જરા વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ?
ધ્રુવ વિચાર કરતા જાય છે-'વનમાં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને ?
More then 13-Million Views
II संजय उवाच II प्रयातै तव सैन्यै तु युयुधानै युयुत्सया I धर्मराजो महाराज सेनानीकेन संवृतः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,યુદ્ધ કરવાની ઈચ્છાથી સાત્યકિ જયારે તમારા સૈન્ય સામે પ્રયાણ કરી ગયો,ત્યારે સાત્યકિની પાછળ પડેલા દ્રોણાચાર્યના રથને પહોંચી વાળવા ધર્મરાજ પોતાના સૈન્યથી વીંટાઇને ચાલી નીકળ્યા હતા.તે વેળા,ધૃષ્ટદ્યુમ્ન તથા રાજા વસુદાન પાંડવોના સૈન્યમાં મોટો ઘાંટો પાડીને કહેવા લાગ્યા કે-'હે વીર યોદ્ધાઓ,જલ્દી દોડી આવો અને શત્રુઓ પર પ્રહાર કરો,કે જેથી સાત્યકિ સુખેથી શત્રુસેનામાં દાખલ થઇ જાય.'તે સમયે સાત્યકિના રથ સામે મહાન શબ્દ થઇ રહ્યો હતો,પણ સાત્યકિએ શત્રુસેનાને સેંકડો સ્થળેથી તોડી નાખી એટલે તે વિખરાઈ જઈને આમતેમ દોડવા લાગી હતી.
II संजय उवाच II धर्मराजस्य तद्वाक्यं निशम्य शिनिपुंगवः I स पार्थाद्भयमाशंशन परित्यागान्महिपते: II १ II
સંજય બોલ્યો-ધર્મરાજાનું તે વાક્ય સાંભળ્યા પછી,શિનિશ્રેષ્ઠ સાત્યકિને,યુધિષ્ઠિરનો ત્યાગ કરવાથી અર્જુન તરફના ભયની તથા વિશેષે કરીને લોકો તરફના 'સાત્યકિ ડરી ગયો' એ રીતના અપવાદની વિચારણા થવા લાગી.તેથી તે મનમાં ને મનમાં બોલ્યો કે-'મને લોકો કહેશે કે,તું અર્જુન તરફ ગયો કેમ કે તું કૌરવસેનાથી ભયભીત થઇ ગયો છે' આ રીતે અનેક વિચાર કર્યા પછી સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,તમે તમારું રક્ષણ કરાયેલું માનતા હો તો તમારું કલ્યાણ થાઓ.હું અર્જુન તરફ જઈશ ને તમારું વચન પાળીશ.આ ત્રણેય લોકમાં મને અર્જુન કરતાં અધિક બીજો કોઈ પ્રિય નથી.