“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?”
SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 6, 2026
ભાગવત રહસ્ય-૫૭-Bhgavat Rahasya-57
“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?”
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1039
અભિમન્યુ વધ પર્વ
અધ્યાય-૩૩-અભિમન્યુના વધનો સંક્ષેપ
II संजय उवाच II पूर्वमस्मासु भग्नेषु फ़ाल्गुनेनामितौजसा I द्रोणे च मोघसंकल्पे रक्षिते च युधिष्ठिरे II १ II
સંજય બોલ્યો-અતુલ તેજવાળા અર્જુને આપણી સેનામાં પ્રથમ જ ભંગાણ પાડ્યું અને દ્રોણનો સંકલ્પ વ્યર્થ કરીને યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું.વળી,તમારા પુત્રોનો યુદ્ધમાં પરાજય થયો,તેમનાં કવચો તૂટી ગયાં હતાં ને તેઓ ધૂળથી ભરાઈ ગયા હતા,ત્યારે દ્રોણાચાર્યની સંમતિ પ્રમાણે તેઓ સૈન્યોને પાછાં વાળી છાવણી તરફ જવા લાગ્યા.તે પછી બીજા દિવસનું સવાર થયું ત્યારે દુઃખી મનવાળો દુર્યોધન વિનય અને અભિમાન સાથે દ્રોણાચાર્યને સર્વ યોધ્ધાઓના દેખતાં કહેવા લાગ્યો કે-
Feb 5, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1038
અધ્યાય-૩૨-બીજો દિવસ સમાપ્ત-યુદ્ધનું ભયંકર સ્વરૂપ
II संजय उवाच II प्रतिघातं तु सैनस्य नामृष्यत वृकोदर I सोभ्याहनद गुरुं पष्टया कर्ण च दशभिः शरैः II १ II
સંજય બોલ્યો-દ્રોણાચાર્યથી થતો સૈન્યનો આ નાશ,ભીમસેન સહન કરી શક્યો નહિ,તેણે ગુરુને સાઠ બાણોથી અને કર્ણ પર દશ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે દ્રોણાચાર્યે સામે તીક્ષ્ણ બાણોથી તેના મર્મસ્થાનમાં પ્રહાર કર્યો.વળી,કર્ણ,અશ્વત્થામા ને દુર્યોધને પણ સાથે મળીને ભીમ પર બાણોનો વરસાદ કરી તેને છાઈ દીધો.ભીમસેને સામો પ્રહાર કરીને તેમને વીંધ્યા.ક્રોધમાં આવી ગયેલા તે સર્વેએ બાણોના પ્રહારથી ભીમને મરણતુલ્ય અવસ્થાએ પહોંચાડી દીધો.તે જોઈને યુધિષ્ઠિરે પોતાના યોદ્ધાઓને આજ્ઞા આપી કે-'જાઓ ભીમને બચાવો' તેમની આજ્ઞાથી સાત્યકિ,નકુલ અને સહદેવ,ભીમ પાસે આવી પહોંચ્યા.
Feb 4, 2026
ભાગવત રહસ્ય-૫૫-Bhgavat Rahasya-55
શુકદેવજીની કથાથી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજીને કથા કરતી વખતે ખબરે ય નથી કે સામે કથામાં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યથી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મદૃષ્ટિવાળા શુકદેવજીને ઉત્તમ વક્તા કહ્યા છે.



