SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Sep 9, 2026
ભાગવત રહસ્ય-૨૫૧-Bhgavat Rahasya-251
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1216
અધ્યાય-૧૨-કુલૂતરાજ ક્ષેમધૂર્તિનો વધ
II संजय उवाच II ते सेनेन्योन्यमासाद्य प्रहृष्टाश्वनरद्विपे I बृहत्यो संप्रजहाते देवासुरसमप्रभे II १ II
સંજય બોલ્યો-જેમના ઘોડાઓ,હાથીઓ અને મનુષ્યો ખુશખુશાલ જણાતા હતા તેવી એ બંને પક્ષની દેવાસુર સમાન કાંતિવાળી સેનાઓ સામસામે ભેટીને મારો ચલાવવા લાગી.અનેક પુરુષસિંહોના મસ્તકો ટપોટપ જમીન પર પડીને રણભૂમિને પાથરી દેવા લાગ્યા.વળી,ત્યાં હાથીઓ,ઘોડાઓ ને રથોનો કચ્ચરઘાણ થઈને પૃથ્વી પર પથરાયો.બંને પક્ષના શૂરાઓ અન્યોન્યનો સંહાર કરી રહ્યા હતા તેવામાં ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,દ્રૌપદીના પુત્રો,પ્રભદ્રકો,સાત્યકિ,ચેકિતાન આદિ યોદ્ધાઓ કૌરવ સૈન્ય સામે ધસી આવ્યા.તે ઉપરાંત પાંચાલો,કેકયો,કારુષો,કોસલો,માગધો આદિ યોદ્ધાઓ પણ ભીમ સાથે જોડાયા હતા.
Sep 8, 2026
ભાગવત રહસ્ય-૨૫૦-Bhgavat Rahasya-250
રામજીએ ચૌદ વર્ષ કંદમૂળનું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળનું પિંડદાન કર્યું છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1215
અધ્યાય-૧૧-મકરવ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ
II धृतराष्ट्र उवाच II सेनापत्यं तु संप्राप्य कर्णो वैकर्तनस्तदा I तथोक्तमु स्वयं राज्ञा स्निग्धं भ्रातृसमं वचः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ત્યારે દુર્યોધને પોતે એક ભાઈની જેમ સ્નેહાળ વચન કર્ણને કહ્યું ને તે સેનાપતિ બન્યો,
સૂર્યના ઉદયની બાદ કે કર્ણે સેનાઓને તૈયાર થવાની આજ્ઞા આપ્યા પછી શું થયું હતું તે મને કહે.
સંજય બોલ્યો-ત્યારે તૈયાર કરાતા હાથી,ઘોડા,રથો,અને પાળાઓનો મહાન કોલાહલ થયો ને તેનો તુમુલ શબ્દ આકાશમાં અથડાવા લાગો.કર્ણના રથ પર શ્વેત પતાકા ફરકતી હતી,શ્વેત ઘોડાઓ જોડાયેલા હતા ને તેની ધજામાં નાગકક્ષ (હાથીની કેડે બાંધવાના સુવર્ણના પટ્ટાનું) ચિહન જણાતું હતું.તે રથમાં સેંકડો ભાથાઓ,ગદાઓ અને અનેક જાતનાં વિવિધ હથિયારો ભરેલા હતા ને તે રથની આસપાસ લોખંડી ઓઢણ જડેલો હતો.
Sep 7, 2026
ભાગવત રહસ્ય-૨૪૯-Bhgavat Rahasya-249
ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?





