SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 4, 2026
ભાગવત રહસ્ય-૧૬૮-Bhgavat Rahasya-168
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1150
ઘટોત્કચ-વધ પર્વ
અધ્યાય-૧૫૩-ચૌદમો દિવસ-યુધિષ્ઠિરથી દુર્યોધનનો પરાજય
II संजय उवाच II तदुदीर्ण गजानीकं बलं तव जनाधिप I पांडुसेनामतिक्रम्य योधयामास सर्वतः II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,તે સમયે પ્રથમ હાથીઓનું સૈન્ય એકદમ ધસી આવ્યું અને ચોતરફથી યુદ્ધ કરવા મંડી પડ્યું.પાંચાલો ને કુરુઓ યમરાજના રાજ્યમાં મોટો વધારો કરવા માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને પરલોકમાં પ્રયાણ કરવા માટે દીક્ષા લઇ બેઠા.શૂરાઓ શૂરાઓ સામે ભેટીને બાણ,તોમર,શકિતઓથી અન્યોન્યને વીંધવા લાગ્યા,ને એકબીજાને યમસદન મોકલી દેવા લાગ્યા.દારુણ રુધિરસ્ત્રાવ થતો હતો.ત્યારે 'હવે તો મરવું જ' એવો વિચાર કરીને દુર્યોધન તે સૈન્યમાં દાખલ થયો ને સર્વ દિશાઓને ગજાવી મૂકતો તે પાંડવોની સેના સામે ચઢી આવ્યો,ને મહાવિનાશનો સમય ચાલુ થયો.
Jun 3, 2026
ભાગવત રહસ્ય-૧૬૭-Bhgavat Rahasya-167
જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1149
અધ્યાય-૧૫૨-પુનઃ યુદ્ધારંભ
II संजय उवाच II ततो द्दुर्योधनो राजा द्रोणेनेयं प्रचोदित I अमर्षवर्षवशमापश्वो युद्धावैव मनोदधे II १ II
સંજય બોલ્યો-દ્રોણની આ પ્રમાણે આજ્ઞા થતાં,રાજા દુર્યોધને ક્રોધવશ થઈને યુદ્ધ કરવાનું જ મન કર્યું ને કર્ણ પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-'અરે ઓ કર્ણ,જરા જો તો ખરો,અર્જુને અશક્ય એવા દ્રોણના વ્યુહને તોડીને,અનેક યોદ્ધાઓનો સંહાર કરીને જયદ્રથને મારી નાખ્યો.એ અર્જુને મારુ થોડુંક જ સૈન્ય બાકી રહેવા દીધું છે.હે વીર,જો દ્રોણાચાર્યની ઈચ્છા હોય તો જ તેમના દુર્ભેદ્ય વ્યુહને તોડીને અર્જુન આગળ વધી શક્યો હતો.





