SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 6, 2026
ભાગવત રહસ્ય-૧૧૪-Bhgavat Rahasya-114
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1096
અધ્યાય-૧૦૦-આશ્ચર્યચકિત સૈન્યો
II संजय उवाच II सलिले जनिते तस्मिन् कौंतेयेन महात्मना I निस्तारिते द्विपसैन्ये कृते च शरवेश्मनि II १ II
સંજય બોલ્યો-મહાત્મા અર્જુને જયારે તે શત્રુઓના સૈન્યને ખાળી રાખ્યું,જળ ઉત્પન્ન કર્યું અને બાણગૃહ તૈયાર કર્યું ત્યારે મહાતેજસ્વી વાસુદેવ રથમાંથી ઉતારીને ઘોડાઓને છોડવા લાગ્યા ને તેમનાં શરીરમાંથી બાણો ખેંચી કાઢવા મંડ્યા.પૂર્વે કદી નહિ જોયેલું તે અદભુત કર્મ જોઈને સર્વ સિદ્ધોનાં,ચારણોનાં ટોળામાં ને સૈનિકોમાં 'ધન્ય-ધન્ય' એવા મહાન શબ્દો થઇ રહ્યા.ત્યારે અર્જુન પૃથ્વી પર ઉભો રહી,જરા પણ વ્યથા પામ્યા વિના પોતાની તરફ ધસી આવતા અનેક બાણોનો અને શસ્ત્રોનો નાશ કરતો હતો.અર્જુન અને વાસુદેવના એ અદભુત પરાક્ર્મના કૌરવો પણ વખાણ કર્યા વિના રહ્યા નહોતા.
Apr 5, 2026
ભાગવત રહસ્ય-૧૧૩-Bhgavat Rahasya-113
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1095
અધ્યાય-૯૯-અવંતિકુમાર વિન્દ અનુવિન્દ પડ્યા
II संजय उवाच II विवर्तमाने त्वादित्ये तत्रास्तशिखरं प्रति I रजसा कीर्यमाणे च मंदिभूते दिवाकरे II १ II
સંજય બોલ્યો-તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળના શિખર પ્રત્યે જવા માટે ધીમેધીમે ઉતરતા હતા,અને ધૂળથી વ્યાપ્ત થઈને જાણે નિસ્તેજ થયા હોય તેમ લાગતું હતું.વિજયની ઈચ્છાવાળા સૈન્યો જયારે આમ યુદ્ધ કરવામાં તલ્લીન થયાં હતાં,ત્યારે વાસુદેવ અને અર્જુન જયદ્રથ તરફ જઈ રહ્યા હતા.અર્જુન બાણો મૂકીને રથ ચાલ્યો જાય તે પ્રમાણે રસ્તો કરી આપતો હતો.જ્યાં જ્યાં તેમનો રથ જતો ત્યાં કૌરવ સેનામાં ભંગાણ પડતું હતું.અર્જુન પોતાના રથના આગળના ભાગમાં એક કોશ જેટલા પ્રદેશ સુધી બાણો ફેંકતો હતો.ને રથ જયારે,તે એક કોશ આગળ નીકળી જતો ત્યારે તેનાં બાણો શત્રુઓનો નાશ કરતાં હતાં,કારણકે શ્રીકૃષ્ણ વાયુસમાન ઘોડાઓથી આગળ વધ્યે જતા હતા ને જગતને વિસ્મય પમાડતા હતા.





