Jul 13, 2026

ભાગવત રહસ્ય-૧૯૫-Bhgavat Rahasya-195

જેને ત્યાં દાન માગવા જાય તેના વડવાઓના વખાણ કરે તો દાન આપનાર 
જરા રંગમાં આવે છે.વામનજી બલિરાજાના વખાણ કરે છે.
રાજન,તને ધન્ય છે.પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,તમારા દાદા પ્રહલાદ 
મહાન ભગવદ ભક્ત હતા.પરમાત્માને તેમને માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1175

 

અધ્યાય-૧૭૭-રાક્ષસ અલાયુધનું યુદ્ધ 


II संजय उवाच II तमागतमभिप्रेक्ष्य भीमकर्माणमाहवे I हर्षमाहारयाश्चक्रु: कुरवः सर्व एव ते II १ II

સંજય બોલ્યો-યુદ્ધમાં ભયંકર કર્મ કરનારા રાક્ષસ અલાયુધને રણમાં આવી પહોંચેલો જોઈને કૌરવ પક્ષના સર્વ યોદ્ધાઓ આનંદિત થઇ ગયા.ને રાક્ષસ અલાયુધનું સ્વાગત વચનોથી સન્માન કરવા લાગ્યા.તે વખતે તે રાત્રિમાં કર્ણ અને ઘટોત્કચ વચ્ચે દારુણ દેખાવનું અમાનુષ યુદ્ધ ચાલી રહ્યું હતું.ને સર્વ યોદ્ધાઓ આશ્ચર્યની સાથે જોઈ રહ્યા હતા.દ્રોણાચાર્ય,અશ્વત્થામા અને કૃપાચાર્ય તે ઘટોત્કચનું પરાક્રમ જોઈને ગભરાટમાં પડી ગયા હતા ને દુઃખજનક શબ્દો કહેતા હતા કે-'આજે આપણું સૈન્ય નથી જ' હે મહારાજ,તમારું સૈન્ય ખિન્ન થઇ રહ્યું હતું,સર્વત્ર હાહાકાર થઇ રહ્યો હતો,કોઈને ભાન રહ્યું નહોતું અને સર્વને કર્ણની જિંદગી માટે નિરાશા જ દેખાતી હતી.તે વખતે જ દુર્યોધને અલાયુધને ઘટોત્કચને મારવા મોકલ્યો હતો.

Jul 11, 2026

ભાગવત રહસ્ય-૧૯૪-Bhgavat Rahasya-194

બિલકુલ પરિચય ન હોય –અને માથું નમે તો માનજો કે એ કોઈ ઈશ્વરનો અંશ છે.
વામનજીનો કોઈને ય પરિચય નથી પણ રસ્તામાં સહુ વામન મહારાજને નમસ્કાર કરે છે.
વામનજીનું પ્રાગટ્ય થયું છે-સિદ્ધાશ્રમમાં(જનકપુરી જતાં આ સિદ્ધાશ્રમ આવે છે.)
સિદ્ધાશ્રમથી વામન મહારાજ નર્મદાકિનારે ભૃગુકચ્છ નામના તીર્થમાં આવ્યા છે.
મોટો મંડપ બાંધેલો છે-વામનજી મંડપ નજીક આવ્યા છે.ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી યજ્ઞમાં આહુતિ આપે છે.ત્યારે જ ચારે બાજુ પ્રકાશ પડે છે.

Jul 10, 2026

ભાગવત રહસ્ય-૧૯૩-Bhgavat Rahasya-193

જૈમિનીની વાત સાંભળી –વ્યાસજીએ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.ત્યાં તેમણે એક સુંદર યુવતીને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભનમાં પડ્યા.જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું –વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1174

 

અધ્યાય-૧૭૬-દૂર્યોધન તરફથી રાક્ષસ અલાયુધનું રણે ચડવું 

II संजय उवाच II तस्मिस्तथा वर्तमाने कर्णराक्षसयो र्मुधे I अलायुधो राक्षसेन्द्रो वीर्यवानभ्यवर्तत II १ II

સંજય બોલ્યો-કર્ણ અને ઘટોત્કચનું એ પ્રમાણે યુદ્ધ થતું હતું ત્યારે રાક્ષસરાજ અલાયુધ મોટી રાક્ષસ સેના સાથે લઈને આવ્યો.પોતાના પૂર્વ વેરનું સ્મરણ કરીને ભીમસેનને મારી નાખવાની ઈચ્છાથી તે આ યુદ્ધમાં જોડાયો હતો કારણકે ભીમસેને તેની જ્ઞાતિના મહાપરાક્રમી બ્રાહ્મણભક્ષક એવા રાક્ષસ બકાસુર,રાક્ષસ કિર્મીરને અને પોતાના મિત્ર હિડિમ્બાસુરને ભીમે મારી નાખ્યા હતા.ભીમપુત્ર રાક્ષસ ઘટોત્કચ સામે યુદ્ધ કરવાની લાલસાથી તેણે દુર્યોધનને કહ્યું કે-