SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Sep 2, 2026
ભાગવત રહસ્ય-૨૪૪-Bhgavat Rahasya-244
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1209
અધ્યાય-૫-કૌરવ પક્ષના મરણ પામેલા મહારથીઓ
II वैशंपायन उवाच II इति श्रुत्वा महाराज धृतराष्ट्रोम्बिकासुतः I अब्रवीत संजयं सूतं शोकसंविज्ञमानसः II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્ર શોકથી વિહવળ મનવાળા થઇ ગયા ને સંજયને કહેવા લાગ્યા કે-'હે સંજય,મારી દુષ્ટ નીતિને પરિણામે જ મારો પુત્ર દુર્યોધન અલ્પાયુષી થયો છે.કર્ણ અને દુઃશાસનને મરણ પામેલા સાંભળીને મને અત્યંત શોક થાય છે ને તે મારુ કલેજું કાપી નાખે છે તો પણ હું હજી આ દુઃખના પારને તરી જવા ઈચ્છું છું માટે મારા સંશયને દૂર કર ને કૌરવ તથા પાંડવોમાં કયા કયા મહારથીઓ જીવે છે?ને ક્યા મરી ગયા છે તે મને કહે'
Sep 1, 2026
ભાગવત રહસ્ય-૨૪૩-Bhgavat Rahasya-243
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1208
અધ્યાય-૪-ધૃતરાષ્ટ્રનો વિલાપ
II वैशंपायन उवाच II एतच्छ्रुवा महाराज धृतराष्ट्रोम्बिकासुत:I शोकस्यांतमपश्यन् हतं मेने सुयोधनम् II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળી અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રના શોકનો તો પાર જ રહ્યો નહિ.તેણે દુર્યોધનને હવે મૂએલો જ માની લીધો.ને વિહવળ થઈને ઘરની પર ઢળી પડ્યો.ત્યારે ત્યાં અંતઃપુરની સ્ત્રીઓમાં મહાન આર્તનાદ થઇ રહ્યો.ત્યાં ધૃતરાષ્ટ્ર પાસે રાણી ગાંધારી આવી ને તે પણ બેભાન થઈને પૃથ્વી પર પછડાઈ.તેની પાછળ રાણીવાસની બીજી સર્વ રાણીઓ અને પણ ભોંય પર ઢળી પડી.ત્યારે સંજયે તે સર્વ સ્ત્રીઓને ધીરજ આપી.માંડમાંડ શાંત થયેલી તે સ્ત્રીઓ થરથર ધ્રૂજતી હતી.
Aug 31, 2026
ભાગવત રહસ્ય-૨૪૨-Bhgavat Rahasya-242
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.





