Apr 19, 2026

ભાગવત રહસ્ય-૧૨૭-Bhgavat Rahasya-127

બે માતાઓના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ વર્ષનો ધ્રુવ વનમાં જાય છે.
જરા વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ?
ધ્રુવ વિચાર કરતા જાય છે-'વનમાં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને ?
પણ ના-ના- હું એકલો નથી, માએ મને કહ્યું છે-કે નારાયણ મારી સાથે છે.'

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1109

 

અધ્યાય-૧૧૩-સાત્યકિને કૃતવર્માનો ભેટો 


II संजय उवाच II प्रयातै तव सैन्यै तु युयुधानै युयुत्सया I धर्मराजो महाराज सेनानीकेन संवृतः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,યુદ્ધ કરવાની ઈચ્છાથી સાત્યકિ જયારે તમારા સૈન્ય સામે પ્રયાણ કરી ગયો,ત્યારે સાત્યકિની પાછળ પડેલા દ્રોણાચાર્યના રથને પહોંચી વાળવા ધર્મરાજ પોતાના સૈન્યથી વીંટાઇને ચાલી નીકળ્યા હતા.તે વેળા,ધૃષ્ટદ્યુમ્ન તથા રાજા વસુદાન પાંડવોના સૈન્યમાં મોટો ઘાંટો પાડીને કહેવા લાગ્યા કે-'હે વીર યોદ્ધાઓ,જલ્દી દોડી આવો અને શત્રુઓ પર પ્રહાર કરો,કે જેથી સાત્યકિ સુખેથી શત્રુસેનામાં દાખલ થઇ જાય.'તે સમયે સાત્યકિના રથ સામે મહાન શબ્દ થઇ રહ્યો હતો,પણ સાત્યકિએ શત્રુસેનાને સેંકડો સ્થળેથી તોડી નાખી એટલે તે વિખરાઈ જઈને આમતેમ દોડવા લાગી હતી.

Apr 18, 2026

ભાગવત રહસ્ય-૧૨૬-Bhgavat Rahasya-126

સુનીતિએ દુઃખના વેગને દબાવ્યો છે-ધીરજ ધારણ કરી બોલ્યાં છે-કે-
બેટા,તારી ઓરમાન માએ તને શું ખોટું કહ્યું છે ? તને જે બોધ કર્યો છે તે સારો છે-હું પણ તને એ જ કહું છું-કે-ભીખ માગવી જ હોય તો કોઈ મનુષ્ય પાસે માગવી નહિ, એક ભિખારી પોતે જ બીજા ભિખારીને કઈ રીતે ભીખ આપી શકવાનો ? શ્રીકૃષ્ણ સિવાય આખું જગત ભિખારી છે.(દાતા એક રામ ભિખારી સારી દુનિયા) ભીખ માગવી જ હોય તો ભગવાન પાસે ભીખ માગવી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1108

 

અધ્યાય-૧૧૨-સાત્યકિનો કૌરવસેનામાં પ્રવેશ


II संजय उवाच II धर्मराजस्य तद्वाक्यं निशम्य शिनिपुंगवः I स पार्थाद्भयमाशंशन परित्यागान्महिपते: II १ II

સંજય બોલ્યો-ધર્મરાજાનું તે વાક્ય સાંભળ્યા પછી,શિનિશ્રેષ્ઠ સાત્યકિને,યુધિષ્ઠિરનો ત્યાગ કરવાથી અર્જુન તરફના ભયની તથા વિશેષે કરીને લોકો તરફના 'સાત્યકિ ડરી ગયો' એ રીતના અપવાદની વિચારણા થવા લાગી.તેથી તે મનમાં ને મનમાં બોલ્યો કે-'મને લોકો કહેશે કે,તું અર્જુન તરફ ગયો કેમ કે તું કૌરવસેનાથી ભયભીત થઇ ગયો છે' આ રીતે અનેક વિચાર કર્યા પછી સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,તમે તમારું રક્ષણ કરાયેલું માનતા હો તો તમારું કલ્યાણ થાઓ.હું અર્જુન તરફ જઈશ ને તમારું વચન પાળીશ.આ ત્રણેય લોકમાં મને અર્જુન કરતાં અધિક બીજો કોઈ પ્રિય નથી.

Apr 17, 2026

ભાગવત રહસ્ય-૧૨૫-Bhgavat Rahasya-125

રાજા ઉત્તાનપાદે –અણમાનીતી રાણી સુનીતિનો ત્યાગ કર્યો છે.
સુનીતિના પુત્ર-ધ્રુવજી ચાર-પાંચ વર્ષના થયા છે, એક દિવસ મા ને પૂછે છે-મારા પિતાજી ક્યાં છે ? મા નું હૃદય ભરાયું, આજ સુધી છુપાવ્યું –કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે. પણ આજે કહી દે છે-કે-સામે જે રાજમહેલ છે-તેમાં તારા પિતા રહે છે. ધ્રુવ પિતાને મળવા દોડ્યા છે.