Mar 8, 2026

ભાગવત રહસ્ય-૮૬-Bhgavat Rahasya-86

ભગવાનને ભુખ લાગે ? આના પર મહાત્માઓએ ચર્ચા કરી છે.ઉપનિષદનો સિદ્ધાંત છે-કે-ઈશ્વરને ભુખ લાગતી નથી. 
કહે છે-સંસાર વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે. જીવ અને શિવ .
જીવ રૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે.તેથી તે દુઃખી છે. પરમાત્મા તેને સાક્ષીરૂપે નિહાળે છે. ભગવાન ખાતા નથી.
ઉપનિષદ નો આ સિદ્ધાંત પણ ખોટો નથી ,અને ભાગવતનો સિદ્ધાંત પણ ખોટો નથી.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1068

 

અધ્યાય-૬૮-ભરતરાજાનું ચરિત્ર 


  II नारद उवाच II  दौष्यन्ति भरतं चापि मृतं सृंजय शुश्रुम I कर्माण्यमुकराण्यन्यै: कृतवान यः शिषुर्वने II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,આપણે સાંભળીએ છીએ કે દુષ્યંતનંદન ભરતરાજ પણ મરણ પામી ગયો છે.તેણે બાલ્યાવસ્થામાં પણ વનમાં રહીને બીજાઓથી ન બને તેવા પરાક્રમો કર્યા હતા.તે બળવાન ભરત પોતાની બાલ્યાવસ્થામાં સિંહોને,પોતાના બળથી વીર્યહીન કરીને ઘસડતો હતો ને બાંધતો હતો.વળી,તે ક્રૂર અતિઉગ્ર વાઘોને દમન કરીને પોતાને વશ કરતો હતો.અતિબળવાન હોવાથી તે ક્રૂર સર્પો ને હાથીઓને પણ દાંતમાંથી પકડીને પાછા હટાવી દેતો હતો.વળી,પાડાઓ,બળવાન મૃગો,ગેંડાઓ,ને બીજા જાનવરોને પણ તે પોતાના પ્રાણોને સંકટમાં મૂકીને બાંધતો ને તેમને હેરાન કરી છોડી મુકતો હતો.ભરતનાં એવાં કામો જોઈને બ્રાહ્મણોએ તેનું બીજું નામ 'સર્વદમન' પાડ્યું હતું.ને એજ નામે એને બોલાવતા હતા.એની માતા શકુંતલા તો તેને વારંવાર કહેતી હતી કે-'હે પુત્ર,તું જંગલી પ્રાણીઓને ન મારીશ'

Mar 7, 2026

ભાગવત રહસ્ય-૮૫-Bhgavat Rahasya-85

શ્રીકૃષ્ણ,ધ્રુતરાષ્ટ અને દૂર્યોધનને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવોના દૂત તરીકે આવ્યો છું.પણ દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી.
ભગવાન સમજી ગયા-આ મૂર્ખો છે-તેને માર પડ્યા વગર અક્કલ આવશે નહિ.
ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામથી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1067

 

અધ્યાય-૬૬-ગયરાજાનું ચરિત્ર 


   II नारद उवाच II गयं चामूर्तरयसं मृतं सृंजय शुश्रुम यो वै वर्यशतं राजा हुतशिष्टासनोभवत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,અમૂર્તરયસનો પુત્ર ગયરાજા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા એકસો વર્ષ સુધી હોમ કરતાં બાકી રહેલા અન્નનું જ ભોજન કરતો હતો.અગ્નિદેવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે માગ્યું હતું કે-

તપ,બ્રહ્મચર્ય,વ્રત,નિયમ તથા ગુરુકૃપાથી હું વેદો જાણવાની ઈચ્છા કરું છું.બીજાઓની હિંસા કર્યા વિના કેવળ સ્વધર્મથી જ હું અક્ષય ધન ઈચ્છું છું.બ્રાહ્મણોને દાન આપવાની મને નિત્ય શ્રદ્ધા રહે,ને મારી સજાતીય સ્ત્રીઓમાં પુત્રજન્મ થાય.મને અન્નદાન કરવામાં અક્ષય શ્રદ્ધા રહો,મારુ મન હંમેશા ધર્મમાં જ રમો ને ધર્મકાર્યોંમાં નિત્ય નિર્વિઘ્ન રહું' 

Mar 6, 2026

ભાગવત રહસ્ય-૮૪-Bhgavat Rahasya-84

વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદ માં છો ? વિદુરજી કહે છે-સત્સંગમાં બધી કથા કહીશ.પતિ-પત્નીનો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે જ બોલે છે.સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,હસ્તિનાપુરમાં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્માની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાનને દયા આવે છે.એવું કથામાં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે.