેવોની જેમ વિહરવા લાગ્યા.સ્ત્રીઓ,ફુલમાળાઓ,સુગંધી દ્રવ્યો,પુષ્કળ ભક્ષ્યો-ને ભોજ્યો તથા 

મનગમતાં પીણાઓથી તેઓ પરમ પ્રીતિ મેળવતા હતા.ને દેવોની જેમ જ ઉદ્યાનોમાં,પર્વતોમાં,વનોમાં તથા ઈચ્છા પ્રમાણે અનેક જુદા જુદા પ્રદેશોમાં મનમાન્યો વિહાર કરતા હતા.(1-5)