Jun 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-842

 

અધ્યાય-૧૮૮-શિખંડીની ઉત્પત્તિ 


II दुर्योधन उवाच II कथं शिखण्डी गान्गेय कन्या भूत्वा पुरा तदा I पुरुषोभुद्युधिश्रेष्ठ तन्मे ब्रुहि पितामह II १ II

દુર્યોધને પૂછ્યું-હે ગંગાપુત્ર પિતામહ,શિખંડી પ્રથમ કન્યારૂપે ઉત્પન્ન થઈને પુરુષરૂપે કેવી રીતે થયો?તે કહો 

ભીષ્મે કહ્યું-દ્રુપદ રાજાની પ્રિય પટરાણી પુત્ર વિનાની હતી.ઉપરોક્ત અંબાનું પ્રકરણ ચાલતું હતું તે સમયે જ દ્રુપદ રાજાએ (મારા વધનો નિશ્ચય કરીને) પુત્રપ્રાપ્તિને માટે તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા હતા.શંકરે વર આપતાં કહ્યું કે-'પ્રથમ સ્ત્રીરૂપ પણ પછી પુરુષરૂપ એવું એક સંતાન તને પ્રાપ્ત થશે.તારા નસીબમાં આ જ પ્રમાણે છે,મારું કહેવું મિથ્યા થશે નહિ' આ પ્રમાણે વર મેળવીને દ્રુપદ પોતાના નગરમાં ગયો ને પોતાની ભાર્યાને શંકરના વર ની સર્વ વાત કહી.

Jun 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-841

 

અધ્યાય-૧૮૭-અંબાનો અગ્નિમાં પ્રવેશ 


II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे तपसे धृतनिश्चयां I द्रष्ट्वा न्य्वर्त्ययंस्तात् किं कार्यमिति चाब्रुवन् II १ II

ભીષ્મે કહ્યું-'તે પછી,સર્વ તપસ્વીઓ,તપને માટે નિશ્ચયવાળી તે કન્યાને જોઈને તેને તપથી અટકાવતા પૂછવા લાગ્યા કે-'તારે કયું કાર્ય સિદ્ધ કરવું છે?' અંબાએ કહ્યું-'ભીષ્મે મને પતિધર્મથી ભ્રષ્ટ કરીને રઝળતી કરી છે.માટે તે ભીષ્મના વધ માટે મેં આ તપની દીક્ષા ધારણ કરી છે.હું સ્ત્રીપણાથી બહુ કંટાળી ગઈ છું ને પુરુષ જન્મ મેળવવાના નિશ્ચયપૂર્વક ભીષ્મનો બદલો લેવાની ઈચ્છા રાખું છું.માટે તમારે મને આ કાર્યમાં મને અટકાવવી નહિ' ત્યારે,તે મહર્ષિઓની વચ્ચે પાર્વતીપતિ શંકરે પોતાના સ્વરૂપથી દર્શન આપી વર આપતાં કહ્યું કે-'તું ભીષ્મનો વધ કરીશ'

Jun 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-840

 

અધ્યાય-૧૮૬-અંબાની તપશ્ચર્યા 


II राम उवाच II प्रत्यक्षमेतल्लोकानां सर्वेषामेव भाविनि I यथाशक्त्य मया युद्धं कृतं वै पौरषं परम् II १ II

પરશુરામે કહ્યું-'હે ભાવિની કન્યા,આ સર્વ લોકની સમક્ષ મેં મારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીને મારું ઉત્તમ પરાક્રમ કરી દેખાડ્યું છે.મેં સર્વ અસ્ત્રો પ્રગટ કર્યાં છતાં હું ભીષ્મથી ચઢિયાતો થવા સમર્થ થતો નથી.મારી પરમ શક્તિ ને બળ એ જ છે માટે હે કલ્યાણી,હવે તું તારી ઇચ્છામાં આવે ત્યાં જા અથવા બોલ,હું તારું બીજું શું કામ કરું? હું તો કહું છું કે તું ભીષ્મને જ શરણે જા,તે વિના તારી બીજી કોઈ ગતિ નથી.તારું આ કામ કરવા હું અસમર્થ છું.'

Jun 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-839

 

અધ્યાય-૧૮૫-યુદ્ધનિવારણ 


II भीष्म उवाच II ततो हलहलाशब्दो दिवि राजन्महानभूत I प्रस्वापं भीष्म मा साक्षिरीति कौरवनन्दन II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,જેવી મેં 'પ્રસ્વાપન'અસ્ત્ર મુકવાની ઈચ્છા કરી,ત્યારે તુરત જ આકાશમાં 'હે ભીષ્મ,તમે 'પ્રસ્વાપન'અસ્ત્રને પ્રગટ કરશો નહિ' એવો હલહલાટ થઇ રહ્યો.તો પણ મેં અસ્ત્ર મુકવાની યોજના કરી ત્યારે તુરત જ નારદમુનિએ મને આવીને કહ્યું કે-'હે કૌરવ્ય,આ દેવગણો તમને આ અસ્ત્રનો પ્રયોગ કરવા વારી રહ્યા છે,માટે તમે આ શસ્ત્રનો પ્રયોગ કરો નહિ.પરશુરામ,તમારા ગુરુ,તપસ્વી,બ્રહ્મવેત્તા ને બ્રાહ્મણ છે,માટે તેમનું કોઈ રીતે તમે અપમાન કરો નહિ.'

Jun 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-838

 

અધ્યાય-૧૮૪-પરસ્પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ 


II भीष्म उवाच II ततो रात्रौ व्यतीतायां प्रतिबुद्धोस्मि भारत I ततः संचित्य स्वप्नमवापं हर्षमुत्तमम II १ II

ભીષ્મે કહ્યું-હે ભારત,પછી,રાત્રિ વીતી ગઈ ને હું જાગ્રત થયો ત્યારે સ્વપ્ન સંભારીને બહુ આનંદ પામ્યો.તે દિવસે યુદ્ધ ચાલુ થયું ત્યારે પરશુરામ મારા પર બાણોની વૃષ્ટિ કરી એટલે મેં પણ સામે બાણો છોડીને તેનું નિવારણ કરવા માંડ્યું.ક્રોધે ભરાઈને તેમણે,વજ્ર જેવી શક્તિનો મારી હાંસડી પર પ્રહાર કર્યો,જેના ઘામાંથી ભયંકર રુધિરધારા વહેવા લાગી.એટલે મેં પણ સામે સર્પના જેવું ઝેરી બાણ છોડ્યું કે જે તેમના લલાટમાં પેસી ગયું.તેમણે પણ ક્રોધથી કાળના જેવું ભયંકર મારી છાતી પર છોડ્યું કે જેનાથી હું રુધિરથી તળબોળ થઈને જમીન પર પડ્યો.થોડીવારે ભાનમાં આવીને મેં તેમની છાતી પર શક્તિનો પ્રહાર કર્યો,કે જેનાથી તે રામ અત્યંત વિહવળ થઇ ગયા ને કંપી ઉઠ્યા.

Jun 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-837

 

અધ્યાય-૧૮૩-ભીષ્મને પ્રસ્વાપનાસ્ત્રની સ્મૃતિ 


II भीष्म उवाच II ततोऽहं निशि राजेन्द्र प्रणम्य शिरसा तदा I ब्राह्मणानां पितृणां च देवतानां च सर्वशं II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,તે પછી રાત્રે,બ્રાહ્મણોને,પિતૃઓને,દેવ-દેવતાઓને,નિશાચર પ્રાણીઓને અને ક્ષત્રિયોને મસ્તક વડે પ્રણામ કરીને એકાંતમા શયન કરીને મનમાં વિચારવા લાગ્યો કે-'પરશુરામ સાથે મારું આ યુદ્ધ ઘણા દિવસથી ચાલે છે પણ તેમને હું જીતી શકતો નથી,હે દેવતાઓ,જો મારાથી તેમને જીતી શકાય તેમ હો તો મને દર્શન આપો' ત્યારે તે પ્રભાતે જે બ્રાહ્મણો(વસુઓ)એ મારું રક્ષણ કર્યું હતું તેઓએ મને સ્વપ્નમાં દર્શન આપી આશ્વાસન આપ્યું ને કહેવા લાગ્યા કે-