સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિમાં બહુ વધારે ફેર નથી.સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાનથી દેખાય છે-
સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્નમાં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-
More then 13-Million Views
II नारद उवाच II भगीरथम् च राजानं मृतं सृंजय शुश्रुम I येन भागिरथि गंगा चयनै: कांचनैश्चिता II १ II
નારદ બોલ્યા-હે સૃન્જયરાજ,રાજા ભગીરથને પણ અમે મરણ પામેલો સાંભળ્યો છે.તેણે ગંગાને પૃથ્વી પર લાવી તેનાં બંને તીરો ને યાજ્ઞિક મંડળોથી વ્યાપ્ત કરી દીધાં હતાં.વળી,તેણે સર્વ રાજાઓ અને રાજપુત્રોનું અતિક્રમણ કરીને સુવર્ણના અલંકારોથી સુશોભિત એવી એકેક હજાર કન્યાઓનું બ્રાહ્મણોને એક હજાર વાર દાન કર્યું હતું.એ રાજા જયારે ગંગા કિનારે બ્રાહ્મણોને દક્ષિણા આપવા બેસતો ત્યારે તે સ્થળે એટલાં બધા માણસો ઉભરાતાં કે ગંગાનો કિનારો જાણે એમના ભારથી નમી જતો ને ગંગાના પ્રવાહનું પાણી છેક તે રાજાના ખોળામાં આવી વહેતું.એ રીતે જયારે ગંગા રાજાના ખોળામાં આવી બેઠી ત્યારે તે ઉર્વશી સંજ્ઞાને પામી અને તે જ કારણથી તે એ રાજાની પુત્રી તરીકે થઇ.
II नारद उवाच II शिबिमौशिनरं चापि मृतं सृंजय शुश्रुम I य इमां पृथिवीं सर्वा चर्मवत पर्यवेष्टयत II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,ઉશીનરના પુત્ર શિબિરાજાને પણ અમે મરેલો સાંભળીએ છીએ.તેણે આખી પૃથ્વીને ચામડાની જેમ,પોતાની સત્તાથી ઘેરી લીધી હતી.એટલું જ નહિ તેણે પર્વત,બેટ,સમુદ્ર અને વન સાથેની આખી પૃથ્વીને પોતાના રથના ઘોષથી ગજાવી મૂકી હતી.તેણે પોતાના મુખ્ય મુખ્ય શત્રુઓનો સંહાર કરીને સંપૂર્ણ રીતે શત્રુજિત થયો હતો.તેણે સંપૂર્ણ દક્ષિણાવાળા અનેક જાતના યજ્ઞો કર્યા હતા.યુદ્ધમાં તે રાજા સર્વ રાજાઓમાં માનીતો થઇ પડ્યો હતો ને આખી પૃથ્વીનો વિજય કરીને ઘણા અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.તે યજ્ઞોમાં તે જયારે દાન આપવા બેસતો,ત્યારે હાથી,ઘોડા,પશુઓ,ધાન્ય,ગાયો-આદિ સહીત પવિત્ર પૃથ્વીનું પણ તે દાન કરતો હતો.વરસાદની જેટલી ધારાઓ છે,આકાશમાં જેટલા તારાઓ છે,ગંગા નદીમાં જેટલી રેતી છે,મહાસાગરમાં જેટલાં રત્નો છે,તેટલી ગાયોનું દાન તે શિબિએ કર્યું હતું એમ કહેવાય છે.તે રાજાની સમાનતાની ધૂંસરીને વહી શકે તેવો ઉત્તમ નર,ભૂત,ભવિષ્ય કે વર્તમાનકાળમાં પ્રજાપતિને હજુ સુધી સૃષ્ટિમાં મળ્યો નથી.