Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આત્મા માં –દૃશ્ય-નો –લય કરવાની રીત
“હું દેહ નથી,પ્રાણ નથી,ઇન્દ્રિયો નો સમુદાય નથી,અહંકાર નથી,મન નથી કે બુદ્ધિ પણ નથી,
પણ,તેઓની તથા,તેમના વિકારોની –અંદર –સાક્ષી તરીકે રહેનારો પ્રત્યગાત્મા (આત્મા) જ છું” (૮૩૫)

“હું વાણી નો સાક્ષી,પ્રાણ ની વૃત્તિઓનો સાક્ષી,બુદ્ધિ નો સાક્ષી,બુદ્ધિની વૃત્તિઓ નો સાક્ષી,
ચક્ષુ-વગેરે ઇન્દ્રિયો નો સાક્ષી છું,નિત્ય છું,પ્રત્યગાત્મા (આત્મા) જ છું” (૮૩૬)

હું સ્થૂળ નથી સૂક્ષ્મ નથી,લાંબો-ટૂંકો,બાળક-યુવાન-વૃદ્ધ,કાણો-મૂંગો કે નપુંસક નથી,
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું.  (૮૩૭)

હું આવનારો કે જનારો નથી,હણનારો કે કરનારો નથી,પ્રયોગ કરનાર જે જોડનાર  નથી,
બોલનાર કે ભોગવનાર નથી,સુખી કે દુઃખી નથી.
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું. (૮૩૮)

હું યોગી કે વિયોગી નથી,રાગી,ક્રોધી,કામી કે લોભી નથી,બંધાયેલો નથી,કોઈની સાથે જોડાયેલો નથી કે
કોઈથી છુટો થયેલો નથી-- હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું. (૮૩૯)

હું અંદરના જ્ઞાનવાળો  કે બહારના જ્ઞાનવાળો નથી,ઘણો જ્ઞાની કે ઘણો અજ્ઞાની પણ નથી,
હું સાંભળનારો,મનન કરનારો કે બોધ પામનારો પણ નથી,
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું.   (૮૪૦)

મને દેહ,ઇન્દ્રિયો કે બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી,મારામાં પુણ્ય નો કે પાપનો લેશ-પણ અંશ નથી,
ક્ષુધા-તૃષા-વગેરે છ ઉર્મિઓથી હું દૂર છું,સદા અતિશય મુક્ત છું,અને કેવળ ચૈતન્ય સ્વરૂપ છું.(૮૪૧)

મને હાથ નથી,પગ નથી,વાણી નથી,ચક્ષુ નથી,પ્રાણ-મન-બુદ્ધિ નથી,હું તો આકાશ જેવો પૂર્ણ છું,
અતિશય નિર્મળ છું,સદા એક-રૂપ છું,અને કેવળ ચૈતન્ય સ્વરૂપ જ છું.(૮૪૨)

એમ પોતાના આત્મા ના દર્શન કરતો અને જણાતા સર્વ પદાર્થો નો લય પમાડતો જ્ઞાની,
શરીર –આદિ ને આત્મા-માની લેવા-રૂપ-વિપરીત (વિરુદ્ધ) ભાવનાનો ત્યાગ કરે છે,
કે જે ભાવના સ્વાભાવિક ભ્રાંતિ થી જ જણાયેલી હોય છે.  (૮૪૩)

દેહાદિ-થી વિપરીત –આત્માના સ્વ-રૂપ નો જે પ્રકાશ થવો-એ જ-“મુક્તિ” કહેવાય છે.
આ મુક્તિ સદા સમાધિમાં જ રહેનારા મનુષ્ય ને જ સિદ્ધ થાય છે,બીજી કોઈ રીતે નહિ (૮૪૪)

કેવળ અખંડ ચિદાત્મા-રૂપે જે સ્થિતિ છે-એ જ મુક્તિ છે.
આત્મા ની એ મુક્તિ જુદા-જુદા વેશ અથવા ભાષાઓથી થતી નથી.પણ-
એ મુક્તિને માટે તો પોતાના આત્મ-સ્વરૂપ માં જ સદા સ્થિતિ કરવી જોઈએ.
અને અહંતા-મમતા (અહંકાર અને આસક્તિ) નો ત્યાગ કરવો જોઈએ. (૮૪૫)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE