Mar 31, 2026

ભાગવત રહસ્ય-૧૦૮-Bhgavat Rahasya-108

કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે-કે-મા,આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્માને છોડી શકતો નથી.
જેને જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1090

 

અધ્યાય-૯૪-દુર્યોધનને કવચબંધન 


 II संजय उवाच II ततः प्रविष्टे कौन्तेये सिन्धुराजजिघांसया I द्रोणानीकं विनिर्भिद्य भोजानिकं च दुस्तरम् II १ II

સંજય બોલ્યો-પછી,કુંતાપુત્ર અર્જુન સિંધુરાજનો વધ કરવાની ઈચ્છાથી દ્રોણાચાર્યના દુસ્તર સૈન્યને અને કૃતવર્માની સેનાને તોડીને શત્રુસૈન્યમાં દાખલ થયો.તેણે સુદક્ષિણ અને શ્રુતાયુધને રણમાં રોળી નાખ્યા ત્યારે છિન્નભિન્ન થયેલાં સૈન્યો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યાં.તે વખતે તમારો પુત્ર દુર્યોધન પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને પોતે એકલો દ્રોણાચાર્ય પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે-'હે આચાર્ય,આ અર્જુન મહાસેનાનો નાશ કરીને અંદર આવી પહોંચ્યો છે તો તેનો નાશ કરવા માટે શું કરવું જોઈએ તેનો તમે બુદ્ધિપૂર્વક વિચાર કરો ને એવો ઘાટ ઘડો કે જયદ્રથ યુદ્ધમાં માર્યો ન જાય.

Mar 30, 2026

ભાગવત રહસ્ય-૧૦૭-Bhgavat Rahasya-107

તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1089

 

અધ્યાય-૯૩-અંબષ્ઠ પડ્યો 


 II संजय उवाच II हते सुदक्षिणे राजन्वीरे चैव श्रुतायुधे I जवेनाम्पद्रवन्पार्थ कुपिताः सैनिकास्तव II १ II

સંજય બોલ્યો-હે રાજન,એ પ્રમાણે વીર સુદક્ષિણ તથા શ્રુતાયુધ રણમાં માર્યા ગયા ત્યારે,અભિષાહો,શૂરસેનો,શિબીઓ તથા વસાતીઓ અર્જુન પર બાણો વરસાવતા આગળ ધસ્યા.ત્યારે અર્જુને સામે અનેક બાણો મૂકીને લગભગ છ હજાર જેટલા યોદ્ધાઓનો નાશ કરી નાખ્યો.ત્યાં ઢળી પડેલાં અમેક મસ્તકોથી રણભૂમિ અવકાશ (જગ્યા)વિનાની થઇ ગઈ.તે યોદ્ધાઓનો આમ સંહાર થઇ રહ્યો હતો ત્યારે શ્રુતાયુ અને અચ્યુતાયુ નામના બે વીરનરો અર્જુન સામે બાણોનો વરસાદ કરતા આવી પહોંચ્યા અને તેમણે એક હજાર બાણોથી અર્જુનને સર્વાંગે ઢાંકી દીધો.

Mar 29, 2026

ભાગવત રહસ્ય-૧૦૬-Bhgavat Rahasya-106

દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી.
કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.