આ બે શબ્દો ની મધ્યમાં ગીતા છે.
મમ-એટલે મારું- મારુ શું ? તો મમ-ધર્મ-એટલે-મારો એક માત્ર ધર્મ જ છે.
અહીં ધર્મ એટલે સત્કર્મ- મારે હાથે જેટલું સત્કર્મ થયું એટલું જ મારું છે.શરીર પણ મારું નથી.
More then 13-Million Views
II अर्जुन उवाच II कथमस्मद्विधार्थ ते कैश्व योगैजनार्दन I जरासंघप्रमृतयो धातिताः पृथिवीश्वराः II १ II
અર્જુન બોલ્યો-'હે જનાર્દન,તમે કયા ઉપાયો દ્વારા જરાસંઘ આદિ રાજાઓને અમારું હિત કરવા માટે મારી નખાવ્યા છે?'
વાસુદેવ બોલ્યા-'જરાસંઘ,શિશુપાળ અને મહાબળવાન એકલવ્ય જો પ્રથમ માર્યા ગયા નહોત તો દુર્યોધન યુદ્ધના સમયે તેમને પક્ષમાં લેત અને તેઓ આ સમયે ભયંકર થઇ પડત.કેમ કે તેમનો આશ્રય કરીને દુર્યોધન આ સઘળી પૃથ્વીનો વિજય કરી શકત.મેં જે ઉપાયોથી તેમને માર્યા તે સિવાય દેવો પણ તેમને રણમાં જીતી શકે તેમ નહોતા.તે ઉપાયો તું સાંભળ.
II संजय उवाच II हैडिंबिं निहतं द्रष्ट्वा विशीर्णमिवपर्वतम् I वभुवुः पांडवा: सर्वे शोकवाष्वाकुलेक्षणाः II १ II
સંજય બોલ્યો-તૂટી પડેલા પર્વત જેવા વિશાળ શરીરવાળા તે હિડિમ્બાનંદનને જોઈને સર્વ પાંડવો શોકાશ્રુથી આકુળ નેત્રોવાળા થઇ ગયા.પણ તે જ સમયે શ્રીકૃષ્ણ તો મોટા હર્ષથી છલકાઈ જવા લાગ્યા ને સિંહનાદ કરીને અર્જુનને ભેટી પડ્યા.ને અર્જુનને થાબડીને રથની બેસણી પર રહીને પુનઃ ગર્જના કરવા લાગ્યા.ત્યારે અર્જુન મનમાં ઉદાસ થઈને તેમને કહેવા લાગ્યો કે-'હે મધુસૂદન,ઘટોત્કચના મરણથી આપણે શોક પામ્યા છીએ તે વખતે તમે અતિ હર્ષ કરો તે અસ્થાને લાગે છે.આમાં કોઈ નાનુંસૂનું કારણ નહિ જ હોય,તમે જે સત્ય હોય તે કહો.જો વાત છાની રાખવા જેવી ન હોય તો તે મને કહેવી ઘટે છે'