Jul 5, 2026

ભાગવત રહસ્ય-૧૮૮-Bhgavat Rahasya-188

રાહુ અમૃત પીવા લાગ્યો, મોહિની ભગવાને ત્યારે સુદર્શનચક્રથી તેનું માથું ઉડાવ્યું છે.પણ રાહુ અમૃત પી ગયો હતો એટલે તેનું માથું અને ધડ બંને અમર થયા છે.
એના રાહુ અને કેતુ નામના બે ગ્રહો થયા.
રાહુ (વિષયો) નું માથું કાપ્યું પણ તે છતાં તે જીવે છે.વિષયો સૂક્ષ્મરૂપે મનમાં રહે છે.તે ક્યારે જાગે તે કહેવાતું નથી. માનવ થોડો ગાફેલ થયો –કે-રાહુ માથું બહાર કાઢે છે. અંદર કામ છે ક્રોધ છે તે ક્યારે ખાડામાં ફેંકે તે કહેવાય નહિ.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1169

 

અધ્યાય-૧૭૧-કચ્ચરઘાણ 


 II संजय उवाच II ततस्ते प्रादवन सर्वे त्वरिता युध्धदुर्मदा I अमृष्यमाणाः संरब्धा युयुधानरथं प्रति  II १ II

સંજય બોલ્યો-તે પછી,યુદ્ધદુર્મદ તે સર્વ યોદ્ધાઓ,ક્રોધપૂર્વક સાત્યકિના રથ સામે ધસ્યા હતા.સાત્યકિને સર્વ તરફથી ઘેરી લઈને તે મહારથીઓ સિંહનાદો કરીને તેની પર તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા હતા.સામે સાત્યકિ અનેક બાણો છોડીને તેમની સામે ટક્કર લેવા લાગ્યો હતો.તેના બાણોથી અનેક યોદ્ધાઓનો સંહાર થયો હતો,ને તેના બાણોથી પીડાવાથી સૈન્યમાં ભંગાણ પડ્યું.સાત્યકિની બાણો છોડવાની ગતિ અદભૂત હતી.પોતાની સેનાનો વિનાશ થતો જોઈને દુર્યોધન પોતે સાત્યકિ સામે યુદ્ધ કરવા આગળ આવ્યો ને તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.

Jul 4, 2026

ભાગવત રહસ્ય-૧૮૭-Bhgavat Rahasya-187

લક્ષ્મીજી તો નારાયણને જ વરે છે.જેનું હૃદય -પ્રેમમય,કોમળ અને મૃદુ હોય અને- એમાં નારાયણનો વાસ હોય, તેને ત્યાં લક્ષ્મી આવે છે.લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા.ત્યાં સુધી ભગવાનની નજર ધરતી પર હતી.જેની પાસે પૈસો હોય તેને આજુ બાજુ ચારે બાજુ નજર રાખવાની અને સર્વના દુઃખો દૂર કરવાનાં.તો જ લક્ષ્મી ,ઘરમાં અખંડ વિરાજશે. આજકાલ લોકોને પૈસા મળ્યા પછી,તેમને બીજું કંઈ દેખાતું નથી.હું મારી અલી, અને બાબો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1168

 

અધ્યાય-૧૭૦-ધૃષ્ટદ્યુમ્નની દ્રોણાચાર્ય પર ચડાઈ 

 II संजय उवाच II तस्मिन् सुतुमुले युद्धे वर्तमाने भयावहे I ध्रुष्ट्ध्युम्नो महाराज द्रोणमेवाभ्यवर्तत II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,આ પ્રમાણે જયારે તે મહાભયંકર તુમુલ યુદ્ધ થઇ રહ્યું હતું ત્યારે ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્ય સામે જ ધસારો કર્યો હતો.તે વખતે પાંચાલ ને પાંડવ યોદ્ધાઓ તેને વીંટાઈ વળ્યા હતા.દ્રોણને શત્રુઓથી ઘેરાયેલા જોઈને તમારા પુત્રો બરાબર સાવધ થઈને દ્રોણની રક્ષા કરવા લાગ્યા.જોતજોતામાં તે બે સૈન્યો મોટા મહાસાગરની જેમ સામસામે આવી ગયાં.

દ્રોણાચાર્યે પચીસ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધીને તેના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે તેણે નવું ધનુષ્ય હાથમાં લઈને એક ઘોર બાણ છોડ્યું,તે તેજસ્વી બાણે જાણે સૈન્યને પ્રકાશિત કર્યું હતું,પણ તે બાણને આચાર્યના રથ સામે ધસી આવતું જોઈને કર્ણે તેને અધવચ્ચે જ કાપી નાખ્યું,ને બીજાં દશ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખ્યો.

Jul 3, 2026

ભાગવત રહસ્ય-૧૮૬-Bhgavat Rahasya-186

સમુદ્રમંથનમાંથી તે પછી-કામધેનું ગાયમાતા બહાર આવ્યા છે.પહેલાં સંપત્તિ આવે છે-
તેનો ઉપયોગ પરોપકારમાં કરજો. કામધેનું એ સંતોષનું પ્રતિક છે.
કામધેનું ગાયનું બ્રાહ્મણો ને દાન કરવામાં આવ્યું.જેને આંગણે સંતોષ-રૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે.બ્રાહ્મણનું જીવન અતિસાત્વિક હોવું જોઈએ.તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે.ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. તે દૈત્યોને આપ્યો છે.