Apr 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-801

અધ્યાય-૧૪૬-કર્ણનાં વચન 


II वैशंपायन उवाच II ततः सुर्यान्निश्चरिताम् कर्णः शुश्राव भारतीं I दुर्त्यययां प्रणयिनीं पित्रुवद्भास्करेरिता II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કુંતીએ કહ્યું,તેવામાં સૂર્યમંડળમાંથી નીકળેલી,ઉલ્લંઘન ન કરાય તેવી,પ્રેમાળ પિતાની જેમ,સૂર્યે ઉચ્ચારેલી વાણીને કર્ણે સાંભળી- 'હે કર્ણ,કુંતીએ સત્ય વાત કહી છે,તું માતાના વચન પ્રમાણે ચાલ.ને તે પ્રમાણે આચરણ કરવાથી તારું કલ્યાણ થશે' જો કે આ પ્રમાણે પિતા સૂર્યે પોતે અને માતાએ કહ્યું,તો પણ તે વખતે,સત્ય ધૈર્યવાળા કર્ણની બુદ્ધિ ડગી નહિ અને કર્ણ બોલ્યો-'હે ક્ષત્રિયાણી,તેં જે ભાષણ કર્યું,તેને હું કર્તવ્યરુપ માનતો નથી,કારણકે હવે તારી આજ્ઞા પ્રમાણે વર્તવું એ મને મારા ધર્મથી દૂર થવાનું દ્વાર છે.તેં મને જાતિથી દૂર કરવારૂપી જે મહાવિનાશકારક પાપ કર્યું છે અને મારો જે ત્યાગ કર્યો છે તે મારા માહાત્મ્ય તથા કીર્તિને નાશ કરનારાં છે.(5)

Apr 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-800

 

અધ્યાય-૧૪૫-કુંતીનું ભાષણ 


II संजय उवाच II राधेयोहमाधिरथिः कर्णस्तवामभिवादये I प्राप्ता किमर्थ भवति ब्रुहि किं करवाणि ते II १ II

કર્ણ બોલ્યો-'હું અધિરથ સૂતનો તથા રાધાનો પુત્ર કર્ણ તમને વંદન કરું છું.

તમે અહીં શા માટે આવ્યાં છો?હું તમારું શું કાર્ય કરું? તે મને કહો'

Apr 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-799

 

અધ્યાય-૧૪૪-કર્ણની પાસે કુંતી 


 II वैशंपायन उवाच II असिद्वानुनये कृष्णे कुरुभ्यः पांडवान गते I अभिगम्य पृथां क्षत्ता शनैः शोचन्निवा ब्रवीत II १ II

વૈશંપાયને કહ્યું-જેમની સમજાવટ સિદ્ધ થઇ ન હતી,તે શ્રીકૃષ્ણ કૌરવોની પાસેથી પાંડવો પાસે ગયા,તે પછી વિદુર કુંતીની પાસે જઈને શોક કરતા હોય તેમ કહેવા લાગ્યા કે-'મારો અભિપ્રાય તો યુદ્ધ ન કરવા તરફ છે,એ તમે જાણો છો.હું ઘણી બૂમો પાડું છું પણ દુર્યોધન મારુ કહેવું સ્વીકારતો નથી.પાંડવોએ રાજાઓની સાથે ઉપલવ્યમાં આવીને પડાવ નાખ્યો છે.યુધિષ્ઠિર બળવાન છે તો પણ સ્વજ્ઞાતિ પર સ્નેહ હોવાને લીધે દુર્બલની જેમ ધર્મની જ આકાંક્ષા રાખ્યા કરે છે.એટલે તેમને કંઈ કહેવાનું નથી પરંતુ આ ધૃતરાષ્ટ્ર શાંત પડતા નથી અને એ પુત્રના પ્રેમમાં અધર્મના માર્ગને વર્તે છે.દુર્યોધન ને તેના મંત્રીઓને લીધે પરસ્પર ભેદ પડશે ને તેઓના અધર્મનું ફળ,તેમના વિનાશરૂપ જ થશે.કૌરવો શાસ્ત્રથી વિરુદ્ધ વાતને બલાત્કારે ધર્મનું સ્વરૂપ આપે છે તેનાથી સંતાપ થાય છે.કેશવ,સલાહ કર્યા વિના ગયા એટલે પાંડવો આ મહાયુદ્ધના માટે ઉદ્યોગ કરશે.યુદ્ધમાં થનારા મહાવિનાશનો વિચાર કરતા મને રાત્રે નિંદ્રા પણ આવતી નથી (9)

Apr 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-798

 

અધ્યાય-૧૪૩-કર્ણે કહેલાં અપશુકનો 


II संजय उवाच II केशवस्य तु तद्वाक्यं कर्णः श्रुत्वाहित शुभं I अब्रवीदभिसंपूज्य कृष्णं तं मधुसूदन II १ II

સંજયે કહ્યું-શ્રીકૃષ્ણનાં તે વચન સાંભળી,એકાગ્ર થયેલો તે કર્ણ,મધુસુદનનું સન્માન કરીને બોલ્યો-હે મહાબાહુ,તમે જાણો છો છતાં શા માટે મને મોહિત કરવાની ઈચ્છા કરો છો?આ પૃથ્વીનો સંપૂર્ણતાથી જે વિનાશકાળ પ્રાપ્ત થયો છે,તેમાં શકુનિ,હું દુઃશાસન ને દુર્યોધન નિમિત્તરૂપ છીએ.આ યુદ્ધ અવશ્ય થવાનું જ છે અને સર્વ રાજાઓ યમલોકમાં પહોંચશે.

હે મધુસુદન,પુષ્કળ ભયંકર સ્વપ્નો,ઘોર નિમિત્તો અને અતિદારુણ ઉત્પાતો જોવામાં આવે છે,કે જે દુર્યોધનનો પરાજય જ સૂચવતા લાગે છે.મહાતેજસ્વી ઉગ્ર ગ્રહ શનિ,પ્રાણીઓને અધિક પીડા સૂચવતો રોહિણી નક્ષત્રને પીડે છે.

Apr 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-797

 

અધ્યાય-૧૪૨-શ્રીકૃષ્ણનાં વાક્ય 


II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा केशवः परवीरहा I उवाच प्रहसन्वाक्यं स्मितपुर्वमिदं यथा II १ II

સંજયે કહ્યું-કર્ણનાં વચન સાંભળીને કેશવ,મુખ મલકાવી હસતા હસતા કહેવા લાગ્યા કે-હે કર્ણ,તું રાજ્યપ્રાપ્તિનો ઉપાય સ્વીકારતો નથી અને મારી આપેલી પૃથ્વીનું રાજ્ય ઈચ્છતો નથી,ત્યારે અવશ્ય પાંડવોનો જ જય થશે,એમાં કોઈ પણ જાતનો સંદેહ જણાતો નથી.જેના ઉપર વાનરરાજ બેઠેલો છે તે અર્જુનનો જયધ્વજ ઉંચે ફરકી રહેલો જ દેખાય છે.વિશ્વકર્માએ એ ધ્વજમાં ઇન્દ્રધ્વજના જેવી અતિ ઉત્તમ દિવ્ય માયા રચેલી છે અને એમાં જયને વહન કરનારા ભયાનક દિવ્ય ભૂતો રહેલા  જોવામાં આવે છે.હે કર્ણ,અર્જુનનો એ ઊંચો કરેલો ધ્વજ અગ્નિ જેવો દેદિપ્યમાન જણાય છે અને તે ચાર ગાઉ સુધી ઉંચે તથા આડે ફેલાયેલો છે છતાં ક્યાંય ઝાડ તથા પહાડમાં અટકતો નથી.

Apr 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-796

 

અધ્યાય-૧૪૧-કર્ણનો પ્રત્યુત્તર 


II कर्ण उवाच II असंशयं सौह्यादान्मे प्रणयाच्चात्थ केशव I सख्येन चैव वार्ष्णेय श्रेयस्काम तयैव च II १ II

કર્ણે કહ્યું-હે કેશવ,ખરેખર તમે મને જે કહ્યું,તે સ્નેહથી,પ્રેમથી,મિત્રતાથી અને મારા કલ્યાણની જ ઈચ્છાથી કહ્યું છે.

ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે,ને તમે કહ્યું તેમ હું ધર્મથી પાંડુનો પુત્ર છું.કુંતીએ કન્યાવસ્થામાં સૂર્યથી મારો ગર્ભ ધારણ કર્યો અને મારો જન્મ થયા પછી તેમણે સૂર્યનાં વચનથી મને ત્યજી દીધો હતો.કુંતીએ તે વખતે મારુ ભલું ન થાય તે રીતે મારો ત્યાગ કરી દીધો ત્યારે અધિરથ સૂત મને જોતાં જ તુરત પોતાને ઘેર લઇ ગયો અને સ્નેહથી રાધાને સોંપ્યો.મારા પર સ્નેહ થવાથી રાધાના સ્તનમાં દૂધ ઉતર્યું.હે માધવ,જેણે મારાં મળમૂત્ર ઉપાડ્યાં ને મને મોટો કર્યો તેને હું કેમ ત્યાગી શકું?