Apr 29, 2026

ભાગવત રહસ્ય-૧૩૭-Bhgavat Rahasya-137

Photo by -Anil Shukla 
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ? 
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1119

 

અધ્યાય-૧૨૩-દુઃશાસનનો પરાજય 


II संजय उवाच II ततो दुःशासनो राजन शैनेयं समुपाद्रवत I किरन शरसहस्त्राणि पर्जन्य इव वृष्टिमान II १ II

સંજય બોલ્યો-હે રાજન,તે પછી,વૃષ્ટિવાળા મેઘની જેમ હજારો બાણોને છોડતા દુઃશાસને સાત્યકિ સામે ધસારો કર્યો ને અનેક દેશોના રથસમુદાય વડે તેને ચારે બાજુથી ઘેરી લઈને અનેક બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ જરા પણ ગભરાયા વિના,ગર્જના કરીને ભયકંર બાણવર્ષા કરીને તે સર્વ સૈન્યને છાઈ દીધું.બાણોથી ઢંકાઈ ગયેલ તે સૈન્યના યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે એકલો દુઃશાસન નિર્ભય થઈને સાત્યકિ સામે ઉભો રહ્યો ને બાણો મૂકીને તેને પીડવા લાગ્યો.

Apr 28, 2026

ભાગવત રહસ્ય-૧૩૬---સ્કંધ-૫-Bhgavat Rahasya-136-Skandh-5

સ્કંધ-૫-(સ્થિતિ લીલા)
સ્કંધ-૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને 
સ્થિતિલીલા પણ કહે છે.સ્થિતિ-એટલે પ્રભુનો વિજય.સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે.
પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને  ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1118

 

અધ્યાય-૧૨૨-દ્રોણાચાર્યનું પરાક્રમ 


II संजय उवाच II दुःशासनरथं द्रष्ट्वा समीपे पर्यवस्थितम् I भारद्वाजस्ततो वाक्यं दुःशासनमथाब्रवीत्  II १ II

સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્ય દુઃશાસનના રથને પોતાની પાસે ઉભેલો જોઈને તેને કહેવા લાગ્યા કે-'અરે ઓ દુઃશાસન,આ બધા રથો આમ નાસભાગ કેમ કરે છે?દુર્યોધન તો ક્ષેમકુશળ છે ને?સિંધુરાજ હજી જીવે છે ને?વળી,તું રાજપુત્ર,રાજભ્રાતા ને મહારથી છે છતાં આ યુદ્ધમાં કેમ નાસભાગ કરે છે? પૂર્વે તેં પાંચાલીને કહ્યું હતું કે-'તને અમે જુગારમાં જીતી લીધી છે માટે તું અમારી દાસી થઇ છે.તું દુર્યોધનના વસ્ત્રો પહેરનારી થા કારણકે હવે તારા પતિઓ બધા નપુંસક સરખા જ છે' આવ્યા કહ્યા પછી,તું અત્યારે કેમ પલાયન કરે છે? તેં પોતે જ પ્રથમ પાંડવો ને પાંચાલો સામે મહાન વેર બાંધ્યું છે તો હવે સાત્યકિ સામે આવ્યો છે તો કેમ ભયભીત થઈ ગયો છે?

Apr 27, 2026

ભાગવત રહસ્ય-૧૩૫-Bhgavat Rahasya-135

જગતને રાજી કરવું મુશ્કેલ છે.પોતાના ઘરમાં યે બધાને રાજી કરવા મુશ્કેલ છે. સર્વ ને સદાકાળ રાજી કરી શકાતા નથી.એક જુનું અને જાણીતું ઉદાહરણ યાદ આવે છે.એક સમયે-બાપ-દીકરો ઘોડાને લઇ જતાં હતા.દીકરાએ બાપને કહ્યું કે-તમે ઘોડા પર બેસો. હું ચાલીશ. બાપ ઘોડા પર બેઠો.જતા હતા અને સામે માણસો મળ્યા. તે વાતો કરે કે –જુઓ આ બાપ કેટલો નિર્દય છે.પોતે ઘોડા પર બેઠો અને નાનો છોકરો તાપમાં ચાલે છે.બાપે આ સાંભળ્યું-તેણે છોકરાને કહ્યું-બેટા તું ઘોડા પર બેસ –હું ચાલીશ. દીકરો હવે ઘોડા પર બેઠો.