જ્ઞાનેશ્વરી ગીતા ઉપર
આધારિત
END
|
અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસયોગ-૮
તારા સર્વ કર્મો,મન પૂર્વક મને અર્પણ કરી,
મારા માં તત્પર (પરાયણ) થઇ,
મારા માં બુદ્ધિ ને પરોવી, સતત મારા માં ચિત્ત
વાળો થા. (૫૭)
આવી રીતે મારા માં ચિત્ત ને સ્થિર કરીને,
મારી કૃપા થી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ.
પરંતુ જો-
“અહંકાર” (અભિમાન) ને લીધે તુ મારું કહ્યું
સાંભળીશ નહિ તો નાશ પામીશ. (૫૮)
જો મન માં અહંકાર રાખી ને –જો તુ એમ માને કે-“હું
નહિ લડું” –તો તારો આ નિશ્ચય મિથ્યા (ખોટો) છે.
કારણ કે-તારો ક્ષત્રિય સ્વ-ભાવ ,તને બળાત્કારે પણ
યુદ્ધ માં પ્રવૃત કરશે.(૫૯)
તારો જન્મ ક્ષત્રિય પ્રકૃતિ માં થયેલો છે,પ્રકૃતિએ જે ગુણો
શૌર્ય,તેજ –વગેરે આપેલા છે, તે ગુણો ને અનુરૂપ કર્મ કરવાનું ત્યજી ને –યુદ્ધ ન કરી
ને –ખાલી સ્વસ્થ થઇ બેસી રહેવાનું તારાથી બનવાનું નથી.એટલે પછી થી પણ અનિચ્છાએ પણ
યુદ્ધ તો તુ કરીશ જ, એટલું “હું યુદ્ધ નહિ કરું” એમ તારું બોલવાનું વ્યર્થ છે.
(૬૦)
હે અર્જુન,ઈશ્વર (પરમાત્મા) પ્રાણીમાત્ર ના હૃદય
માં વસેલો છે,અને પોતાની માયાથી,
બધાં પ્રાણીઓ ને યંત્ર ની જેમ ફેરવ્યા કરે છે.
(૬૧)
માટે સર્વ ભાવથી,તેને જ શરણે જા. જેની કૃપા થી
તું પરમ શાંતિ અને શાશ્વત પદ પ્રાપ્ત કરી શકીશ.(૬૨)
આ રીતે મેં તને ગુહ્ય થી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું,
તેના પર નિઃશેષપણે વિચાર કરીને –
તને જે યોગ્ય લાગે (ઈચ્છે) તે કર.(૬૩)
સર્વ રહસ્યો માં ગુહ્યત્તમ રહસ્ય-એવું મારું વચન
તુ ફરીથી સાંભળ. કારણકે તુ મને અતિશય પ્રિય છે-
તેથી હું તને તારા હિત ની વાત (ફરીથી) કહું
છું.(૬૪)
મારા માં પરાયણ થા,મારો ભક્ત થા,મારે અર્થે યજ્ઞ (કર્મ)
કર,અને મને નમસ્કાર કર,
એમ કરવાથી તુ મને જ પ્રાપ્ત થઈશ,એમ હું પ્રતિજ્ઞા
કરી ને સત્ય કહું છું.કારણ તુ મને પ્રિય છે (૬૫)
સર્વ ધર્મો છોડી ને –એક મારે જ શરણે આવ,હું તને
સર્વ પાપ માંથી મુક્ત કરીશ,તું શોક ન કર (૬૬)
આ જ્ઞાન (ગીતા જ્ઞાન) તારે- તેને કદી પણ કહેવું
નહિ –કે-
જે ભક્ત કે તપસ્વી નથી,જે સેવા કરતો નથી, જે મારી
નિંદા કરે છે,અને
જે આ જ્ઞાન સાંભળવા ઈચ્છતો નથી-(૬૭)
મારા ભક્તો ને ,મારા તરફથી (વતી થી) –જે કોઈ આ
ગુહ્ય જ્ઞાન કહેશે-તે નિઃસંદેહ મને જ પામશે (૬૮)
મનુષ્યો માં તેના કરતાં મારી વધુ સારી સેવા કરનાર
બીજો કોઈ નથી, અને-
આ પૃથ્વી પર તેના કરતાં બીજો કોઈ –મને વધુ પ્રિય
થવાનો નથી.(૬૯)
જે –તારા અને મારા આ ધર્મયુક્ત સંવાદનું પઠન
કરશે-તેણે –
મને જ્ઞાનયજ્ઞ થી પૂજ્યો છે-એમ હું સમજીશ.(૭૦)
વળી જે મનુષ્ય દ્વેષ વગરનો થઇ –શ્રદ્ધા વાળો થઇ
ને –આ ગીતા સાંભળશે-
તે પણ મુક્ત થઇ ને પુણ્યવાનો ના લોક ને
પામશે.(૭૧)
હે પાર્થ,શું તેં આ બધું એકાગ્ર ચિત્ત થી સાંભળ્યું?
અજ્ઞાનને લીધે તારામાં જે મોહ ઉત્પન્ન થયો હતો તે
નષ્ટ પામ્યો ? (૭૨)
ત્યારે અર્જુન કહે છે-કે-
તમારી કૃપા થી મારો મોહ નષ્ટ થયો,અને મારા સત્ય
સ્વ-રૂપ નું મને જ્ઞાન થયું છે જેથી મારો
મોહ નાશ પામ્યો છે.હું સ્થિર થયો છું,મારા સંશયો
નાશ પામ્યા છે,હું તમારું કહ્યું કરીશ (૭૩)
જ્યાં જયાં –યોગેશ્વર શ્રીકૃષ્ણ છે,જ્યાં જ્યાં
ધનુર્ધારી અર્જુન છે-
ત્યાં ત્યાં –સમૃદ્ધિ,વિજય,સુખ અને અવિચળ નીતિ
છે.(૭૪)