અધ્યાય-૨૪-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ
II धृतराष्ट्र उवाच II केषां प्रद्रष्टास्त्रत्राग्रे योधा युध्यंति संजय I उदग्रमनसः के वा के वा दीना विचेतस: II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,આ હૃદયને કંપાવી નાખે એવા યુદ્ધમાં પ્રથમ કોના યોદ્ધાઓ મોટા આનંદથી યુદ્ધ કરતા હતા?
કોના મન ઊંચાં થઇ ગયાં હતાં? પ્રથમ કોણે પ્રહાર કર્યો હતો? કોની સેનામાં સુગંધ પ્રસરતી હતી અને પુષ્પો
તાજાં દેખાતાં હતાં? કયા પક્ષના ગર્જના કરતા યોદ્ધાઓની શુભ વાણી નીકળતી હતી?