ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.
SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Sep 7, 2026
ભાગવત રહસ્ય-૨૪૯-Bhgavat Rahasya-249
ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1214
અધ્યાય-૧૦-કર્ણનો સેનાપતિ તરીકે અભિષેક
II संजय उवाच II हते द्रोणे महेष्वासे तस्मिन्नहनि भारत I क्रते च मोघसंकल्पे द्रोणपुत्रे महारथे II १ II
સંજય બોલ્યો-હે ભારત,દ્રોણાચાર્ય માર્યા ગયા પછી,અશ્વત્થામાનો સંકલ્પ પણ નિષ્ફળ કરાયો હતો.જયારે કૌરવ સૈન્ય પાછું હટવા લાગ્યું હતું તે જોઈને અર્જુન પોતાના સૈન્યને વ્યૂહકારે ગોઠવીને ભાઈઓ સહીત મોખરામાં ઉભો હતો.તેને જોઈને ને પોતાના સૈન્યને નાસતું જોઈને તમારા પુત્રે ઠીક પુરુષાર્થ કર્યો હતો ને પોતાના બાહુબળથી પાંડવો સામે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું હતું ને તેમને આગળ વધતા અટકાવ્યા હતા.તેટલામાં સાયંકાળ થઇ ગયો એટલે દુર્યોધને સૈન્યને છાવણી તરફ પાછું વાળ્યું.
Sep 6, 2026
ભાગવત રહસ્ય-૨૪૮-Bhgavat Rahasya-248
કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.
કામનું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.
કામને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણને પધરાવવા જોઈએ.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1213
અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો પશ્ચાતાપ
II संजय उवाच II श्रियाकुलेन यशसा तपसा च श्रुतेन च I त्वामद्य संतो मन्यंते ययातिमिव नाहुषं II १ II
સંજય બોલ્યો-લક્ષ્મી,કુળ,યશ,તપ તથા શાસ્ત્ર વડે તમે નહુષપુત્ર યયાતિ સરખા છો,એમ સત્પુરુષો માને છે.વળી,
હે રાજા,તમે એક મોટા ઋષિ સરખા છો અને કૃતાર્થ છો,માટે તમે તમારા આત્માને સ્થિર કરો ને મનમાં ખેદ ન કરો.





