Nov 2, 2011

PAGE-7


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
          PREVIOUS PAGE
      NEXT PAGE

પરમાર્થ-પરમાત્મા ને જાણનારો જ્ઞાની, રૂપ-વર્ણ વગેરે સર્વ નો ત્યાગ કરી,
પરિપૂર્ણ ચૈતન્ય તથા આનંદ-સ્વ-રૂપે સ્થિતિ કરે છે.(સ્થિર બને છે)    (૪૦)

જ્ઞાન,જ્ઞાતા (જ્ઞાન ને જાણનાર)અને જ્ઞેય (જે જ્ઞાન ને જાણવાનું છે તે) –એવો ભેદ પરમાત્મા માં છે જ નહિ,
એ તો કેવળ ચૈતન્ય અને આનંદ-સ્વ-રૂપ હોવાથી પોતાની મેળે જ પ્રકાશે છે.   (૪૧)

આત્મા-રૂપી અરણિમાં (અગ્નિ પ્રગટાવવાનું લાકડું-સાધન) નિત્ય ધ્યાન-રૂપ મંથન કરતાં કરતાં,
“આત્મ-જ્ઞાન-રૂપ” અગ્નિ જવાળા પ્રકટી નીકળે છે,અને તે અજ્ઞાન-રૂપી લાકડાં ને બાળી નાખે છે. (૪૨)

જેમ અરુણોદય (સૂર્યોદય), પ્રથમ ગાઢ અંધકાર ને દૂર કરે છે,અને પછી પોતાની મેળે જ સૂર્ય પ્રગટે છે,
તેમ, આત્મ-જ્ઞાન,પ્રથમ અજ્ઞાન ને દૂર કરે છે અને પછી આપોઆપ જ આત્મા પ્રગટે છે.  (૪૩)

જેમ,ગળાનો દાગીનો ગળામાં જ હોય,છતાં,કોઈ વેળા એ ગળામાં નથી એવી ભ્રમણા થતાં,
મનુષ્ય એણે ચારે બાજુ ખોળે છે અને તે ભ્રમણા દૂર થતાં પોતાના ગળામાં જ રહેલો –તે દેખાય છે,
તેમ,આત્મા તો સદા પાસે જ છે,સદા મળેલો જ છે,છતાં અજ્ઞાન ને લીધે તે પોતાને મળ્યો જ નથી,
એવું મનુષ્ય ને લાગે છે,પરંતુ અજ્ઞાન નો નાશ થતાં,તે પ્રકાશે છે.(અનુભવ થાય છે)   (૪૪)

જેમ ઝાડ ના ઠુંઠા માં ભ્રાંતિ થી,પુરુષ દેખાય છે, તેમ,અજ્ઞાન ને લીધે જ બ્રહ્મ માં “જીવ-પણું” દેખાય છે,
પરંતુ જીવના તાત્વિક સ્વ-રૂપે “બ્રહ્મ” ના દર્શન થતાં,જીવ નું “જીવ-પણું” દૂર થાય છે.  (૪૫)
(બ્રહ્મ=આત્મા=પરમાત્મા)  (જીવ-પણું=હું શરીર છું તેવું માનવું=માયા)

જેમ માથું ભમી જતાં દિશાની ભ્રાંતિ થઇ હોય તે માથું ઠેકાણે આવતાં દૂર થાય છે,
તેમ,તત્વ સ્વ-રૂપ બ્રહ્મ નો અપરોક્ષ અનુભવ થવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન,
તરત જ “હું-મારું” એવા અજ્ઞાન ને દૂર કરે છે.   (૪૬)

આત્મા અને પરમાત્માની એકતા નું ઉત્તમ વિજ્ઞાન જેને થયું છે,તેવો યોગી પુરુષ, જ્ઞાન-દૃષ્ટિ થી,
સર્વ જગતને પોતાના આત્મામાં રહેલું  જુએ છે અને સર્વ આત્મા ને “એક” જ તરીકે દેખે છે. (૪૭)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
          PREVIOUS PAGE
      NEXT PAGE