SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Sep 5, 2026
ભાગવત રહસ્ય-૨૪૭-Bhgavat Rahasya-247
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1212
અધ્યાય-૮-ધૃતરાષ્ટ્રનો કર્ણ વિષે શોક
II जनमेजय उवाच II श्रुत्वा कर्ण हतं युद्धे पुत्रांश्वैव निपातितान् I नरेन्द्रः किंचिदाश्वस्तो द्विजश्रेष्ठ किमब्रवीत् II १ II
જન્મેજય બોલ્યા-'એ યુદ્ધમાં કર્ણને તથા પોતાના પુત્રોને મરણ પામેલા સાંભળીને તે ધૃતરાષ્ટ્ર મૂર્છિત થઇ પડ્યા પણ
કંઈક શાંતિ થયા પછી તેમને સંજયને શું કહ્યું હતું?ખરેખર તેમને પુત્રોના સંકટને લીધે પરમદુઃખ આવી પડ્યું હતું.'
Sep 4, 2026
ભાગવત રહસ્ય-૨૪૬-Bhgavat Rahasya-246
પાછળ,ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે.
Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1211
અધ્યાય-૭-કૌરવોમાંના જીવતા મહારથીઓ
II धृतराष्ट्र उवाच II मामकास्यास्य सैनस्य ह्रतोत्सेक्स्य संजय I अवशेषं न पश्यामि ककुदे मृदिते सति II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,જેમ,કોઈ એક ક્ષુદ્ર તલાવડીના ઘણા ખરા જળને ક્યારાઓમાં વાળી લીધા પછી તે તલાવડી નથી જ એમ મનાય છે તેમ,ભીષ્મ,દ્રોણાચાર્ય ને કર્ણ આદિ પ્રધાન પુરુષોનો વિનાશ થતાં હવે મને સૈન્ય બાકી રહેલું નથી જ એમ દેખાય છે.કુરુઓમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ અને દ્રોણાચાર્ય મરણ પામ્યા છે એ સાંભળીને,હવે તુચ્છ રીતે જીવવાનું મને કંઈ પ્રયોજન દેખાતું નથી.કર્ણનો મને શોક થતો નથી કેમકે જ્યાં ભીષ્મ ને દ્રોણાચાર્ય મરાયા ત્યાં તે કર્ણનો શો હિસાબ? હે સંજય,હવે તું મારા સૈન્યમાં જે જીવતા છે તેમને પણ તું નામોદ્દેશપૂર્વક મને કહે.જેઓ જીવે છે તેઓ બધા મરી જ ગયા છે એમ હું માનું છું'




