અધ્યાય-૨૨-પાંડવ સૈન્યનું વર્ણન
II संजय उवाच II ततो युधिष्ठिरो राज स्वां सेनां समनोदयत् I प्रतिव्युहन्ननिकानि भीष्मस्य भरतर्षभ II १ II
સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,તે પછી,યુધિષ્ઠિરે,ભીષ્મની સેના સામે વ્યૂહરચના માટે પોતાની સેનાને આજ્ઞા કરી.ત્યારે અર્જુને સેનાને
તેમના ઉદ્દેશ મુજબ વ્યૂહરચનામાં ગોઠવી.સૈન્યના મધ્યમાં અર્જુને રક્ષેલા શિખંડીનું સૈન્ય હતું.ભીમસેનથી રક્ષાયેલો ધૃષ્ટદ્યુમ્ન સૈન્યના મોખરામાં હતો.સાત્યકિએ દક્ષિણ તરફના સૈન્યનું રક્ષણ કર્યું હતું.