SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 8, 2026
ભાગવત રહસ્ય-૧૯૧-Bhgavat Rahasya-191
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1172
અધ્યાય-૧૭૪-અલંબુષનો વધ-રાક્ષસે રાક્ષસને માર્યો
II संजय उवाच II दष्ट्वा घटोत्कचं राजन सूतपुत्ररथंप्रति I आयान्तं तु तथायुक्तं जिघांसु कर्णमाहवे II १ II
સંજય બોલ્યો-હે રાજન,આમ રણમાં કર્ણનો વધ કરવાની ઈચ્છાથી સજ્જ થયેલો ઘટોત્કચ સૂતપુત્રના રથ તરફ ધસી આવતો હતો તે જોઈને તમારા પુત્ર દુર્યોધને દુઃશાસનને કહ્યું કે-'તું મોટી સેનાને લઈને જલ્દી જા અને કર્ણની બરાબર રક્ષા કર.જોજે એ ઘોર રાક્ષસ પ્રમાદમાં આવીને કર્ણનો નાશ કરી ન જાય'તેવામાં જટાસુરનો બળવાન પુત્ર રાક્ષસ અલંબુષ,દુર્યોધન પાસે આવી પહોંચ્યો અને તેણે દુર્યોધનને કહ્યું કે-'જો તમારી આજ્ઞા હોય તો હું એકલો જ પાંડવોનો વિનાશ કરીશ કેમ કે પૂર્વે મારા પિતા જટાસુરને તે ક્ષુદ્ર પાંડવોએ,રાક્ષસોનો વિનાશ કરે તેવા વૈદિક કર્મનું અનુષ્ઠાન કરીને મારી નાખ્યા છે તેનો હું બદલો લેવા ઈચ્છું છું.મારા એ શત્રુઓના લોહીથી હું મારા મૃત પિતાની પૂજા કરવા ઈચ્છું છું માટે મને અનુજ્ઞા આપવાની કૃપા કરો'
Jul 7, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1171
અધ્યાય-૧૭૩-ઘટોત્કચનું પ્રોત્સાહન
II संजय उवाच II ततो कर्णो रणे द्रष्ट्वा पार्षत परवोरहा I वाजवानोरसि शरैर्दशभिर्मर्म भैदिभिः II १ II
સંજય બોલ્યો-તે પછી શત્રુવીરોનો સંહાર કરનાર કર્ણે,ધૃષ્ટદ્યુમ્નને રણમાં જોઈને મર્મને ભેદી નાખે તેવા દશ બાણો છોડીને તેના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો.ત્યારે સામે ધૃષ્ટદ્યુમ્ને તેને તેટલાંજ બાણોથી વીંધ્યો.આમ તે બંને એકબીજાને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા હતા.છેવટે કર્ણે અનેક બાણો છોડીને ધૃષ્ટદ્યુમ્નના ધનુષ્યને કાપી,તેના સારથી ને ઘોડાઓને મારી નાખ્યા.રથ વગરના થયેલ ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર પરિધ ફેંક્યું કે જેને કર્ણના ઘોડાઓને છૂંદી નાખ્યા.પછી,ધૃષ્ટદ્યુમ્ને,સહદેવના રથમાં ચડીને કર્ણ સામે યુદ્ધ કરવાની ઈચ્છા દર્શાવી,ત્યારે યુધિષ્ઠિરે તેને અટકાવ્યો.
Jul 6, 2026
ભાગવત રહસ્ય-૧૮૯-Bhgavat Rahasya-189
દેવ અને દૈત્યોના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્યની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું..પ્રત્યેક ઇન્દ્રિયથી સંયમનું પાલન કરે તે શુક્રની ઉપાસના છે.ઇન્દ્રથી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો.શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું –તે પ્રમાણે તેણે વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો.



