પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.
કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.
More then 14-Million Views
હે પાર્થ,આ ઘોર અને રોમાંચકારી સંગ્રામમાં અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ આદિ મહાન ધનુર્ધરોના રક્ષણ હેઠળ રહેલી કૌરવો સેનાનો મનથી પણ કોણ પરાભવ કરી શકે તેમ છે?એક માત્ર અનેક રૂપવાળા મહેશ્વર જ તે સેનાનો નાશ કરી શકે કારણકે તે પ્રભુ જયારે આગળ ઉભા હોય ત્યારે કોઈ પણ પુરુષ તેમની સામે ટકી શકે નહિ.ત્રણેય લોકમાં એક પણ પ્રાણી તેમની બરાબરનું નથી,સંગ્રામમાં તેમની ગંધમાત્રથી શત્રુ બેભાન થઇ જાય છે,મરણશરણ થઇ જાય છે.દેવો પણ તેમને નમસ્કાર કરતાં જ સ્વર્ગમાં રહી શકે છે.વળી આ લોકમાં પણ મનુષ્યો તે દેવને નમન કર્યા કરે છે.જે ભક્તપુરુષો,વરદ,રુદ્ર,ઉમાપતિ અને સર્વના ઈશ તે શંકરદેવને અનન્ય ભાવથી સદા ઉપસે છે તેઓ આ લોકમાં પરમસુખ પામીને અંતે પરમ ગતિને પામે છે માટે તું તે શાંત દેવને નમસ્કાર કર.(28)
II धृतराष्ट्र उवाच II तस्मिन्नति रथे द्रोणे निहते पार्षतेन वै I मामकाः पांडवाश्चैव किमकुर्वन्नतः परम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દ્રોણાચાર્યના મર્યા પછી,મારા ને પાંડુપુત્રોએ શું કર્યું હતું?
સંજય બોલ્યો-દ્રોણાચાર્યના મરણ પછી,કૌરવ સૈન્ય ભાગીને ઉભું હતું ત્યારે પોતાના વિજયની એક આશ્ચર્યજનક ઘટના જોઈને અર્જુન અકસ્માત ત્યાં આવેલા વ્યાસજીને એ સંબંધમાં પૂછ્યું કે-'હે મહર્ષિ,જયારે હું મારા બાણો દ્વારા શત્રુસેનાનો સંહાર કરી રહ્યો હતો ત્યારે મારા જોવામાં આવ્યું હતું કે એક અગ્નિના સમાન તેજસ્વી પુરુષ મારી આગળ ચાલી રહ્યા હતા.