Sep 17, 2026

ભાગવત રહસ્ય-૨૫૯-Bhgavat Rahasya-259

શ્રીકૃષ્ણને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –
એવું કઈ પોથીમાં લખ્યું છે-કે પાપીને તમારાં દર્શન થાય છે? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-
“મુનિજનો જન્મ-જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના 
મુખમાંથી રામ-નામ નીકળતું નથી, કે પ્રભુના દર્શન થતા નથી.હું તો પાપી નથી પણ પુણ્યશાળી 
છું કે –અંતકાળમાં આપનાં દર્શન કરું છું.તમારાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે,
હવે હું પાપી રહ્યો નથી.તમારાં દર્શન દેવોને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1224

 

અધ્યાય-૨૦-પાંડ્યરાજાનું પતન 


II धृतराष्ट्र उवाच II प्रोक्तस्त्व्या पूर्वमेव प्रविरो लोकविश्रुतः I न त्वस्य कर्मसंग्रामे त्वया संजय कीर्तितम II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડ્યરાજ એક લોકપ્રખ્યાત વીર પુરુષ છે એમ તેં પ્રથમ જ કહ્યું.પણ સંગ્રામમાં 

તેણે જે મહાપરાક્રમ કર્યું હતું તે તેં કહ્યું નહિ,તો હવે તેના પરાક્રમને વિસ્તારપૂર્વક મને કહે.

Sep 16, 2026

ભાગવત રહસ્ય-૨૫૮-Bhgavat Rahasya-258

પરમાત્મા જીવ માત્રના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે.
જગતનો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે,પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહિ.
જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર તેને પોતાના જેવો બનાવે છે.પરમાત્મા અતિશય ઉદાર છે,
ઈશ્વર જીવને આપે છે-ત્યારે આપવામાં સંકોચ કરતા નથી, જયારે જીવ આપે છે-ત્યારે 
વિચાર કરીને આપે છે.પોતાના માટે થોડુંક રાખીને બીજાને આપે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1223

 

અધ્યાય-૧૯-રણભૂમિનું વર્ણન 


II संजय उवाच II प्रत्यागत्य पुनर्जिष्णुर्जघ्ने संशप्तकान बहुन I वक्त्रातिवक्त्रगमनादंगारक इव ग्रह II १ II

સંજય બોલ્યો-આમ,પાછો ફરીને અર્જુન અનેક સંશપ્તક યોદ્ધોનો સંહાર કરવા લાગ્યો,માનો વક્ર તથા અતિવક્ર ગતિ કરીને મંગલ નામનો ગ્રહ,જગતનો નાશ કરવા લાગ્યો.હે રાજન,અર્જુનના બાણોથી ઘવાઈ ગયેલા મનુષ્યો,ઘોડાઓ,રથો તથા હાથીઓ એકદમ ચલાયમાન થઇ જવા લાગ્યા,ભમવા લાગ્યા,નાશ પામવા લાગ્યા,પડવા લાગ્યા ને મ્લાન થઇ જવા લાગ્યા.તે વખતે અર્જુનને મારવાની ઈચ્છાથી સેંકડો અને હજારો યોદ્ધાઓ એકસાથે અર્જુન પર તૂટી પડ્યા,તુમુલ યુદ્ધ થયું.તેમાં ઉગ્રાયુધના પુત્રે અર્જુનને ત્રણ બાણોથી વીંધ્યો કે તુરત જ ક્રોધિત અર્જુને તેનું માથું ધડથી જુદું પાડ્યું.

Sep 15, 2026

ભાગવત રહસ્ય-૨૫૭-Bhgavat Rahasya-257

શબરીનું ચરિત્ર માનવમાત્ર માટે આશ્વાસન રૂપ છે.આખું જીવન ભગવાનને શોધનાર ને-
ભગવાનની રાહ જોનારને- ભગવાન જરૂર મળે જ છે.તે પછી રામજીએ –શબરીને પૂછ્યું-કે-
તારી કોઈ ઈચ્છા છે ?તારે માગવું હોય તે માગ.શબરીએ રામજીને વિનંતી કરી કે-આ 
પંપા સરોવરનું જળ બગડી ગયું છે,તેને આપ સુધારો,આપ તેમાં સ્નાન કરો તો તે જળ શુદ્ધ થાય.