May 28, 2026

ભાગવત રહસ્ય-૧૬૧-Bhgavat Rahasya-161

હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.ત્યાં શંડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષનો બાળક તમને શું મારી શકે ? અમે તેણે વરુણપાશમાં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1143

 

અધ્યાય-૧૪૬-જયદ્રથનો વધ 

 II संजय उवाच II श्रुत्वा निनादं धनुषश्व तस्य विष्पष्टमुत्कृष्टभिवान्तकस्य I शक्राशनिस्फ़ोटसमं सुघोरं विकृष्णमाणस्य धनंजयेन II १ II

સંજય બોલ્યો-અર્જુને જયારે પોતાના ધનુષ્યને ખેંચ્યું હતું,ત્યારે તેનો ટંકારાવ,કાળની સ્પષ્ટ ગર્જના સરખો તથા ઇન્દ્રના વજ્રના સ્ફોટ સમો અતિઘોર સંભળાયો હતો.હે રાજન,ત્યારે તમારું સૈન્ય ત્રાસથી ઉદ્વિગ્ન થઇ ગયું હતું.એ સમયે અર્જુન સર્વ દિશાઓમાં એકી સાથે સર્વ અસ્ત્રોનો પ્રયોગ કરી દેખાડતો હતો.ને રણમાં ઘૂમતો હતો.પછી,તેણે એકદમ ક્રોધે ભરાઈને દુરાસદ ઐન્દ્રાસ્ત્ર પ્રગટ કર્યું.એટલે તરત જ ત્યાં દિવ્ય અસ્ત્રોથી મંત્રેલાં સેંકડો બાણો પ્રગટ થવા લાગ્યાં.અર્જુન સામે જે જે યોદ્ધાઓ આવતા હતા તેઓ સર્વે બળબળતા અગ્નિ સામે જતા પતંગિયાંની જેમ નાશ પામતા હતા.એ વેળા સંગ્રામમાં અર્જુને ચાલુ કરેલા મહાસ્ત્રોના અતિ દુસ્તર અને મહાઘોર પ્રવાહમાં મોટામોટા યોદ્ધાઓ ડૂબી મરતા હતા.એ મહાન સમરાંગણ મૃત્યુની સંહારભૂમિ જેવું જણાતું હતું.મૂર્તિમાન કાળની જેમ રણમાં ઘૂમી રહેલા એ અર્જુનના પરાક્રમને જોઈને,કૌરવો પૂર્વે કદી નહિ જોયેલા એવા મોટા ભયમાં આવી પડ્યા.સર્વે મહારથીઓનું ઉલ્લંઘન કરીને તે જયદ્રથની સામે પહોંચી ગયો ને ચોસઠ બાણો મારીને તેને વીંધી નાખ્યો.અર્જુનને જયદ્રથ સામે આવેલો જોઈને યોદ્ધાઓ પોતાના જીવિતને માટે,નિરાશ થઇ રણમાંથી નિવૃત્ત થઇ ગયા.

May 26, 2026

ભાગવત રહસ્ય-૧૬૦-Bhgavat Rahasya-160

યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે-કે-“હે,મૈત્રેયી,ઘર,પુત્ર,સ્ત્રી –આદિ જે પ્રિય લાગે છે-તે સુખને માટે પ્રિય લાગે છે.બાકી –પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે (આત્મા વૈ પ્રેયસામ પ્રિયઃ)
પતિના પર પત્નીનો અધિક પ્રેમ હોય છે,તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,પતિને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1142

 

અધ્યાય-૧૪૫-સંકુલ યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II तदवस्थे हते तस्मिन् भूरिश्रवसि कौरवे I यथा भुयोमवद्युद्वं तन्ममाचक्ष्य संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય જયારે તે ભૂરિશ્રવા મરણ પામ્યો પછી જે યુદ્ધ થયું હોય તે વિષે તું મને કહે.

સંજય બોલ્યો-હે ભારત,એ રીતે જયારે ભૂરિશ્રવા પરલોક પ્રયાણ કરી ગયો ત્યારે અર્જુને વાસુદેવને કહ્યું કે-હે કૃષ્ણ,જે તરફ જયદ્રથ છે તે તરફ આપણા ઘોડાઓને હંકારો,આ સમયે તે ત્રણ ધર્મોમાં આવી પડેલો સંભળાય છે.(જો તે યુદ્ધમાં મરણ પામે તો સ્વર્ગલોકે જશે,યુદ્ધમાં પલાયન કરતાં માર્યો જશે તો નરકે જશે,ને અર્જુનના ભયથી પોતાના દેશ તરફ ભાગી જશે તો યશરૂપી શરીરનો નાશ થતાં તેનો વાસ્તવિક નાશ થશે-આ રીતે તે ત્રણ ધર્મમાં રહેલો છે)

May 25, 2026

ભાગવત રહસ્ય-૧૫૯-Bhgavat Rahasya-159

પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે-તેમણે ભગવતસેવામાં અને ભગવત સ્મરણમાં જ આનંદ આવે છે.પુસ્તકો વાંચવાનું કે-ભણવાની ઈચ્છા થતી નથી. પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે ભણવાનું 
નાટક કરે છે.પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે પણ રાજ નીતિનું ચિંતન કરતા નથી.