SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 3, 2026
ભાગવત રહસ્ય-૧૪૧-Bhgavat Rahasya-141
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1123
અધ્યાય-૧૨૭-ભીમસેનનો કૌરવસેનામાં પ્રવેશ
II भीमसेन उवाच II ब्रह्मेशानेन्द्रवरुणानवहद्यः पुरा रथः I तमास्थाय गतौ कृष्णौ न त्योर्निद्यते भयम् II १ II
ભીમસેન બોલ્યો-'પૂર્વે બ્રહ્મા,શંકર,ઇન્દ્ર અને વરુણ યુદ્ધ સમયે જે રથમાં બેસતા હતા તે રથમાં બેસીને અર્જુન તથા શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા ગયા છે માટે તે બંનેને કોઈ જાતનો ભય હોય નહિ.છતાં આપની આજ્ઞાને મસ્તક પર ચડાવીને હું જાઉં છું.તમે શોક કરશો નહિ.તે પુરુષવ્યાઘ્રોને મળીને હું આપણે તેમનો કુશળ સંદેશ આપીશ' એમ કહીને ભીમે ધૃષ્ટદ્યુમ્નને યુધિષ્ઠિરનું રક્ષાકર્મ સોંપતા તેને કહું કે-'યુધિષ્ઠિરે મને અર્જુન અને સાત્યકિના પગલે જવાની આજ્ઞા આપી છે.અને તેને પાછી ઠેલવાની હું હામ કરી શકતો નથી.તમે બરાબર સાવધાન થઈને યુધિષ્ઠિરનું રક્ષણ કરજો,આ યુદ્ધમાં તમારું પરમ કર્તવ્ય આ જ છે'
May 2, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1122
અધ્યાય-૧૨૬-યુધિષ્ઠિરની ચિંતા
II संजय उवाच II व्युहेष्वालोयमानेषु पांडवानां ततस्ततः I सुदरमन्वयु: पार्थाः पांचालाः सोमकैः सह II १ II
સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્ય પાંડવોના વ્યુહોને ચારે બાજુથી મથવા માંડ્યા ત્યારે પાંડવો,પાંચાલો અને સોમકો રણમાંથી અત્યંત દૂર નીકળી ગયા.તે સમયે ભયંકર ને રોમાંચકારી સંગ્રામ ચાલી રહ્યો હતો.ત્યાં જાણે પ્રલયકાળના જેવો જગતનો ઘોર સંહાર મંડાઈ રહ્યો હોય તેમ જણાતું હતું.ત્યારે યુધિષ્ઠિરને કશો આરો દેખાયો નહિ ને તેમને ચિંતા થવા લાગી.તેમને અર્જુનના ગાંડીવનો ટંકાર સંભળાતો નહોતો ને સાત્યકિના કોઈ સમાચાર નહોતા.
May 1, 2026
ભાગવત રહસ્ય-૧૩૯-Bhgavat Rahasya-139
ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ.જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક ત્યાગ કર્યો.બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ કરીએ)તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજીએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યા,ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું,હરણ ઉપર સ્નેહ (મોહ) થયો.
હરણબાળ પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો.
ભરતજીના મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના(સંકલ્પ) પુનર્જન્મનું કારણ બની.




