Jun 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-852

 

અધ્યાય-૪-પૃથ્વીના ગુણોનું વર્ણન 


II वैशंपायन उवाच II एवमुक्त्वा ययौ व्यासो धृतराष्ट्राय धीमते I धृतराष्ट्रो पितच्छ्रुत्वा ध्यानमेवान्वपद्यत II १ II

વૈશંપાયને કહ્યું-બુદ્ધિમાન ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહીને વ્યાસજી ચાલ્યા ગયા,પછી,ધૃતરાષ્ટ્રે બે ઘડી વિચાર કરીને નિસાસા નાખીને સંજયને પૂછ્યું કે-હે સંજય,યુદ્ધને અભિનંદન આપનારા આ શૂરા રાજાઓ,પૃથ્વીનું ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાથી એકબીજાને સાંખી શકતા નથી અને શસ્ત્રો વડે એકબીજાનો નાશ કરે છે,એ ઉપરથી હું માનું છું કે પૃથ્વીમાં બહુ ગુણો રહેલા છે,તું મને તે પૃથ્વીના ગુણો કહે.હમણાં આ કુરુજાંગલ દેશમાં,જુદાજુદા દેશદેશથી ને નગરોથી આવેલા વીર પુરુષોના દેશોના ને નગરોના વાસ્તવિક માપને હું સાંભળવાની ઈચ્છા રાખું છું.તું વ્યાસના પ્રભાવથી દિવ્યદૃષ્ટિ યુક્ત થયો છે,તો તે મને કહે.

Jun 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-851

 

અધ્યાય-૩-દુર્નિમિત્ત કથન 


II व्यास उवाच II खरा घोषु प्रजायंते रमन्ते मातृभिः सुताः I अनार्तवं पुष्पफ़लम् दर्शयति वनद्रुमाः II १ II

વ્યાસે કહ્યું-ગાયોમાં ગધેડાઓ ઉત્પન્ન થાય છે,પુત્રો માતાની સાથે રમણ કરે છે અને વનનાં વૃક્ષો વગર ઋતુએ પુષ્પો ને ફળો આપે છે.ગર્ભિણી અને વાંઝણી સ્ત્રીઓ પણ મહા ભયાનક પ્રજાઓને જન્મ આપે છે.માંસાહારી પ્રાણીઓ,પક્ષીઓની સાથે બેસીને ખાય છે.વિચિત્ર અને અનેક ઇન્દ્રિયોવાળાં પશુઓ જન્મે છે.ત્રણ પગવાળા મોર તથા ચાર દાઢ અને શિંગડાંવાળા ગરુડો ઉત્પન્ન થાય છે અને તેઓ મોઢાં પહોળાં કરીને અશુભ વાણી બોલ્યા કરે છે.(4)

Jun 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-850

 

અધ્યાય-૨-વ્યાસદર્શન અને દુશ્વિહ્ન કથન 


II वैशंपायन उवाच II ततः पूर्वापरे सैन्ये समीक्ष्य भगवानृपि: I सर्ववेदविदां श्रेष्ठो व्यासः सत्यवतीसुतः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,પૂર્વ અને  પશ્ચિમમાં ગોઠવાયેલાં તે બંને પક્ષોનાં સૈન્યોને જોઈને,સર્વ વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ,ભારતોના પિતામહ,સત્યવતીના પુત્ર ને ભૂત,ભવિષ્ય વર્તમાનને જાણનારા વ્યાસ ઋષિ,તે વખતે પુત્રોના અન્યાયનો વિચાર કરતા,શોક ને દુઃખી થયેલા,વિચિત્રવીર્યના પુત્ર ધૃતરાષ્ટ્રને મળ્યા ને રહસ્યયુક્ત વચનો કહેવા લાગ્યા કે-હે રાજા,તારા પુત્રોનો તથા બીજા રાજાઓનો કાળ બદલાયો છે.તેઓ સંગ્રામમાં સામસામે આવીને,પરસ્પરનો નાશ કરશે જ.તેઓ મૃત્યુના ઝપાટામાં આવી પડ્યા છે,ને અવશ્ય નાશ પામશે.માટે કાળનું વિપરીતપણું જાણીને તું મનમાં શોક કરીશ નહિ.તું યુદ્ધ જોવા ઈચ્છતો હોય તો હું તને ચક્ષુ આપું,કે જેથી તું આ યુદ્ધને પ્રત્યક્ષ જોઈ શકીશ.(6)

Jun 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-849

 

૬-ભીષ્મ પર્વ 

જંબુખંડ વિનિર્મણ પર્વ 

અધ્યાય-૧-યુદ્ધનિયમ 


II मंगल श्लोक II नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II II १ II

શ્રી નારાયણને,નરોત્તમ એવા નર ભગવાનને અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

તે પછી,જય (મહાભારત) નામધારી ભારતાદિક ગ્રંથનો પ્રારંભ કરવો.

Jun 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-848

 

અધ્યાય-૧૯૬-પાંડવસેના રણભૂમિ પર આવી 


II वैशंपायन उवाच II तथैव राजा कौन्तेयो धर्मपुत्रो युधिष्ठिरः I ध्रुष्ट्ध्युम्न मुखान्विरांश्चोदयामास भारत II १ II

વૈશંપાયને કહ્યું-તે જ પ્રમાણે,કુંતી અને ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજાએ ધૃષ્ટદ્યુમ્ન વગેરે વીરોને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.ચેદિ,કાશી ને કુરુષ દેશોની સેનાના નેતા,ધૃષ્ટકેતુ,વિરાટ,દ્રુપદ,સાત્યકિ,શિખંડી તથા યુધામન્યુ ને ઉત્તમૌજાને રણભૂમિ પર જવાની સૂચના કરી.પછી,સર્વ સેનાનો યથાયોગ્ય સત્કાર કરીને તેને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.યુધિષ્ઠિરે તે સર્વના માટે ઉત્તમ ખાવાના પદાર્થોની વ્યવસ્થા કરી દીધી હતી.પછી,યુધિષ્ઠિરે,સેનાના પ્રથમ વિભાગમાં,ધૃષ્ટદ્યુમ્નને આગળ કરી,અભિમન્યુ,બૃહન્ત અને દ્રૌપદીના પાંચ પુત્રોને વિદાય કર્યા.બીજા સૈન્ય વિભાગમાં ભીમસેન,યુયુધાન ને અર્જુનને મોકલ્યા.ને બાકી રહેલા રાજાઓ તથા વિરાટ અને દ્રુપદને લઈને યુધિષ્ઠિર પોતે રણભૂમિ પર જવા નીકળ્યા.

Jun 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-847

 

અધ્યાય-૧૯૫-કૌરવસેના રણભૂમિ પર આવી 


II वैशंपायन उवाच II ततः प्रभाते विमले धार्तराष्ट्रेण चोदिताः दुर्योधनेन राजानः प्रययुः पांडवान्प्रति II १ II

વૈશંપાયને કહ્યું-પછી,નિર્મળ પ્રભાત થતાં,ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનને આગળ કરી,તેના પક્ષના રાજાઓ પાંડવો પર ચડાઈ કરવા નીકળ્યા.તેઓએ સ્નાન કરી શુદ્ધ થઇ,શ્વેત વસ્ત્રો ને પુષ્પમાળાઓ ધારણ કરી,સ્વસ્તિવાચન ભણાવી,અગ્નિમાં હોમ કરીને શસ્ત્રો તથા ધજાઓ ગ્રહણ કર્યાં હતાં.પ્રથમ,અવંતિના વિંદ-અનુવિંદ અને બાહલીકની સાથે કેકયો-એ સર્વે દ્રોણાચાર્યને આગળ કરીને નીકળ્યા.તેમની પાછળ,અશ્વસ્થામા,જયદ્રથ,શકુનિ,ચારે દિશાના રાજાઓ,શકો,કિરાતો,યવનો,શિબીવંશના રાજાઓ વગેરે પોતપોતાના સૈન્યની સાથે મહારથી ભીષ્મને વીંટાઇને નીકળ્યા.તેઓની પાછળ,કૃતવર્મા,ત્રિગર્ત,ભાઈઓથી વીંટાયેલો દુર્યોધન,શલ,ભૂરિશ્રવા,શલ્ય,બૃહદ્રથ આદિ નીકળ્યા અને કુરુક્ષેત્રના મેદાનમાં વ્યૂહ રચના મુજબ આવી પહોંચ્યા.