Aug 12, 2026

ભાગવત રહસ્ય-૨૨૩-Bhgavat Rahasya-223

પછી રામચંદ્રજી ૧૬ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા.
જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો.
મરણ માટે જીવનો જન્મ થાય છે,અનાદિ કાળથી આ જીવ સંસારમાં રખડે છે, 
આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? 
આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-
એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડીને જવું છે”

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1191

નારાયણાસ્ત્ર મોક્ષપર્વ 

અધ્યાય-૧૯૩-દ્રોણાચાર્યના વધના વૃતાંતનું અશ્વત્થામાને નિવેદન 

II संजय उवाच II ततो द्रोणे हते राजन कुरवः शस्त्रपीडिताः I हतप्रवीरा विध्वस्ता भृशं शोकपरायणाः II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ દ્રોણાચાર્યનું મરણ થતા શસ્ત્રથી પીડાયેલા કૌરવો અત્યંત શોકપરાયણ થઇ ગયા હતા.તેમનો ઉત્સાહ નાશ પામ્યો હતો અને શોકને લીધે તેમનું તેજ હણાયું હતું,કારમી ચિચિયારીઓ પાડતા તે સર્વ તમારા પુત્રની આસપાસ વીંટાઈ વળ્યા.કૌરવોના કંઠો અશ્રુઓથી ગળગળા થઇ ગયા હતા.તેઓ બધા ધૂળથી ભરાઈ ગયા હતા,થરથર ધ્રુજતા હતા ને દશેય દિશાઓને નિહાળી રહ્યા હતા.તમારો પુત્ર જાણે ત્રાસ પામેલાં મૃગોનાં ટોળાઓથી વીંટાઈ ગયો હતો અને ત્યાં ઉભો રહેવાને પણ અશક્ત થઈને નાસી જવા તત્પર થયો.

Aug 11, 2026

ભાગવત રહસ્ય-૨૨૨-Bhgavat Rahasya-222

ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –
અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1190

 

અધ્યાય-૧૯૨-દ્રોણાચાર્યનો વધ 


II संजय उवाच II सात्वतस्य तु तत्कर्म दष्ट्वा दुर्योधनादय: I शैनेयं सर्वतः कृद्वा वारयामासुरंजसा II १ II

સંજય બોલ્યો-સાત્યકિના તે કર્મને જોઈને દુર્યોધન આદિ યોદ્ધાઓ ક્રોધે ભરાયા ને તેની સામે ધસી તેને સર્વ તરફથી અટકાવવા લાગ્યા.ત્યારે પાંડવ ભાઈઓ તેની આસપાસ વીંટાઈ વળ્યાં.સામે કર્ણ,કૃપાચાર્ય,દુર્યોધને આવીને સાત્યકિ સામે બાણોની વર્ષા કરી કે સામે સાત્યકિએ ઉદય પામેલી તે બાણવૃષ્ટિને અટકાવી દીધી.વળી શત્રુઓએ પ્રયોજેલાં દિવ્ય અસ્ત્રોનો પણ સામે વિધિવત દિવ્ય અસ્ત્રો મૂકીને તે દિવ્ય અસ્ત્રોનો અટકાવ કર્યો.તે રણમાં ભયંકર રક્તપાત થયો હતો.પછી,યુધિષ્ઠિરના કહેવાથી સૃન્જય યોદ્ધાઓ સુસજ્જ થઈને દ્રોણાચાર્ય સામે ધસ્યા.

Aug 10, 2026

ભાગવત રહસ્ય -૨૨૧-Bhgavat Rahasya-221

ભગવાન શંકર -રામાયણના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણનો પાઠ કરવો છે.રામાયણના શ્લોકના ત્રણ સરખા ભાગ કરતાં-અને 
વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજીને ઝગડો ગમતો નથી.