Jun 26, 2026

ભાગવત રહસ્ય-૧૭૯-Bhgavat Rahasya-179

હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરુ થાય છે. 
૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે.
--મનુષ્યની મિશ્ર વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.--સંત ની સદવાસના છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.--રાક્ષસોની અસદવાસના છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1160

 

અધ્યાય-૧૬૨-સાત્યકિનો ધસારો 


II संजय उवाच II सोमदत्तं तु संप्रेक्ष्यं विधुन्वानं महाद्वनुः I सात्यकिः प्राहः यंतारं सोमदत्ताय मां वह II १ II

સંજય બોલ્યો-એ સમયે સોમદત્ત પોતાના મહાન ધનુષ્યને રણમાં ધુણાવી રહ્યો હતો તે જોઈને સાત્યકિ પોતાના સારથિને કહેવા લાગ્યો કે-'તું મને સોમદત્ત પાસે લઇ જા આજે મારા મહાબળવાન શત્રુને માર્યા વિના હું પાછો ફરીશ નહિ,એ મારો નિશ્ચય છે'

સાત્યકિના કહેવાથી તેના સારથિએ ઘોડાઓને સોમદત્ત તરફ હાંક્યા.સાત્યકિને પોતાની સામે આવતો જોઈને સોમદત્તે અનેક બાણોથી તેને ઢાંકી દીધો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યો.લોહીલુહાણ થયેલા સાત્યકિએ પણ સામે અનેક બાણો મૂકીને સોમદત્તને વીંધી નાખી તેને લોહીલુહાણ કરી નાખ્યો.કુરુ અને યદુવંશના તે બંને યોદ્ધાઓ વચ્ચેનું  યુદ્ધ અદભુત હતું.

Jun 25, 2026

ભાગવત રહસ્ય-૧૭૮-Bhgavat Rahasya-178

ધર્મરાજાના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણ લોકોનાં એંઠાં પતરાવડા ઉપાડે છે.
હલકામાં હલકું કામ ભગવાન કરે છે.તેથી -લોકો એમ માને કે-જો પરમાત્મા હોય તો આવાં એંઠાં પતરાવડા ઉપાડે ? આ છે-ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનો દિવ્ય કર્મયોગ.ફળ ઉપર કોઈ અધિકાર રાખ્યો નથી, ફળની કોઈ અપેક્ષા નથી,કોઈ સ્વાર્થ નથી,આશા નથી-છતાં કર્મ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1159

 

અધ્યાય-૧૬૧-કાપાકાપી 


II संजय उवाच II ततो युधिष्ठिरश्वैव भीमसेनश्च पांडवः I द्रोणपुत्रं महाराज समंतात पर्यवारयन् II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,તે પછી યુધિષ્ઠિર અને ભીમસેન,આગળ ધસીને અશ્વત્થામાને વીંટાઈ વળ્યા હતા.આ તરફથી દુર્યોધન પણ દ્રોણાચાર્યથી વીંટાઇને પાંડવો સામે ધસી આવ્યો.ને ત્યાં તુમુલ યુદ્ધ શરુ થયું હતું કે જે ઘોર સ્વરૂપવાળું હતું.કોપેલ ભીમસેને અમ્બષ્ઠો,માલવો,વંગો,ત્રિગર્તો,શિબીઓ,અભિશાહો,શૂરસેનો ને બીજા કેટલાક યોદ્ધાઓની ટુકડીને યમલોકમાં મોકલી દીધી હતી.ત્યારે પૃથ્વીમાં લોહીનો કીચડ થઇ ગયો હતો.અર્જુને પણ,ભીલ યોદ્ધાઓ,મદ્રકો ને માલવોને મારી નાખ્યા હતા.

Jun 24, 2026

ભાગવત રહસ્ય-૧૭૭-Bhgavat Rahasya-177

નારદજી –ધર્મરાજાને પ્રહલાદની આ પવિત્ર કથા સંભળાવે છે.નારદજીએ પ્રેમપૂર્વક પ્રહલાદની કથા કહી-તેમ છતાં ધર્મરાજાના મુખ પર તેમણે ગ્લાનિ (દુઃખ) જોઈ.નારદજીએ ધર્મરાજાને કારણ પૂછ્યું.ધર્મરાજા જવાબ આપે છે-કે-માત્ર પાંચ વર્ષના પ્રહલાદના જ્ઞાન,વૈરાગ્ય,પ્રેમ કેવા હતા !! ધન્ય છે પ્રહલાદને,ધન્ય છે તેના પ્રેમને-કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે.હું પંચાવન વર્ષનો થયો,મને હજુ એકવાર પણ પ્રભુના દર્શન થયાં નથી.