જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત
અધ્યાય-૪-જ્ઞાન કર્મ
સંન્યાસયોગ -૭
તે જેને સમજાઈ જાય .....
એટલે આત્મા ના
આનંદ માં તૃપ્ત થઇ ---પછી તે મહાત્મા –
શરીર પ્રત્યે,ઇન્દ્રિયો
પ્રત્યે (મુખ-વગેરે), વિષયો પ્રત્યે (સ્વાદ-વગેરે)-ઉદાસીન થઇ જાય છે.
તેના મન અને બુદ્ધિ –પોતાને
આધીન-થવાથી-તેનામાં એક મહાન સંતોષ પેદા થયેલો હોય છે.
તેને પછી કોઈ નવું
કર્મ કરવાની ઈચ્છા થતી નથી.
પોતાનાં કર્તવ્ય
કર્મો તે કરે છે,પણ તે કર્મો ના ફળ ની તેને ઈચ્છા હોતી નથી,
ઈચ્છાઓ નો-તે- ત્યાગ (-સંન્યાસ ) કરે છે,
એટલે કે-જીવન
જરૂરિયાત ના કર્મો અને તે કર્મો ના ફળ બંને પ્રત્યે તેની ઉદાસીનતા હોય છે.
આત્માનંદ ની તૃપ્તિ
માં મગ્ન એવો –એ મહાત્મા કોઈ પણ વિષય (સ્વાદ-વગેરે) નો-
આશરો લેતો નથી,કે
વિષયો (સ્વાદ-વગેરે) ને આધીન થતો નથી,એથી-
એવે વખતે તે કોઈ પણ
કર્મ કરે તેમ છતાં પણ તે કોઈ જ કર્મ કરતો નથી.
એટલે કે તે કર્મ
બંધન થી લેપાતો નથી.(કર્મ, અકર્મ થઇ જાય છે) (૧૯-૨૦)
આવા મહાત્મા ઓ અત્યારના
જમાના માં મળવા કદાચ મુશ્કેલ છે.
--કે જેમણે કોઈ જ
જાતની આશા નથી.
--કે જેમણે પોતાનાં
મન અને બુદ્ધિ ને સ્વાધીન રાખ્યા છે.
--કે જેમણે સર્વ
સંગ્રહ નો ત્યાગ કર્યો છે,(અપરિગ્રહતા)
--કે જેમને અનાયાસે
જ જે મળે તેમાં સંતોષ હોય છે,
--કે જેમના મન માં
દ્વંદ (હું અને મારું-તારું,સુખ દુઃખ વગેરે) રહ્યો નથી,કે કોઈ ઈર્ષા નથી,
--કે જેમણે ચાલુ કરેલું
કર્મ પુરુ થાય કે તે કર્મ અપૂર્ણ રહે-પણ તેને કોઈ હર્ષ કે ખેદ થતો નથી.
આવા મહાત્મા ઓ શરીર
ના નિર્વાહ માટે - કોઈ પણ કર્મ કરે પણ તે-
કર્મ નું બંધન કે
કર્મ નો કોઈ દોષ તેમને લાગતો નથી. (૨૧-૨૨)
પછી ના શ્લોક -૨૩ થી
શ્લોક- ૩૧ -સુધી, બાર પ્રકારના યજ્ઞો કહી
સંભળાવ્યા છે.
તેનો સાર માત્ર એટલો
જ છે કે-આ સર્વ યજ્ઞો કર્મ થી જ ઉત્પન્ન થાય છે,
અને આટલું જાણી લીધા
પછી કર્મ નું બંધન નડતું નથી. (૩૨)
વેદો માં યજ્ઞો નું
બહુ વિસ્તૃત વર્ણન છે, અને વેદો એ આ યજ્ઞો નું મૂળ પણ છે.
જેમાં બાહ્ય
ક્રિયાઓની (બાહ્ય કર્મો ની) ખટપટ વધારે છે.
અને આ કર્મો નું
(અપૂર્વ) ફળ –તે -સ્વર્ગ છે.
આ બધા યજ્ઞો સાચા છે –તેમાં ના નહિ, પણ ....
પણ આ બધા યજ્ઞો-જ્ઞાનયજ્ઞ
ની બરાબરી કરી શકતા નથી. જ્ઞાનયજ્ઞ –શ્રેષ્ઠ
છે.
જેમ સૂર્ય ની આગળ –તારા
ઓનું તેજ ફિક્કું છે.તેમ જ્ઞાનયજ્ઞ આગળ બધા યજ્ઞો ફિક્કા છે.
સર્વ કર્મો (યજ્ઞો)
છેવટે જ્ઞાન (આત્મજ્ઞાન) માં જઈ મળે છે.(૩૩)