પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય સ્કંધ એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.
SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 7, 2026
ભાગવત રહસ્ય-૧૧૫-સ્કંધ-૪-Bhgavat Rahasya-115
પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય સ્કંધ એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1097
અધ્યાય-૧૦૧-દુર્યોધન યુદ્ધ કરવા આવી પહોંચ્યો
II संजय उवाच II स्त्रंसंतं इव मज्जानस्तावकानां भयान्नृप I तौ द्रष्ट्वा समतिक्रान्तौ वासुदेवधनंजयौ II १ II
સંજય બોલ્યો-હે રાજા,શ્રીકૃષ્ણ અને અર્જુનને સૈન્યનું ઉલ્લંઘન કરી આવેલા જોઈને તમારા પુત્રોની મજ્જાઓ જાણે ભયને લીધે નરમ પડી ગઈ.આમ છતાં તેઓ લજ્જાને અને વૈર્યને લીધે સ્થિર થઈને ઉભા રહ્યા અને અર્જુનની સામે જવા લાગ્યા.જે વખતે અર્જુન દ્રોણાચાર્યના સૈન્ય સામે હતો ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ એમ જ માની બેઠા હતા કે તે દ્રોણનું ઉલ્લંઘન કરીને આવી શકશે નહિ.પણ અર્જુન જયારે દ્રોણના સૈન્યને ઉલ્લંઘી આગળ આવ્યો ત્યારે તેઓએ જયદ્રથના જીવિતની આશા રાખી નહિ.વળી,જયારે અર્જુન કૃતવર્માનાં સૈન્યને પણ ઉલ્લંઘીને આગળ વધ્યો ત્યારે તો સર્વને જયદ્રથના વધ વિષે શંકા રહી નહિ.એ વેળા અર્જુન અને શ્રીકૃષ્ણ,જયદ્રથનો વધ કરવાના સંબંધમાં પરસ્પર વાત કરતા હતા.
Apr 6, 2026
ભાગવત રહસ્ય-૧૧૪-Bhgavat Rahasya-114
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1096
અધ્યાય-૧૦૦-આશ્ચર્યચકિત સૈન્યો
II संजय उवाच II सलिले जनिते तस्मिन् कौंतेयेन महात्मना I निस्तारिते द्विपसैन्ये कृते च शरवेश्मनि II १ II
સંજય બોલ્યો-મહાત્મા અર્જુને જયારે તે શત્રુઓના સૈન્યને ખાળી રાખ્યું,જળ ઉત્પન્ન કર્યું અને બાણગૃહ તૈયાર કર્યું ત્યારે મહાતેજસ્વી વાસુદેવ રથમાંથી ઉતારીને ઘોડાઓને છોડવા લાગ્યા ને તેમનાં શરીરમાંથી બાણો ખેંચી કાઢવા મંડ્યા.પૂર્વે કદી નહિ જોયેલું તે અદભુત કર્મ જોઈને સર્વ સિદ્ધોનાં,ચારણોનાં ટોળામાં ને સૈનિકોમાં 'ધન્ય-ધન્ય' એવા મહાન શબ્દો થઇ રહ્યા.ત્યારે અર્જુન પૃથ્વી પર ઉભો રહી,જરા પણ વ્યથા પામ્યા વિના પોતાની તરફ ધસી આવતા અનેક બાણોનો અને શસ્ત્રોનો નાશ કરતો હતો.અર્જુન અને વાસુદેવના એ અદભુત પરાક્ર્મના કૌરવો પણ વખાણ કર્યા વિના રહ્યા નહોતા.





