SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Aug 6, 2026
ભાગવત રહસ્ય -૨૧૭-Bhgavat Rahasya-217
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1185
અધ્યાય-૧૮૭-નકુલનું યુદ્ધ
II संजय उवाच II ते तथैव महाराज दंशिना रणमूर्धनि I संध्यागतं सहम्याशुमादित्यमुपतम्यिरै II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,ત્યારે તે સર્વ યોદ્ધાઓ કવચો સજીને રણને મોખરે ઉભા રહ્યા અને ઉદય પામેલા સૂર્યનું ઉપસ્થાન કરવા લાગ્યા.ને પછી પુનઃ યુદ્ધનો પ્રારંભ થયો.સૂર્યોદયની પહેલાં રાત્રીના સમયે જે યોદ્ધાઓ સામસામે ભેટ્યા હતા તે સૂર્યોદયની બાદ પાછા સામસામા આવીને યુદ્ધ કરવા લાગ્યા હતા.તે બધાએ રાત્રિમાં સારી રીતે યુદ્ધ કર્યું હતું,તેથી તેઓ થાક્યા હતા ને ક્ષુધા-તૃષાથી વ્યાપ્ત થઈને બેભાન જેવા થયેલા હતા.છતાં,ત્યાં ભેરી,મૃદંગ,શંખ,ગર્જના કરતા હાથીઓ,ધનુષ્યોના ટંકારનો ને સિંહ ગર્જનાઓનો શબ્દ આકાશમાં અથડાયો હતો.
Home Page
Aug 5, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1184
અધ્યાય-૧૮૬-પંદરમો દિવસ-વિરાટ,દ્રુપદ વગેરેનું મરણ
II संजय उवाच II त्रिभागमात्रशेषायां रात्र्यां युध्धमववर्तत I कुरूणां पांडवानां संह्रष्टानां विशापते II १ II
સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,જયારે માત્ર ત્રણ મુહૂર્ત જેટલી રાત્રિ બાકી રહી હતી,ત્યારે પુનઃ હર્ષમાં આવેલા કૌરવો ને પાંડવોનું યુદ્ધ થઇ રહ્યું હતું.પછી,સૂર્ય ઉદય પામ્યો ત્યારે સર્વ કૌરવ-પાંડવ,તુરત પોતાના વાહનોનો ત્યાગ કરીને સૂર્યની સામે ઉભા રહી,હાથ જોડીને સંધ્યોપાસનપૂર્વક જપ કરવા લાગ્યા.તે પ્રાતઃકર્મની સમાપ્તિ થઇ એટલે દ્રોણાચાર્ય સૈન્યને બે ભાગમાં વહેંચી ને પોતે સોમક,પાંડવ અને પાંચાલો સામે ધસ્યા.કૌરવ સેનાને એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલી જોઈને શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન દ્રોણાચાર્યને ડાબી તરફ કરી જમણી તરફ ગયો.એ વેળા શ્રીકૃષ્ણના અભિપ્રાયને સમજીને ભીમસેન અર્જુનને કહેવા લાગ્યો કે-'હે અર્જુન,ક્ષત્રિયાણી જે માટે પુત્રને ઉત્પન્ન કરે છે તેનો આ સમય આવી પહોંચ્યો છે.આ સમયે પરાક્રમ કરીને તું આ શત્રુઓના સૈન્યને ભેદી નાખીને તેમને ડાબી તરફ કરી નાખ'
Aug 4, 2026
ભાગવત રહસ્ય -૨૧૫-Bhgavat Rahasya-215
નારદજી મનમાં વિચારે છે-કે- આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને
નારદજી પાછા આવ્યા નારાયણ પાસે. પ્રભુ એ પૂછ્યું-કેમ નારદજી જલ્દી પાછા આવ્યા ?





