Apr 13, 2026

ભાગવત રહસ્ય-૧૨૧-Bhgavat Rahasya-121

શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બહુ આનંદમાં છો.!! સતી કહે છે-તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે.શિવજી-કહે-છે-દેવી,આ સંસાર છે.કોઈના ઘેર લગ્ન તો કોઈના ત્યાં છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે, રડારડ થાય છે.સંસારમાં સુખ નથી. સુખરૂપ એક પરમાત્મા છે.તારા અને મારા પિતા નારાયણ છે.
સતી વિચારે છે-જયારે જયારે હું-કોઈ વાત કરુછુ,ત્યારે શિવજી વૈરાગ્યની જ વાતો કરે છે. મને પિયર માં જવાની ઉતાવળ છે-અને આ તો વૈરાગ્યનો ઉપદેશ આપે છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1103

 

અધ્યાય-૧૦૭-ક્ષેમધૂર્તિ,વીરધન્વા,નિરમિત્ર અને વ્યાઘ્રદત્તનું પતન 

 II संजय उवाच II बृहत्क्षत्रमथायांतं कैकयं द्रढविक्रमं I क्षेमधुर्तिर्महाराज विव्याधोरसि मार्गणैः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,દૃઢ પરાક્રમવાળા કેક્યવંશના બૃહત્ક્ષત્ર(ધૃષ્ટકેતુ)ને રણમાં ધસી આવતો જોઈને ક્ષેમધૂર્તિએ તેને બાણોથી છાતીમાં વીંધી નાખ્યો.તે સામે બૃહત્ક્ષત્રે દ્રોણાચાર્યના સૈન્યને તોડી નાખવાની ઈચ્છાથી તેને નેવું બાણોથી પ્રહાર કર્યો. ક્ષેમધૂર્તિએ એક ભલ્લ બાણથી તેનું ધનુષ્ય કાપી નાખ્યું.એટલે બૃહત્ક્ષત્રે નવું ધનુષ્ય લઈને એક ક્ષણવારમાં જ ક્ષેમધૂર્તિને ઘોડા,સારથિ ને રથ વગરનો કરીને બીજું એક તીક્ષ્ણ બાણ મૂકીને ક્ષેમધૂર્તિના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું.ને હર્ષમાં આવી તે એકદમ કૌરવોના સૈન્ય તરફ ધસી ગયો.

Apr 12, 2026

ભાગવત રહસ્ય-૧૨૦-Bhgavat Rahasya-120

જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવાનો નથી.એક વખત એક ચોર શિવમંદિરમાં ચોરી કરવા આવ્યો. શિવાલયમાં હોય શું ? આમ તેમ નજર કરતાં –ઉપર નજર કરી તો તાંબાની જળાધારી દેખાણી.તેણે વિચાર્યું કે –આ લઇ જાઉં.તેના પચીસ –પચાસ આવશે. જળાધારી બહુ ઉંચી હતી, એટલે જળાધારી ઉતારવા શિવલિંગ પર પગ મુક્યો- પગ મૂકતાં જ શિવજી પ્રગટ થયા. ચોર ગભરાણો. મને મારશે કે શું ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1102

 

અધ્યાય-૧૦૬-દ્રોણનો પાંડવો પર ધસારો-યુધિષ્ઠિરનું પાછા હટવું 


II धृतराष्ट्र उवाच II अर्जुने सैन्धवं प्राप्ते भरद्वाजेन संवृताः I पांचलाः कुरुभिः सार्ध किमकुर्वत संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,જે સમયે અર્જુન સિંધુરાજ પાસે પહોંચ્યો ત્યારે દ્રોણાચાર્યથી ઘેરાયેલા પાંચાલોએ કેવું યુદ્ધ કર્યું હતું?

સંજય બોલ્યો-હે મહારાજ,તે દિવસના પાછળના ભાગમાં રુંવાં ઊભાં થઇ જાય તેવા કૌરવ-પાંચાલના એ સંગ્રામમાં દ્રોણાચાર્યના વધ માટેનો યુદ્ધજુગાર આરંભાયો.પાંચાલો મનમાં હર્ષિત થઈને ગર્જનાઓ કરી કરીને બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા હતા ને કૌરવો સાથેનું તેમનું તુમુલ યુદ્ધ શરુ થયું હતું.મોટા મોટા અસ્ત્રોનો પ્રયોગ કરતા પાંચાલરથીઓ પૃથ્વીને કંપાવતા કંપાવતા સાધારણ વેગથી દ્રોણના રથ સુધી આવી પહોંચ્યા.

Apr 11, 2026

ભાગવત રહસ્ય-૧૧૯-Bhgavat Rahasya-119

દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમાં રહેનાર છે. 
પરંતુ તે તો સ્તુતિરૂપ છે.આખું જગત (સંસાર)એ સ્મશાન છે. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે.ઘર એ પણ સ્મશાન છે.
મનુષ્યને બાળવાનું સ્મશાન ગામ બહાર હોય પણ કીડી-મંકોડાનું સ્મશાન આપણા ઘરમાં જ હોય છે.સ્મશાન એટલે આખું જગત-એટલે-કે- શિવજી જગતની સર્વ ચીજોમાં વિરાજેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે.