Feb 10, 2026

ભાગવત રહસ્ય-૬૦-Bhgavat Rahasya-60

કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. 
પુષ્ટિ-ભક્તિમાં વ્યવહાર અને ભક્તિને જુદાં માનવામાં આવતાં નથી.
યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્તની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.
મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ.
મર્યાદા ભક્તિ –એ સાધન છે. તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંતમાં આવે છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1042

 

અધ્યાય-૩૬-અભિમન્યુની ચડાઈ 


II संजय उवाच II सौमद्रस्तद्वच: श्रुत्वा धर्मराजस्य धीमतः I अचोदयत यंतारं द्रोणानिकाय भारत II १ II

સંજય બોલ્યો-હે ભારત,બુદ્ધિમાન ધર્મરાજનું તે વચન સાંભળીને અભિમન્યુએ પોતાના સારથિને દ્રોણાચાર્યના સૈન્ય તરફ રથ હાંકવાની આજ્ઞા કરી,ત્યારે સારથીએ તેને કહ્યું કે-'હે આયુષ્યમાન,પાંડવોએ આપણા પર મોટો ભાર મુક્યો  છે,માટે એક ક્ષણ વાર બુદ્ધિ સાથે વિચાર કર્યા પછી તમે યુદ્ધ કરો તો ઠીક.દ્રોણ અતિકુશળ છે,તેમણે અસ્ત્રવિદ્યામાં ઘણો પરિશ્રમ કર્યો છે ત્યારે તમે અત્યંત સુખમાં ઉછરીને મોટા થયા છો' ત્યારે અભિમન્યુએ જરા હસીને સારથિને કહ્યું કે-

Feb 9, 2026

ભાગવત રહસ્ય-૫૯-Bhgavat Rahasya-59

દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો.અર્જુનને કહ્યું-“આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી.પરંતુ અશ્વસ્થામા ને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામાની મા વિધવા છે.તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1041

 

અધ્યાય-૩૫-અભિમન્યુની પ્રતિજ્ઞા 


II संजय उवाच II तदनीकमनाधृष्यं भरद्वाजेन रक्षितम् I पार्था समभ्यवर्तन्त भीमसेनपुरोगमाः II १ II

સંજય બોલ્યો-હવે ભીમસેન આદિ પાંડવોએ દ્રોણાચાર્યના રક્ષણ તળે રહેલા તે કૌરવસૈન્ય પર ચડાઈ કરી.સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન આદિ સર્વ પાંડવ યોદ્ધાઓ પોતપોતાની ટુકડીઓ સાથે દ્રોણ સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકદમ દોડ્યા.સામે દ્રોણાચાર્ય જરાયે ગભરાયા વિના તેમને બાણોના મોટા જથ્થાથી આગળ વધતા અટકાવવા લાગ્યા.હે રાજન,તે સમયે દ્રોણાચાર્યના બાહુઓનું બળ અમને અદભુત લાગ્યું હતું કેમ કે પાંચાલો ને સૃન્જયો એમની સામે ઝીંક  નહોતા.

Feb 7, 2026

ભાગવત રહસ્ય-૫૮-Bhgavat Rahasya-58

પવિત્ર પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા 
પંચાધ્યાયીની કથા શરુ કરે છે.પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ.
જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેને પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.
પરીક્ષિતમાં આ પાંચેયની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળની કથા કહેવામાં આવે છે.