પરંતુ રામજીએ યાદ રાખી ગુહકના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે.અતિસંપત્તિમાં પણ
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,
More then 14-Million Views
II वैशंपायन उवाच II हते कर्णे महाराज निशि गावल्गणिस्तदा I दीनो ययौ नागपुरमश्वैर्वातसमैर्जवे II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,કર્ણ મરાયો એટલે તરત જ તે રાતે સંજય ધૃતરાષ્ટ્ર પાસે ગયો.ને રાજાના ચરણમાં મસ્તક નમાવીને કહેવા લાગ્યો કે-'હે રાજન,હું સંજય છું.તમે સુખી છો ને?પોતાના દોષથી આપત્તિ વહોરી લઈને હવે તમે મૂંઝાતા નથી ને?વિદુરે,દ્રોણાચાર્યે,ભીષ્મપિતામહે તથા શ્રીકૃષ્ણે જે જે હિતવચનો કહ્યાં હતાં તેનું સ્મરણ કરીને ને 'તે હિતવચનો મેં માન્યાં નહોતાં'એવો વિચાર કરીને તમે મનમાં દુઃખ કરતા નથી ને? 'પરશુરામ,નારદ,કણ્વ આદિ મહર્ષિઓએ સભામાં મને હિતવચનો કહ્યાં હતાં,છતાં મેં એમનો સ્વીકાર કર્યો નહિ' એમ સંભારીને તમને આજે કોઈ વ્યથા થતી નથીને? તમારા હિતમાં યુક્ત રહેનારા ભીષ્મ તથા દ્રોણાચાર્ય આદિ સુહૃદોને શત્રુઓએ યુદ્ધમાં મારી નાખ્યા છે તેમનું સ્મરણ કરીને તમને મનમાં પીડા થતી નથીને?
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને
'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.
II वैशंपायन उवाच II ततो द्रोणे हते राजन दुर्योधनमुखा नृपाः I भृशमुद्विग्नमनसो द्रोणपुत्रमुपागमन II १ II
વૈશંપાયન બોલ્યા-'આમ,હે રાજન,દ્રોણાચાર્ય હણાયા,એટલે મનમાં અત્યંત ઉદાસ થયેલા દુર્યોધન આદિ રાજાઓ અશ્વત્થામાની પાસે ગયા,ને શારદવતીના સુત અશ્વત્થામાની આસપાસ વીંટાઇને બેઠા.એક મુહૂર્તકાળ સુધી તેમણે પરસ્પર અનેક શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો કહી સંભળાવ્યા,ને પછી તે સર્વે રાજાઓ સાવધાન થઈને પોતપોતાના તંબુઓમાં ગયા.તંબુઓમાં જઈને પણ તે રાજાઓને સુખ થયું નહિ કારણકે તેઓ દુઃખ ને શોકથી વ્યાકુળ થઈ ગયા હતા.ખાસ કરીને કર્ણ,દુઃશાસન,અને શકુનિ તો સાથે મળીને વિચાર કરતા દુર્યોધનના તંબુમાં જ સુઈ રહ્યા.ત્યાં તેઓ,પોતે પાંડવોને જે દુઃખ આપ્યું હતું તેનો વિચાર કરવા લાગ્યા.જુગારમાં કપટ,દ્રૌપદીનું અપમાન-આદિ વિચાર કરતા તે રાત્રિ તેમને સો વર્ષ જેવડી થઇ ગઈ હતી.