Sep 10, 2011

બારીકાઈ થી નિરિક્ષણ-૨



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


સહુ થી સરળ રીતે શરીર નું બારીકાઈ થી નિરિક્ષણ થઇ શકે છે.

૧---શરૂઆત કરવાની છે -
    શરીર ને જોવાની -સતર્કતાથી -સભાનતાથી-
    અને
    સાક્ષી ભાવ રાખવાનો છે ........

કોઈ જ જાતનું અનુમાન નહી કરવાનું-
કોઇજ જાત નો નિર્ણય નહી  લેવાનો  ......

શરીર નું હલન ચલન જેવુંકે --
ચાલવાની ક્રિયા ,જમવાની ક્રિયા અને
શ્વાસ લેવાની પ્રક્રિયા --આવી
બધી જ જાતની પ્રક્રિયા ઓ નું માત્ર અવલોકન કરવાનું છે ......

શરૂઆત માં અઘરું લાગે  છે --
થોડા જ સમય માં બીજે ધ્યાન જતું રહે છે -એવું લાગે ...
પણ ધીરજતા  થી પ્રયાસ અને અભ્યાસ થી સફળતા મળે છે .....

અને થોડાક સમય માં જ
એક એવી આશ્ચર્ય ચકિત સ્થિતિ આવી જાય છે કે ...

ઉપરની કોઈ પણ પ્રક્રિયા---- એવું લાગે છે કે જાણે કોઈ ગુરુરતા થી થતી હોય.....
અને
એક શાંત પરિસ્થિતિ નો ભાસ થાય છે ..

એક જાતની એલર્ટનેસ અને કોન્સીયસનેસ આવવા માંડે છે .......

ભગવાન બુદ્ધ બહુ ધીમે ચાલતા ---
તે કહેતા કે ----
ધીમે ચાલવું એ મારા "ધ્યાન" એક ભાગ  છે.
એવી રીતે ચાલવું જોઈએ કે જાણે --
શિયાળા માં કોઈ ઠંડા પાણીના વહેળા માં ચાલી રહ્યા છીએ ..
પાણી ખુબ ઠંડું છે અને વહેળા નો પ્રવાહ તેજ છે -પથરાળો છે--
સહેજ પણ ખોટો કદમ મુકો તો લપસી જવાની સંભવતા  છે --

ખુબ ધીમેથી -સતર્કતા થી -સભાનતાથી-સાક્ષીભાવથી
જેમ એ પાણીની અંદર કદમ મુકીએ છીએ
તેમ ચાલવાનું છે .
અને એથી જ તે "ધ્યાન" નો એક ભાગ બની જાય છે ..........



 Go to Page---  1  ---  2   ---  3  ---   4