SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 13, 2026
ભાગવત રહસ્ય-૧૪૭-Bhgavat Rahasya-147
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1129
અધ્યાય-૧૩૩-ભીમ અને કર્ણનું યુદ્ધ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II अत्यद्भुत्महं मन्ये भीमसेनस्य विक्रमम् I यत्कर्ण योधयामास समरे लघुविक्रमम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'ભીમસેનના પરાક્રમને હું અદભુત માનું છું કારણકે તેણે યુદ્ધમાં શીઘ્ર પરાક્રમી કર્ણની સામે અતિ મહાન યુદ્ધ કર્યું હતું.અરે,દેવો,યક્ષો,અસુરો અને મનુષ્યોને પણ રણમાં અટકાવી રાખે તેવો કર્ણ,ભીમસેનને તે સંગ્રામમાં કેવી રીતે તરી ગયો નહિ?તે બંનેના પ્રાણદ્યુતમાં કેવી રીતનું યુદ્ધ થયું હતું? હું માનું છું કે આ યુદ્ધમાં જ જય ને પરાજયનો મુખ્ય આધાર રહેલો છે.મારો પુત્ર દુર્યોધન,કર્ણને લઈને જ આ યુદ્ધમાં જીતવાનો ઉત્સાહ ધરાવે છે,પણ આ કર્ણને વારંવાર પરાજય પામેલો જોઈને મને મૂંઝવણ થાય છે.અરેરે,દુર્યોધનની દુષ્ટ નીતિને પરિણામે જ કૌરવોનો વિનાશ થઇ રહ્યો છે એમ હું માનું છું.
May 12, 2026
ભાગવત રહસ્ય-૧૪૬-સ્કંધ-૬-Bhgavat Rahasya-146-Skandhh-6
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1128
અધ્યાય-૧૩૨-ભીમ અને કર્ણનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II स्वयं शिष्यो महेशस्य भुगुत्तमधनुर्धरः I शिष्यत्वं प्राप्तवान कर्णस्तस्य तुल्योस्त्र विद्यया II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-મહેશ્વરના શિષ્ય અને ભૃગુઓના ઉત્તમ ધનુર્ધર એવા પરશુરામનો,કર્ણ શિષ્ય છે અને અસ્ત્રવિદ્યામાં લગભગ તેમના સરખો જ છે.છતાં ભીમસેને તેને લીલામાત્રમાં કેમ જીતી લીધો? જે કર્ણ પર મારા પુત્રોની મહાન વિજયાશા અવલંબી રહી છે તે કર્ણને ભીમથી પરાજય પામેલો જોઈને દુર્યોધન શું બોલ્યો હતો?કર્ણે પછી શું કર્યું હતું? તે તું મને કહે.





