Jul 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-870

 

અધ્યાય-૨૨-પાંડવ સૈન્યનું વર્ણન


II संजय उवाच II ततो युधिष्ठिरो राज स्वां सेनां समनोदयत् I प्रतिव्युहन्ननिकानि भीष्मस्य भरतर्षभ II १ II

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,તે પછી,યુધિષ્ઠિરે,ભીષ્મની સેના સામે વ્યૂહરચના માટે પોતાની સેનાને આજ્ઞા કરી.ત્યારે અર્જુને સેનાને 

તેમના ઉદ્દેશ મુજબ વ્યૂહરચનામાં ગોઠવી.સૈન્યના મધ્યમાં અર્જુને રક્ષેલા શિખંડીનું સૈન્ય હતું.ભીમસેનથી રક્ષાયેલો ધૃષ્ટદ્યુમ્ન સૈન્યના મોખરામાં હતો.સાત્યકિએ દક્ષિણ તરફના સૈન્યનું રક્ષણ કર્યું હતું.

Jul 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-869

 

અધ્યાય-૨૧-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ 


II संजय उवाच II बृहतीं धार्त्राष्ट्रस्य सेनां द्रष्टा समुद्यता I विषादमगमद्राजा कुन्तीपुत्रो युधिष्ठिरः II १ II

સંજ્યાએ કહ્યું-દુર્યોધનની મોટી સેનાને યુદ્ધ કરવા તત્પર થયેલી જોઈને,કુંતીપુત્ર યુધિષ્ઠિર ખેદ પામ્યા.ભીષ્મે રચેલા અભેદ્ય નામના વ્યુહને જોઈને તેઓ ફીક્કા પડી ગયા અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે ધનંજય,ભીષ્મપિતામહથી રક્ષિત કૌરવોના આ સૈન્ય સાથે સંગ્રામમાં આપણે કેવી રીતે યુદ્ધ કરી શકીશું? ભીષ્મે શાસ્ત્રોક્ત વિધિ વડે આ અડગ અને અભેદ વ્યૂહ રચ્યો છે,હું સંશયમાં છું કે આ મહાવ્યૂહ આગળ આપણો જય કેવી રીતે થશે?(5)

Jul 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-868

 

અધ્યાય-૨૦-સૈન્યવર્ણન 


II धृतराष्ट्र उवाच II सूर्योदये संजय के नु पूर्व युयुत्सवो हृष्यमाणा इवासन I 

मामका वा भीष्मनेत्राः समीपे पांडवा वा भीमनेत्रानदानिम II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,સૂર્યોદય થયો ત્યારે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઉત્સુક થઈને પ્રથમ કોણ આગળ આવ્યા હતા?

કયી સેના તરફ ચંદ્ર,સૂર્ય અને વાયુ અશુભસૂચક હતા? કયી સેના તરફ પશુઓ અમંગળ શબ્દ કરતાં હતાં? અને 

કયી સેનાપક્ષના યુવાનોનો મુખનો રંગ પ્રસન્ન હતો?તે સઘળું તું મને યથાર્થ રીતે કહે.

Jul 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-867

 

અધ્યાય-૧૯-પાંડવસેનાની વ્યૂહરચના  


II धृतराष्ट्र उवाच II अक्षौहिण्यो दशैका च व्यूढा द्रष्टा युधिष्ठिरः I कथमल्पेन सैन्येन प्रत्यव्युहत पांडवः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડુપુત્ર યુધિષ્ઠિરે,અમારી અગિયાર અક્ષૌહિણી સેનાની વ્યૂહરચના જોઈને તેની સામે પોતાના અલ્પસૈન્યની કેવી વ્યૂહરચના કરી હતી? માનુષી,દૈવી,ગંધર્વ અને આસુરી વ્યૂહરચના જાણનારા ભીષ્મ સામે યુધિષ્ઠિરે કેવો વ્યૂહ રચ્યો હતો?

સંજયે કહ્યું-દુર્યોધનની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને,યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-'હે તાત,બૃહસ્પતિનાં વચનોથી વિદ્વાનો કહે છે કે-થોડા યોદ્ધાઓ હોય તો તેમને ભેગા કરીને લઢાવવા અને ઘણા હોય તો વિસ્તારીને લઢાવવા.ઘણાની સાથે થોડાને લઢવાના પ્રસંગથી સૂચીમુખ વ્યૂહ રચવો.તે પ્રમાણે શત્રુઓના કરતાં આપણું સૈન્ય થોડું છે માટે તું બૃહસ્પતિના વચન પર લક્ષ્ય દઈને આપણા સૈન્યની વ્યૂહરચના કર'

Jul 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-866

 

અધ્યાય-૧૮-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II ततो मुहूर्तात्तुमुल: शब्दो ह्रदयकंपनः I अश्रूयत महाराज योधानां प्रयुयुत्सताम II १ II

સંજયે કહ્યું-હે મહારાજ,તે પછી બે ઘડી થતાંજ યુદ્ધ કરવાની તીવ્ર ઈચ્છાવાળા યોદ્ધાઓનો હૃદયને કંપાવી નાખે તેવો તુમુલ શબ્દ સંભળાવા લાગ્યો.શંખો-દુંદુભીઓના ધ્વનિઓથી,હાથીઓના ચિત્કારોથી અને રથોના ઘડઘડાટોથી પૃથ્વી ફાટી જતી હોય એમ જણાવા લાગ્યું.ઘોડાઓના હણહણાટો ને યોદ્ધાઓની ગર્જનાઓથી એક ક્ષણમાં જ પૃથ્વી ને આકાશ ભરાઈ ગયાં.

પરસ્પર મળેલી સેનાઓ કંપવા લાગી.જાતજાતનાં આયુધો અને ધનુષ્યોવાળા મહાધનુર્ધારી કુરુઓના શ્રેષ્ઠ યોદ્ધાઓ સૈન્યના મોખરા પર શોભતા હતા.

Jul 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-865

 

અધ્યાય-૧૭-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II यथा स भगवान्व्यासः कृष्णद्वैपायनोब्रवीत I तथैव सहिता: सर्वे समाजग्मुर्महिक्षित: II १ II

સંજયે કહ્યું-ભગવાન કૃષ્ણદ્વૈપાયન વ્યાસે જે પ્રમાણે કહ્યું હતું,તે પ્રમાણે સર્વ રાજાઓ એકઠા મળીને ત્યાં રણભૂમિ પર આવ્યા,તે દિવસે ચંદ્ર સહિત સાત ગ્રહો બળતા હોય તેવા લાલ જણાતા હતા તથા આકાશમાં એકબીજા પર ગતિ કરતા હતા.

ઉદય સમયે સૂર્ય બે ભાગ થઇ ગયેલા હોય તેવો જણાતો હતો અને પુષ્કળ જ્વાળાઓ કાઢતો ઉદય પામ્યો હતો.શિયાળો અને કાગડાઓ.માંસ અને રુધિર મળવાની લાલસાથી,દિશાઓમાં શબ્દો કરતા હતા.યુદ્ધ શરુ થયું ત્યારેથી હંમેશાં પિતામહ ભીષ્મ અને દ્રોણ,પ્રાતઃકાળમાં ઉઠીને 'પાંડુપુત્રોનો જય થાઓ'એમ એકાગ્ર મનથી કહી,પછી તે બંને શત્રુઓને દમનારા,તમારી સાથે કરેલા ઠરાવ મુજબ,તમારા માટે યુદ્ધ કરતા હતા.