Aug 19, 2026

ભાગવત રહસ્ય-૨૩૦-Bhgavat Rahasya-230

જનક મહાજ્ઞાની છે.સંસારમાં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી.
સંસારમાં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મનમાં રાખવાથી પાપ થાય છે.
ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજાના વખાણ કર્યા છે-
લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.”
જનકરાજાની સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે 
“હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું”

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1198

 

અધ્યાય-૨૦૦-નારાયણાસ્ત્રની શાંતિ અને અશ્વત્થામાનું પરાક્રમ 


II संजय उवाच II भीमसेनं समाकीर्ण द्रष्ट्वास्त्रेण धनंजय I तेजसः प्रतिघाताय् वारुणेन समावृणोत II १ II

સંજય બોલ્યો-ભીમસેનને નારાયણાસ્ત્રથી ઢંકાઇ ગયેલો જોઈને અર્જુને તે અસ્ત્રના તેજનો વિનાશ કરવા માટે તેને વારુણાસ્ત્રથી ઢાંકી દીધો.પણ અર્જુનનું તે અસ્ત્ર નારાયણાસ્ત્રથી નાનું હતું,ને ભીમસેન તદ્દન દટાઈ ગયો હતો એટલે રણમાં કોઈને ય ખબર પડી નહિ કે અર્જુને ભીમસેનને વારુણાસ્ત્રથી ઢાંકી દીધો છે.ઘોડા,સારથી અને રથ સાથે ભીમસેન અશ્વત્થામાના તે અસ્ત્રમાં ઢંકાઈ ગયો હતો.તે વખતે સર્વ સૈન્ય બેભાન ને શસ્ત્રરહિત થયું હતું.ભીમસેનની દશા જોઈને અર્જુન ને વાસુદેવ,ભીમસેન તરફ દોડી ગયા.ને ત્યાં જઈને નારાયણાસ્ત્રના અસ્ત્રબળથી ઉત્પન્ન થયેલા તેજમાં માયાથી પ્રવેશ કર્યો.

Aug 18, 2026

ભાગવત રહસ્ય-૨૨૯-Bhgavat Rahasya-229

રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરીમાં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ 
કર્યો છે.જનકપુરીના રાજા જનકને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું 
સ્વાગત કરવા તે –આવ્યા છે.ઋષિની સાથે કુમારોને જોઈને જનક વિચારે છે-કે-
આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ?
જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1197

 

અધ્યાય-૧૯૯-નારાયણાસ્ત્રનો પ્રયોગ 


II संजय उवाच II ततः स कृदनं चक्रे रिपूणां द्रोननन्दनः I युगान्ते सर्वभूतानां कालसृष्टा इवांतकः II १ II

સંજય બોલ્યો-પછી,કાળથી સરજાયેલો યમ,જેમ,પ્રલયકાળે સર્વ ભૂતોનો સંહાર કરે તેમ,દ્રોણપુત્ર અશ્વત્થામા શત્રુઓનો સંહાર કરવા લાગ્યો,ને અનેક બાણો મૂકીને શત્રુઓને મારીમારીને મડદાંનો મોટો પહાડ ખડો કરી મુક્યો.તે વખતે અશ્વત્થામાએ જોશથી મોટી ગર્જના કરીને પોતાની પ્રતિજ્ઞાનું તમારા પુત્રને શ્રવણ કરાવ્યું.'આ ધર્મનો ડોળ ધરી રહેલા યુધિષ્ઠિર સમક્ષ જ હું તેમની સર્વ સેનાને ભગાડી દઈશ ને ધૃષ્ટદ્યુમ્નને તો જરૂર મારી નાખીશ.આ મારી સત્ય પ્રતિજ્ઞા છે માટે આપણી સેનાને પછી વાળ' એ સાંભળીને દુર્યોધને મોટો સ્નાદ કરીને સર્વ સેનાને યુદ્ધમાં પાછી વાળી.અશ્વત્થામાની આગેવાની હેઠળ તે બંને સેના વચ્ચે મહાયુદ્ધ થઇ રહ્યું.

Aug 17, 2026

ભાગવત રહસ્ય-૨૨૮-Bhgavat Rahasya-228

મારીચ આવ્યો હતો યજ્ઞમાં વિઘ્ન કરવા પણ રામજીના દર્શન માત્રથી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-
તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી.તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે 
રામ-લક્ષ્મણને પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથાના એ સર્વ દ્વાર પર રામજી જ દેખાય છે.
મારીચને આશ્ચર્ય થાય છે.
યજ્ઞ કે કોઈ પણ સત્કર્મમાં –ઇન્દ્રિયોના પ્રત્યેક દ્વાર ઉપર રામને પધરાવવાથી તે સત્કર્મ 
 પૂર્ણ બને છે.નામ-જપ કરવો,કથા સાંભળવી,મનથી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.
ગરીબમાં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.