Aug 27, 2026

ભાગવત રહસ્ય-૨૩૮-Bhgavat Rahasya-238

શ્રુંગવેરપુરમાં ગંગાજીને રામચંદ્રજી પ્રણામ કરે છે.ગુહકરાજને ખબર પડી-કે સીતારામ 
પધાર્યા છે.તે ત્યાં આવ્યો છે.ગુહકે કહ્યું-કે-મારું રાજ્ય તમને અર્પણ કરું છું,
રાજ્ય તમારું છે,મારે ત્યાં રહો,ગામમાં પધારો.
રામજી કહે છે-કે મારે કોઈ ગામમાં ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
ગંગાકિનારે સીસમના ઝાડ નીચે-મુકામ કર્યો છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1204

 

ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,ભગવાન શંકરે આખી પૃથ્વીને જ પોતાના રથરૂપ બનાવી,નાગરાજ શેષને રથના ધૂંસરારૂપ બનાવ્યો,સૂર્યચંદ્રને રથનાં પૈડાં બનાવ્યાં.ત્યારે એ ત્ર્યંમ્બકે,ઐલપુત્ર તથા પુષ્પદંત નામના બે સર્પોને ધૂંસરીના છેડાનાં બંધન બનાવ્યાં,મંદરાચલ પર્વતને રથનો યૂપ બનાવ્યો.એ મહેશ્વરે ચાર વેદને ચાર ઘોડા બનાવ્યા ને ગાયત્રી-સાવિત્રીને ઘોડાઓની લગામ બનાવી.ૐકારને ચાબુક બનાવ્યો,બ્રહ્માને સારથી બનાવ્યા,વિષ્ણુને ઉત્તમ બાણ બનાવ્યા,અગ્નિને બાણનું ભાથું,વાયુને બાણનાં પીંછા ને યમરાજને બાણની પૂંખ બનાવ્યો.આવા દિવ્ય રથમાં બિરાજીને તે ભગવાન શંકર ત્રિપુરનો નાશ કરવા નીકળ્યા ત્યારે દેવો ને મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા.

Aug 26, 2026

ભાગવત રહસ્ય-૨૩૭-Bhgavat Rahasya-237

સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથને સમજાવે છે-કે-
પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.
કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.
તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજીએ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1203

 

હે પાર્થ,આ ઘોર અને રોમાંચકારી સંગ્રામમાં અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ આદિ મહાન ધનુર્ધરોના રક્ષણ હેઠળ રહેલી કૌરવો સેનાનો મનથી પણ કોણ પરાભવ કરી શકે તેમ છે?એક માત્ર અનેક રૂપવાળા મહેશ્વર જ તે સેનાનો નાશ કરી શકે કારણકે તે પ્રભુ જયારે આગળ ઉભા હોય ત્યારે કોઈ પણ પુરુષ તેમની સામે ટકી શકે નહિ.ત્રણેય લોકમાં એક પણ પ્રાણી તેમની બરાબરનું નથી,સંગ્રામમાં તેમની ગંધમાત્રથી શત્રુ બેભાન થઇ જાય છે,મરણશરણ થઇ જાય છે.દેવો પણ તેમને નમસ્કાર કરતાં જ સ્વર્ગમાં રહી શકે છે.વળી આ લોકમાં પણ મનુષ્યો તે દેવને નમન કર્યા કરે છે.જે ભક્તપુરુષો,વરદ,રુદ્ર,ઉમાપતિ અને સર્વના ઈશ તે શંકરદેવને અનન્ય ભાવથી સદા ઉપસે છે તેઓ આ લોકમાં પરમસુખ પામીને અંતે પરમ ગતિને પામે છે માટે તું તે શાંત દેવને નમસ્કાર કર.(28)

Aug 25, 2026

ભાગવત રહસ્ય-૨૩૬-Bhgavat Rahasya-236

દશરથને વંદન કરી રામજી કૌશલ્યા મા ને વંદન કરવા આવ્યા છે.
કૌશલ્યાએ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરીને બોલ્યાં-બેટા,ભરત રાજા બને અને તું વનમાં 
 જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય-પણ મારા મનમાં કોઈ 
વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે-તારા વિના તારા પિતાનું શું થશે ? ભરતનું અને 
અયોધ્યાનું શું થશે ?તારો વિયોગ ભરતથી સહન થશે નહિ.બેટા, હું તારી સાથે આવું,
પણ પતિવ્રતાનો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.