Sep 18, 2026

ભાગવત રહસ્ય-૨૬૦-Bhgavat Rahasya-260

હનુમાનજીએ વાનરસેના સહિત દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જાંબવાન પાસે હનુમાનજી આવ્યા છે.ત્યાં સમાચાર મળ્યા કે-સીતાજી અશોકવનમાં છે.દરિયો ઓળંગીને જે જશે તેને જ સીતાજી મળશે.આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. બધા વિચારમાં પડી ગયા છે.કોણ દરિયો ઓળંગે? ત્યારે જાંબવાન ,હનુમાનજીને તેમની શક્તિનું ભાન કરાવે છે. (પોતાની શક્તિની ઓળખાણ કરાવે છે)

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1225

 

અધ્યાય-૨૧-કર્ણ અને પાંડવોની ભેટ 


II धृतराष्ट्र उवाच II पांड्ये हते किमकरोदर्जुनो युधि संजय I एकविरेण कर्णेन द्रावितेषु परेषु च II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ યુદ્ધમાં પાંડ્યરાજ માર્યો ગયો ને બીજી તરફ એકલવીર કર્ણ શત્રુઓને હાંકી કાઢવા મંડ્યો ત્યારે અર્જુને શું કર્યું હતું?તે બળવાન છે ને સર્વ ભૂતોમાં અજિત રહેવાની,મહાત્મા શંકરે તેના પર કૃપા કરી છે.તે અર્જુન તરફથી મને તીવ્ર મહાભયની શંકા રહ્યા કરે છે,તો તેણે રણમાં જે કર્મ કર્યું હોય તે મને કહે.'

Sep 17, 2026

ભાગવત રહસ્ય-૨૫૯-Bhgavat Rahasya-259

શ્રીકૃષ્ણને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –
એવું કઈ પોથીમાં લખ્યું છે-કે પાપીને તમારાં દર્શન થાય છે? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-
“મુનિજનો જન્મ-જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના 
મુખમાંથી રામ-નામ નીકળતું નથી, કે પ્રભુના દર્શન થતા નથી.હું તો પાપી નથી પણ પુણ્યશાળી 
છું કે –અંતકાળમાં આપનાં દર્શન કરું છું.તમારાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે,
હવે હું પાપી રહ્યો નથી.તમારાં દર્શન દેવોને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1224

 

અધ્યાય-૨૦-પાંડ્યરાજાનું પતન 


II धृतराष्ट्र उवाच II प्रोक्तस्त्व्या पूर्वमेव प्रविरो लोकविश्रुतः I न त्वस्य कर्मसंग्रामे त्वया संजय कीर्तितम II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડ્યરાજ એક લોકપ્રખ્યાત વીર પુરુષ છે એમ તેં પ્રથમ જ કહ્યું.પણ સંગ્રામમાં 

તેણે જે મહાપરાક્રમ કર્યું હતું તે તેં કહ્યું નહિ,તો હવે તેના પરાક્રમને વિસ્તારપૂર્વક મને કહે.

Sep 16, 2026

ભાગવત રહસ્ય-૨૫૮-Bhgavat Rahasya-258

પરમાત્મા જીવ માત્રના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે.
જગતનો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે,પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહિ.
જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર તેને પોતાના જેવો બનાવે છે.પરમાત્મા અતિશય ઉદાર છે,
ઈશ્વર જીવને આપે છે-ત્યારે આપવામાં સંકોચ કરતા નથી, જયારે જીવ આપે છે-ત્યારે 
વિચાર કરીને આપે છે.પોતાના માટે થોડુંક રાખીને બીજાને આપે છે.