Feb 16, 2026

ભાગવત રહસ્ય-૬૬-Bhgavat Rahasya-66

ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવરાજ સ્તોત્ર પણ કહે છે.
ભીષ્મ મહાજ્ઞાની હતા-તેમ છતાં પ્રભુપ્રેમમાં તન્મય થઈને ભગવતસ્વરૂપમાં લીન થયા છે. કૃતાર્થ થયા છે.તે બતાવે છે કે ભક્તિ જ શ્રેષ્ઠ છે.સાધન ભક્તિ (મર્યાદા ભક્તિ) કરતાં કરતાં –સાધ્ય ભક્તિ(પુષ્ટિભક્તિ) સિદ્ધ થાય છે.
કબીર કહે છે--'જબ તુમ આયે જગતમેં જગ હસે તુમ રોય –ઐસી કરની કર ચલો તુમ હસે જગ રોય' 

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1048

 

અધ્યાય-૪૨-જયદ્રથને શંકરનું વરદાન 


II धृतराष्ट्र उवाच II बालमत्यन्तसुखिनं स्वबाहुबलदर्पितम् I युद्धेषु कुशलं वीरं कुलपुत्रं तनुत्यजम II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-બાળક,અત્યંત સુખી,પોતાના બાહુબળથી ગર્વિષ્ઠ,યુદ્ધમાં કુશળ,વીર,કુળવાનનો પુત્ર અને 

શરીરની દરકાર નહિ રાખનારો એ અભિમન્યુ,ત્રણ વર્ષના ઘોડાઓને લઈને જયારે કૌરવ સૈન્યમાં દાખલ થયો 

ત્યારે યુધિષ્ઠિરના સૈન્યમાંથી કયો બળવાન યોદ્ધો તેની પાછળ પાછળ ચાલતો હતો?

Feb 15, 2026

ભાગવત રહસ્ય-૬૫-Bhgavat Rahasya-65

આ જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. 
ઘણા મંદિરમાં જઈને પણ વેપાર કરે છે.(થોડું આપી ને વધુ માગે –તેનું નામ વેપાર) 
રણછોડરાયને અગિયાર રૂપિયા ભેટમાં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે 
દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટમાં આવજો.
વકીલને ૩૦૦ આપે અને ઠાકોરજીને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. 
હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાં યે હલકો? 

Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1047

 

અધ્યાય-૪૧-કર્ણ રથમાંથી પલાયન થયો 


II संजय उवाच II सोतिगर्जन धनुष्याणिर्ज्या विकर्षन्पुनः पुनः I तयोर्महान्मोग्तुर्ण रथान्तरमया पतत् II १ II

સંજય બોલ્યો-આમ ધનુષ્યની દોરી ખેંચી,વારંવાર મોટી ગર્જના કરતો કર્ણનો નાનો ભાઈ,કર્ણ અને અભિમન્યુના રથ વચ્ચે આવીને ઉભો ને તરત જ તેણે દશ બાણો છોડીને અભિમન્યુને છત્ર,ધજા અને સારથી સહીત વીંધી નાખ્યો,ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ આનંદમાં આવી ગયા.ત્યારે,અભિમન્યુએ તુરત એક જ બાણ છોડીને તેના મસ્તકને છેદી નાખ્યું.પોતાના ભાઈને મરણ પામેલો જોઈને કર્ણ ઘણો દુઃખી થયો.અભિમન્યુએ બીજાં અનેક બાણો છોડીને કર્ણને યુદ્ધમાંથી હઠાવી દીધો અને પોતે સત્વર બીજા ધનુર્ધરો સામે ધસ્યો ને તે વિશાળ સૈન્યને ભેદી નાખ્યું.આમ,કર્ણ રણમાંથી નાસી ગયો ત્યારે સૈન્યમાં ભંગાણ પડ્યું.અભિમન્યુના બાણોથી સર્વ પ્રદેશ ઢંકાઈ ગયો હતો અને ત્યાં કંઈ પણ દેખાતું નહોતું.