Apr 24, 2026

ભાગવત રહસ્ય-૧૩૨-Bhgavat Rahasya-132

તે સમયે નારદજી પ્રાચીનર્બહિ રાજા પાસે આવ્યા છે. રાજા કર્મપ્રધાન છે. અનેક યજ્ઞો તેમણે કર્યા હતા.નારદજી રાજાને પૂછે છે-તમે અનેક યજ્ઞો કર્યા,(કર્મો કર્યા) તમને શાંતિ પ્રાપ્ત થઇ –કે નથી થઇ ? રાજા કહે છે –ના-મન ને શાંતિ નથી.મને શાંતિ મળી નથી.
નારદજી : તો પછી આ યજ્ઞો (કર્મો) તમે શા માટે કરો છો ?
રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1114

 

અધ્યાય-૧૧૮-સુદર્શનનો વધ 

 II संजय उवाच II द्रोणं स जित्वा पुरुषप्रवीरस्तथैव हार्दिक्यमुखौस्तवदीयान I प्रहस्य सुतं वचनं वमापे शिनिप्रवीरः कुरुपुंगवाय्य्र II १ II

સંજય બોલ્યો-હે ક્રુરુશ્રેષ્ઠ રાજા,પુરુષોમાં વીર એવા તે સાત્યકિએ દ્રોણાચાર્યનો તથા કૃતવર્માનો પરાજય કરીને હસતાં હસતાં સારથિને કહ્યું કે-'હે સૂત,અર્જુને ને કેશવે આ શત્રુઓનો નાશ કરી જ નાખ્યો હતો,આપણે જે કરી રહ્યા છીએ તે તો કેવળ નિમિત્ત જ છે અને આપણે અર્જુને મારેલાને જ મારીએ છીએ' તેમ કહીને તે આગળ વધ્યો,તેને અટકાવવા કોઈ યોદ્ધો સમર્થ થયો નહિ.એવામાં ધનુર્ધર રાજા સુદર્શને તેને અટકાવ્યો ને તેમની વચ્ચે દારુણ સંગ્રામ શરુ થયો.

Apr 23, 2026

ભાગવત રહસ્ય-૧૩૧-Bhgavat Rahasya-131

સમય આવ્યે-ધ્રુવજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ધ્રુવજીને ગાદીએ બેસાડી ઉત્તાનપાદ રાજા વનમાં તપ કરવા ગયા છે.ભ્રમિ સાથે ધ્રુવજીનું લગ્ન થયું છે.
સુરુચિનો પુત્ર અને ધ્રુવજીના ભાઈ રાજકુમાર- ઉત્તમ -એક વખત જંગલમાં શિકાર કરવા ગયા છે-ત્યાં યક્ષો સાથે યુદ્ધ થયું-જેમાં તે માર્યો ગયો.સમાચાર સાંભળી ધ્રુવજી યક્ષો જોડે યુદ્ધ કરવા જાય છે-ભીષણ યુદ્ધ થયું છે-ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યા.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1113

 

અધ્યાય-૧૧૭-સાત્યકિનું પરાક્રમ 

 II संजय उवाच II काल्पमानेषु सैन्येषु शैनेयेन ततस्ततः I भारद्वाजः शरव्रातैर्महद्भि: समवाकिरत II १ II

સંજય બોલ્યો-એ પ્રમાણે સાત્યકિએ કૌરવોનાં સૈન્યોને ચારે બાજુ નસાડવા માંડ્યાં ત્યારે દ્રોણાચાર્ય અનેક બાણો મૂકીને તેને ઢાંકી દેવા લાગ્યા.બંને વચ્ચે ધમાસણ યુદ્ધ શરુ થયું.આચાર્યે સાત્યકિના ભાલ પર બાણોથી પ્રહાર કર્યો કે જે તેના લલાટ પર આવીને ખૂંચી ગયાં.વળી બીજાં અનેક બાણોથી આચાર્યે તેના પર પ્રહાર કર્યો કે જેને સાત્યકિએ અધવચ્ચે જ કાપી નાખ્યાં.સાત્યકિની ચાલાકીથી દ્રોણાચાર્ય હસ્યા અને બીજાં ત્રીસ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ અનેક બાણો છોડીને દ્રોણના રથને ઢાંકી દીધો.બંને પુરુષશ્રેષ્ઠો સમાન જ દેખાતા હતા.

Apr 22, 2026

ભાગવત રહસ્ય-૧૩૦-Bhgavat Rahasya-130

જ્ઞાન નો અંત (સમાપ્તિ) શ્રીકૃષ્ણ દર્શનમાં આવે છે. (પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી) પરમાત્મા ને જાણ્યા પછી કાંઇ પણ જાણવાનું બાકી રહેતું નથી.પરમાત્માને ત્યારે જ જાણી શકાય છે-જયારે પરમાત્મા કૃપા કરે છે.અને પરમાત્મા ત્યારેજ કૃપા કરે છે-જયારે કોઈ પણ સાધન કરતો –મનુષ્ય-સાધનનું અભિમાન છોડી-દીન થઈને રડી પડે છે.