પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખથી પરમાત્મા આરોગે છે.
More then 14-Million Views
II संजय उवाच II अर्जुनस्य वचः श्रुत्वा नोचुस्तत्र महारथाः I अप्रियं वा प्रियं वापि महाराज धनंजयम् II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,અર્જુનનાં એ વચનો સાંભળીને ત્યાં રહેલા સર્વ મહારથીઓએ અર્જુનને પ્રિય કે અપ્રિય કશું જ સામું કહ્યું નહિ પણ એ વચન સાંભળીને ભીમસેન કોપીને જાણે અર્જુનની નિંદા કરતો હૉય તેમ બોલી ઉઠ્યો કે-અરે પાર્થ,આ તો તું અરણ્યવાસી મુનિના જેવું ને તીક્ષ્ણ વ્રત આચરતા બ્રાહ્મણના જેવું ધર્મવચન કહે છે,પણ ક્ષત્રિયો તો સર્વ કોઈનું રખવાળું કરે છે.તું ક્ષત્રિયનાં સર્વ ગુણોથી યુક્ત છે ને આપણા કુળમાં ધુરંધર છે છતાં આજે આમ અજ્ઞાનીની જેમ બોલે છે તે તને શોભતું નથી.ખરે,તારું પરાક્રમ ઇન્દ્રના જેવું જ છે ને તું પણ કદી ધર્મનું ઉલ્લંઘન કરતો નથી,તો કયો પુરુષ તારી પૂજા નહિ કરે?કારણકે તેર વર્ષના ક્રોધ અને દુઃખને અંતે પણ તું આજે ધર્મની જ અભિકાંક્ષા રાખે છે !!
II संजय उवाच II प्रादुर्भूते ततस्तस्मिन्नस्त्रे नारायणे प्रभो I प्रावात्सपृषतो वायुरनभ्रे स्तनयित्नुमान II १ II
સંજય બોલ્યો- આમ,હે પ્રભુ જ્યારે તે નારાયણાસ્ત્ર પ્રગટ થયું ત્યારે મેઘવિહીન આકાશમાં જાણે મેઘ ગર્જના કરતો વાયુ જળબિન્દુઓ સહિત વાવા લાગ્યો.ત્યારે પૃથ્વી પણ કંપવા લાગી,મહાસાગર ખળભળી ઉઠ્યો અને સમુદ્ર તરફ વહેતી નદીઓ પણ ઉલટે પ્રવાહે વહેવા લાગી. ત્યાં પર્વતોના શિખરો છિન્નભિન્ન થઈ પડવા લાગ્યા અને મૃગલાંઓ પાંડવ સેનાની ડાબી બાજુ થઈને જવા લાગ્યા.ત્યારે જ્યાં ત્યાં અંધકાર છવાઈ ગયો સૂર્ય નિસ્તેજ થઈ ગયો અને માંસાહારી પ્રાણીવર્ગ હર્ષમાં આવી જઈ અને ઝડપિયાં નાખવા લાગ્યો.અશ્વત્થામાનું ઘોર અત્ર જોઈને સર્વ ગભરાટમાં પડી ત્રાહ્ય ત્રાહ્ય પોકારવા લાગ્યા.