SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 24, 2026
ભાગવત રહસ્ય-૧૭૭-Bhgavat Rahasya-177
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1158
અધ્યાય-૧૬૦-અશ્વત્થામાનું પરાક્રમ
II संजय उवाच II दुर्योधनेनैवविमुक्ते द्रोणिराहवदुर्मदः I चकारारिवधे यत्नमिन्द्रो दैत्यवधे यथा II १ II
સંજય બોલ્યો-દુર્યોધને જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે ઇન્દ્રે જેમ દૈત્યોનો વધ કરવા યત્ન કર્યો હતો તેમ,તે યુદ્ધદુર્મદ અશ્વત્થામાએ શત્રુઓનો વધ કરવા તૈયાર થઈને દુર્યોધને કહ્યું કે-'હે કુરુરાજ,તું કહે છે તે સત્ય છે કે મને અને મારા પિતાને પાંડવો નિત્ય પ્રિય છે,ને તેમને પણ અમે બંને પ્રિય છીએ,છતાં યુદ્ધ વખતે અમે પરસ્પરની પ્રીતિ જાળવતા નથી ને બાણોની પર્વ કરવા વિના અમારી શક્તિ અનુસાર યુદ્ધ કરીએ છીએ.અત્યારે જો હું,કૃપાચાર્ય,શલ્ય,કર્ણ અને હાર્દિકય-આદિ આ યુધ્ધમાં ન હોઈએ તો પાંડવો આપણી સેનાને એક અર્ધ નિમેષ જેટલા સમયમાં જ સંહારી નાખે તેમ છે.પણ પાંડવો સામે અમારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીએ છીએ અને તેથી તેજ સામે તેજ આવીને શાંત થઇ જાય છે.આ વાત હું તને સત્ય જ કહું છું કે-જ્યાં સુધી પાંડવો જીવતા છે ત્યાં સુધી આ પાંડવી સેનાનો અતિબળથી પણ પરાજય કરી શકાય તેમ નથી.
Jun 23, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1157
અધ્યાય-૧૫૯-કર્ણને પોતાના અભિમાનનું મળેલું ફળ
II संजय उवाच II तथा परुषितं द्रष्ट्वा सूतपुत्रेण भातुलम I खडगमुद्यम्य वेगेन द्रौणिरम्यपतद् द्रुतम् II १ II
સંજય બોલ્યો-સૂતપુત્ર કર્ણે આ પ્રમાણે કઠોર વચનો કહીને પોતાના મામાનો તિરસ્કાર કર્યો તે જોઈને અશ્વત્થામા હાથમાં તલવાર ઊંચી કરીને વેગપૂર્વક કર્ણ સામે ધસ્યો.ને તેને કહેવા લાગ્યો કે-'ઓ નરાધમ,મારા શૂરા મામા અર્જુનના સત્ય ગુણોનું કથન કરે છે ત્યારે તું દ્વેષને લીધે તેમનો તિરસ્કાર કરે છે.તું જાણે સર્વ લોકમાં એકલો જ ધનુર્ધર હોય તેમ બડાશ મારે છે,તને ગર્વનું ભૂત ભરાયું છે અને સંગ્રામમાં તું કોઈને ગણનામાં લેતો જ નથી.પણ,અર્જુને આજે યુદ્ધમાં તારો પરાજય કરીને તારી સમક્ષ જ જયદ્રથને મારી નાખ્યો ત્યારે તારાં પરાક્રમ ને અસ્ત્રો ક્યાં ગયાં હતાં ? જેણે પૂર્વે સાક્ષાત મહાદેવની સામે યુદ્ધ કર્યું છે તે અર્જુનને તું કેવળ વૃથા મનોરથ માત્રથી જીતવા ઈચ્છે છે ! શ્રીકૃષ્ણની સાથે રહેલા તે અર્જુનને જીતવા ત્રણે લોકમાં કોઈ સમર્થ નથી.તો પછી,હે દુષ્ટમતિ કર્ણ,આ લોકમાં એક જ વીર ગણાતા અર્જુનને તું ક્યાંથી જીતશે?ઓ દુર્બુધ્ધિ નરાધમ,હવે તું ઉભો રહેજે હું પોતે જ આજે તારા માથાને ધડથી જુદું કરીશ'





