Jun 29, 2026

ભાગવત રહસ્ય-૧૮૨-સ્કંધ-૮-Bhgavat Rahasya-182-Skandh-8

સ્કંધ-૮-(આઠમો) સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી.
પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની અસદવાસના.
આ આઠમાં સ્કંધ માં વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે
--સતત હરિસ્મરણ.હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ.
--પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો.
જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ. લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે.
જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1163

 

અધ્યાય-૧૬૫-યુધિષ્ઠિરનું પલાયન થવું 


  II संजय उवाच II वर्तमाने तदा रौद्रे रात्रियुध्धे विशांपते I सर्वभूतक्षयकरे धर्मपुत्रो युधिष्ठिरः II १ II

સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,ત્યાં સર્વ ભૂતોનો ક્ષય કરનારું તે રાત્રિયુદ્ધ ચાલુ થયું ત્યારે યુધિષ્ઠિર સર્વ પાંડવો,પાંચાલો અને સોમકયોદ્ધાઓને કહેવા લાગ્યા કે-'તમે બધા દ્રોણાચાર્યને મારી નાખવા જ ધસારો કરો' તે સાંભળીને સર્વ પાંચાલો ને સૃન્જયો ભયંકર શબ્દોની ગર્જના કરતા દ્રોણ સામે ધસ્યા.યુધિષ્ઠિરને દ્રોણ સામે ધસી આવતા જોઈને હાર્દિકય કૃતવર્મા તેમની સામે યુદ્ધ કરવા દોડ્યો.સાત્યકિ સામે કુરુવંશી ભૃરી અને ધસી આવતા સહદેવ સામે કર્ણ ધસ્યો.ભીમ સામે દુર્યોધન અને નકુલ સામે શકુનિ યુદ્ધ કરવા ધસ્યા.શિખંડીને કૃપાચાર્યે અટકાવ્યો ને પ્રતિવિધ્યને દુઃશાસને આગળ જતો વાર્યો.

Jun 28, 2026

ભાગવત રહસ્ય-૧૮૧-Bhgavat Rahasya-181

ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની આજ્ઞા કરી છે.ગૃહસ્થે બાર મહિનામાં એક માસ એકાંતમાં નારાયણની સાધના કરવી.ગંગાકિનારે કે ઘરમાં લૌકિક વાતો છોડી નારાયણનું ધ્યાન કરવું જોઈએ.ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે.
માર્કંડેય પુરાણમાં એક કથા છે.રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1162

 

અધ્યાય-૧૬૪-સંકુલ યુદ્ધ 


 II संजय उवाच II प्रकाशिते तदलोके रजसा तमसा वृते I समाजग्मुरथो वीराः परस्परवधैषिण II १ II

 સંજય બોલ્યો-સર્વ સ્થળે દીવા પ્રગટાવ્યા,એટલે તુરત અંધકાર અને રજથી છવાઈ ગયેલા એ રણમાં પ્રકાશ પ્રકાશ થઇ રહ્યો.પછી,પરસ્પરનો વધ કરવા ઇચ્છતા સર્વ યોદ્ધાઓ યુદ્ધ માટે સામસામે ધસ્યા.ત્યારે,એ ઘોર રાત્રિના આરંભમાં તમારા પુત્રની આજ્ઞાથી વીર યોદ્ધાઓ સામસામે જુદાં જુદાં યુદ્ધ કરવા મચી પડ્યા હતા.હાથીસવારો હાથીસવારોની સામે,ઘોડેસ્વારો ઘોડેસ્વારોની સામે ને રથી યોદ્ધાઓ રથી યોદ્ધાઓ સામે લડવા લાગ્યા ને જોતજોતામાં તો ત્યાં તે ચતુરંગી સૈન્યનો મહાસંહાર થવા લાગ્યો હતો.સર્વ રાજાઓનો સંહાર કરીને અર્જુન કૌરવોની સેનાને છિન્નભિન્ન કરવા મંડી પડ્યો હતો.

Jun 27, 2026

ભાગવત રહસ્ય-૧૮૦-Bhgavat Rahasya-180

આત્મા –અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. વેદોની વાણી ગૂઢ હોય છે.
કોઈ અધિકારી પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ.
એક ઉદાહરણ છે.એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.છોકરાઓને એક વખત પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે-પણ કંઈ સમજણ પડતી નથી.