રાજન,તને ધન્ય છે.પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,તમારા દાદા પ્રહલાદ
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.
More then 13-Million Views
II संजय उवाच II तमागतमभिप्रेक्ष्य भीमकर्माणमाहवे I हर्षमाहारयाश्चक्रु: कुरवः सर्व एव ते II १ II
સંજય બોલ્યો-યુદ્ધમાં ભયંકર કર્મ કરનારા રાક્ષસ અલાયુધને રણમાં આવી પહોંચેલો જોઈને કૌરવ પક્ષના સર્વ યોદ્ધાઓ આનંદિત થઇ ગયા.ને રાક્ષસ અલાયુધનું સ્વાગત વચનોથી સન્માન કરવા લાગ્યા.તે વખતે તે રાત્રિમાં કર્ણ અને ઘટોત્કચ વચ્ચે દારુણ દેખાવનું અમાનુષ યુદ્ધ ચાલી રહ્યું હતું.ને સર્વ યોદ્ધાઓ આશ્ચર્યની સાથે જોઈ રહ્યા હતા.દ્રોણાચાર્ય,અશ્વત્થામા અને કૃપાચાર્ય તે ઘટોત્કચનું પરાક્રમ જોઈને ગભરાટમાં પડી ગયા હતા ને દુઃખજનક શબ્દો કહેતા હતા કે-'આજે આપણું સૈન્ય નથી જ' હે મહારાજ,તમારું સૈન્ય ખિન્ન થઇ રહ્યું હતું,સર્વત્ર હાહાકાર થઇ રહ્યો હતો,કોઈને ભાન રહ્યું નહોતું અને સર્વને કર્ણની જિંદગી માટે નિરાશા જ દેખાતી હતી.તે વખતે જ દુર્યોધને અલાયુધને ઘટોત્કચને મારવા મોકલ્યો હતો.
II संजय उवाच II तस्मिस्तथा वर्तमाने कर्णराक्षसयो र्मुधे I अलायुधो राक्षसेन्द्रो वीर्यवानभ्यवर्तत II १ II
સંજય બોલ્યો-કર્ણ અને ઘટોત્કચનું એ પ્રમાણે યુદ્ધ થતું હતું ત્યારે રાક્ષસરાજ અલાયુધ મોટી રાક્ષસ સેના સાથે લઈને આવ્યો.પોતાના પૂર્વ વેરનું સ્મરણ કરીને ભીમસેનને મારી નાખવાની ઈચ્છાથી તે આ યુદ્ધમાં જોડાયો હતો કારણકે ભીમસેને તેની જ્ઞાતિના મહાપરાક્રમી બ્રાહ્મણભક્ષક એવા રાક્ષસ બકાસુર,રાક્ષસ કિર્મીરને અને પોતાના મિત્ર હિડિમ્બાસુરને ભીમે મારી નાખ્યા હતા.ભીમપુત્ર રાક્ષસ ઘટોત્કચ સામે યુદ્ધ કરવાની લાલસાથી તેણે દુર્યોધનને કહ્યું કે-