અધ્યાય-૫૬-સંજયનું ભાષણ-પાંડવોના રથાદિનું વર્ણન
II दुर्योधन उवाच II अक्षौहिणीः सप्तलब्ध्वा राजाभिः सह संजय I किंस्विदिच्छति कौन्तेयो युध्दःप्रेप्सुर्युधिष्ठिरः II १ II
દુર્યોધને પૂછ્યું-હે સંજય,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર,રાજાઓની સાથે સાત અક્ષૌહિણી સેના મેળવી શું ઈચ્છા રાખે છે?
સંજય બોલ્યો-હે રાજા,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર અતિશય આનંદમાં રહે છે.અર્જુન,ભીમ,નકુળ તથા સહદેવ પણ નિર્ભય જણાય છે.અર્જુને અસ્ત્રના મંત્રોની અસર જાણવાની ઈચ્છાથી સર્વ દિશાઓને પ્રકાશિત કરનારો પોતાનો રથ જોડ્યો હતો.કવચ પહેરીને તૈયાર થયેલા અર્જુને સર્વ તરફનો વિચાર કરીને આનંદ પામતાં મને કહ્યું કે-'હે સંજય,તું અમારું આ પ્રાથમિક ચિહ્નન જો,અમે યુદ્ધમાં જીતીશું'
દુર્યોધન બૉંલ્યો-હે સંજય,તું માત્ર,પાસાઓથી હારી ગયેલા પાંડવોની પ્રસંશા કરે છે ને તેમને અભિનંદન આપે છે,
પણ કહે કે અર્જુને,રથને કેવા ઘોડાઓ જોડ્યા છે અને તેના ધ્વજો કેવા છે?(6)