Dec 25, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-378

હે,રામ,મનને "ગ્રાહ્ય સમજાયેલા પદાર્થો"માં જે "અત્યંત-રાગ" છે -અને-
મન ને "ત્યાજ્ય-સમજાયેલા-પદાર્થો"માં જે "અત્યંત-દ્વેષ" છે-તે જ બંધન છે-બીજું કોઈ બંધન નથી.

માટે,તમે ત્યાજ્ય પદાર્થો ઉપર "દ્વેષ" રાખો નહિ,અને ગ્રાહ્ય પદાર્થો પર "રાગ" રાખો નહિ.પણ તે બંને ને ત્યજીને તમે "આત્મા" માં જ રહો.અને વિક્ષેપ-રૂપી મેલથી રહિત થાઓ.
જેમની "આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે" એવી "ભેદ-બુદ્ધિ "નષ્ટ થઇ હોય છે,તેઓ કોઈ વસ્તુને ઈચ્છતા પણ નથી,અને કોઈ વસ્તુને ત્યજી પણ દેતા નથી.જ્યાં સુધી આ "ભેદ-બુદ્ધિની આ કલ્પના"ઓ ક્ષીણ ના થાય ત્યાં સુધી 'સમતા' (બ્રહ્માત્મક પણું) પ્રકાશતી નથી.

"આ વસ્તુ અનુકૂળ છે માટે મળે તો ઠીક અને આ વસ્તુ પ્રતિકૂળ છે -માટે મને કદી પણ પ્રાપ્ત ના થાય તો ઠીક"
એવી રીતની જેનામાં દ્વેષ-બુદ્ધિ છે તે પુરુષમાં વૈરાગ્યથી પ્રકાશ પામનારી સમતા અને સ્વછતા ક્યાંથી હોય?

"આનંદ-રસ બ્રહ્મ-તત્વ એક જ છે,તેનાથી કોઈ પદાર્થો ભિન્ન નથી" એમ વિચારવામાં આવે-
તો સઘળા પદાર્થો પોતાનું જ સ્વરૂપ હોવાથી -આ પદાર્થ  એ "અનુકૂળ"  જ છે-તેમાં કંઈ પણ અયોગ્ય નથી.
પણ -હવે જો તે પદાર્થોને (આત્માથી) ભિન્ન ગણવા (વિચારવા) માં આવે તો-પણ
"આત્મા અસંગ છે" અને તેથી કોઈ પણ પદાર્થ નો તેને સ્પર્શ નથી.
એટલે (તેથી) અહીં-કોઈ પદાર્થ અનુકૂળ પણ ઠરતો નથી કે પ્રતિકૂળ પણ ઠરતો નથી,તો પછી-
(તે પદાર્થમાં) યોગ્ય-કે-અયોગ્ય-પણું  તો ક્યાંથી હોઈ શકે?

"ચિત્ત-રૂપી-ઝાડ" માં જ્યાં સુધી- ઇષ્ટની આશંકા-રૂપી અને અનિષ્ટ ની આશંકા-રૂપી -
બે ચંચળ વાંદરીઓ કુદ્યા કરતી હોય-તો તે ચિત્-રૂપી-ઝાડ,કંપાયમાન થયા વિના રહે જ કેવી રીતે?
જે મનુષ્યમાં ત્યાજ્ય-પણા અને ગ્રાહ્યપણા ની "ભેદ-બુદ્ધિ" ટળી હોય,
તે વિચક્ષણ મનુષ્યમાં, આશાઓથી રહિતપણું-ભયથી રહિતપણું-સ્થિરપણું-સમપણું-જ્ઞાનીપણું-મનની
ચંચળતાથી રહિતપણું-શરીર ની ક્રિયાઓમાં કર્તા-પણા નો અભાવ-ધીરજ-સર્વ સાથે મિત્રભાવ-
મનન કરવાપણું-સંતોષ-કોમળપણું- અને કોમળ બોલવાપણું-એટલા "ગુણો" અવશ્ય રહે છે.
જો કે-આમ,તે "ગુણો" તેનામાં રહે છે છતાં,પણ તેના ચિત્તમાં તે (ગુણો) ની વાસના બંધાઈ જતી નથી.

જેમ, નીચા પ્રદેશમાં વહ્યા જતા પાણીને,પાળ બનાવીને  રોકવામાં આવે છે-
તેમ,વિષયોમાં દોડતા "મન" (ચિત્ત) ને પ્રત્યાહારથી (પરાવર્તન કરીને) બળાત્કારે રોકી લેવું,
અને બાહ્ય વિષયોમાં થતા "અભિમાન" નો ત્યાગ કરવો.
તથા, તે પછી,મન ની અંદર સ્ફૂરતી-તે વિષયો ની "વાસનાઓ" ને ત્યજી દેવી.

ઉભા રહેતાં,ચાલતાં,સૂતાં,અને શ્વાસ લેતાં તથા સર્વકાળમાં -તે વિષયોના મિથ્યાપણા નો વિચાર કર્યા કરવો-
એ "ચિત્તની અંદર સ્ફૂરતી-વિષયો ની વાસનાઓ" છોડી દેવાનો "ઉપાય"  છે.
જેમ,વિસ્તીર્ણ આકાશમાં,કોઈ સમયસર થયેલા વંટોળિયાથી વાદળાં કપાઈ જાય છે-
તેમ,અતિ વિસ્તીર્ણ બ્રહ્મપદમાં કોઈ,સમયસર પ્રવર્તવા લાગેલી બુદ્ધિ થી વાસનાઓ કપાઈ જાય છે.

હે,રામ,આ સંસારરૂપી વૃક્ષ નું અજ્ઞાન-રૂપી મૂળ, હજારો "દોષો-રૂપી-અંકુરો"ને ઉત્પન્ન થવાના સ્થાનક-રૂપ છે,
તે અજ્ઞાનને  બ્રહ્મભાવમાં "સ્થિરતા રાખવા-રૂપી ધીરજ" થી સમર્થ થયેલી "બુદ્ધિ" વડે કાપી નાખો.

મન થી જ (બુદ્ધિમાં) થયેલા "વિવેક" વડે -મન ને જ કાપી,તરત જ પવિત્ર પદને પ્રાપ્ત થાઓ.
મનથી થયેલા વિવેક થી,મન ની ભૂતકાળની વૃત્તિઓને કાપી નાખો,
"ભવિષ્ય નું ચિંતન કરવા ના ત્યાગ થી" મનની વર્તમાનકાળની વૃત્તિઓને કાપી નાખો,અને,
વાસનાઓના ઉચ્છેદથી મન ની ભવિષ્યકાળની વૃત્તિઓને કાપી નાખો-
એટલે તમારો સંસાર જ કપાઈ જશે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE