પાછળ,ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે.
SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Sep 4, 2026
ભાગવત રહસ્ય-૨૪૬-Bhgavat Rahasya-246
પાછળ,ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે.
Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1211
અધ્યાય-૭-કૌરવોમાંના જીવતા મહારથીઓ
II धृतराष्ट्र उवाच II मामकास्यास्य सैनस्य ह्रतोत्सेक्स्य संजय I अवशेषं न पश्यामि ककुदे मृदिते सति II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,જેમ,કોઈ એક ક્ષુદ્ર તલાવડીના ઘણા ખરા જળને ક્યારાઓમાં વાળી લીધા પછી તે તલાવડી નથી જ એમ મનાય છે તેમ,ભીષ્મ,દ્રોણાચાર્ય ને કર્ણ આદિ પ્રધાન પુરુષોનો વિનાશ થતાં હવે મને સૈન્ય બાકી રહેલું નથી જ એમ દેખાય છે.કુરુઓમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ અને દ્રોણાચાર્ય મરણ પામ્યા છે એ સાંભળીને,હવે તુચ્છ રીતે જીવવાનું મને કંઈ પ્રયોજન દેખાતું નથી.કર્ણનો મને શોક થતો નથી કેમકે જ્યાં ભીષ્મ ને દ્રોણાચાર્ય મરાયા ત્યાં તે કર્ણનો શો હિસાબ? હે સંજય,હવે તું મારા સૈન્યમાં જે જીવતા છે તેમને પણ તું નામોદ્દેશપૂર્વક મને કહે.જેઓ જીવે છે તેઓ બધા મરી જ ગયા છે એમ હું માનું છું'
Sep 3, 2026
ભાગવત રહસ્ય-૨૪૫-Bhgavat Rahasya-245
બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે.વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતી સાથે આવ્યા છે અને રથમાં વિરાજ્યા છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1210
અધ્યાય-૬-પાંડવ પક્ષના મરણ પામેલા મહારથીઓ
II धृतराष्ट्र उवाच II आख्याता मामकास्तात निहता युधि पांडवैः I हताश्च पांडवेयानां मामकैर्ब्रुहि संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત,એ યુદ્ધમાં પાંડવોએ મારેલા મારા જે યોદ્ધાઓના નામ તેં કહ્યા,
તે જ પ્રમાણે મારા યોદ્ધાઓએ મારી નાખેલા પાંડવ યોદ્ધાઓના નામનિર્દેશ તું મને કહે.
સંજય બોલ્યો-હે રાજન,મહાબળવાન કુંતીરાજને ભીષ્મપિતામહે અમાત્યો અને પરિવાર સહીત મારી નાખ્યા છે.વળી પાંડવો પર પ્રીતિ રાખનારા સર્વ નારાયણોને,બલભદ્રોને અને સેંકડો શૂરા યોદ્ધાઓને ભીષ્મપિતામહે યુદ્ધમાં પાડી નાખ્યા છે.સત્યજિત રાજા,વૃદ્ધ દ્રુપદરાજ અને વિરાટરાજને દ્રોણાચાર્યે રણમાં રોળી નાખ્યા છે.અભિમન્યુને દુઃશાસનના પુત્રે માર્યો છે.અમ્બષ્ઠના પુત્રને દુર્યોધનના પુત્ર લક્ષ્મણે મારી નાખ્યો છે.ને બૃહન્તરાજાને દુઃશાસને યમગૃહે મોકલ્યો છે.




