Oct 1, 2013

Sat-Sloki-Gujarati-21

શત-શ્લોકી-21-(આદિ) શંકરાચાર્ય રચિત 


હું દેહ નથી,ઇન્દ્રિય નથી,મન નથી,બુદ્ધિ નથી,પ્રાણ નથી,અને અહંકાર પણ નથી, કારણકે
તે બધું નાશવંત અને જડ છે.
આમ જો એ અંદરની વસ્તુઓ રૂપ જો હું નથી તો પછી બહારની વસ્તુઓ-સ્ત્રી,ઘર,પુત્રો,સ્વજનો,ધન વગેરે
સાથે મારો સંબધ કેવી રીતે હોઈ શકે ?(ના જ હોઈ શકે)
હું તો સર્વ નો સાક્ષી,ચૈતન્ય-રૂપ,પ્રત્યેક માં આત્મા-રૂપ રહેલો અને જગતના મૂળ સ્થાન રૂપ શિવ છું(૯૨)

--જે આ લીલું-પીળું વગેરે અનેક પ્રકારનું પદાર્થો નું સ્પષ્ટ રૂપ આંખથી દેખાય છે,તે દૃશ્ય છે,
કારણ કે એ સર્વ ને પ્રગટ-રૂપે અનુભવપૂર્વક ચક્ષુ ઇન્દ્રિય જુએ છે પણ જે પોતે પણ એક “રૂપ” વાળી છે,
એટલે એ ચક્ષુ પણ દૃશ્ય છે.
--કારણકે,તેને મન જુએ છે (મન તેનો દ્રષ્ટા છે) અને મન દ્વારા તે પ્રકાશે છે.
(સાચે જોવા જાઓ તો) મન પણ દ્રષ્ટા ના હોતાં -દૃશ્ય છે,
--કારણકે તેની દ્રષ્ટા બુદ્ધિ છે,બુદ્ધિ દ્વારા તે પ્રકાશે છે.
અનેક વિષયો ના આધારે પરિણામ પામેલી બુદ્ધિ પણ દ્રશ્ય છે
--કારણકે,તેનો દ્રષ્ટા આત્મા છે,અને આત્મા દ્વારા જ તે પ્રકાશે છે.

આ રીતે બધું જ દૃશ્ય છે,પરંતુ આત્મા જ એક કેવળ દ્રષ્ટા રૂપ છે અને સાક્ષી છે.
કારણકે બીજા પદાર્થો ની માફક પોતે કદી દેખાતો નથી.માટે જ તે દૃશ્ય નથી.
(કોઈ ઇન્દ્રિયો –વગેરે થી દેખાય તેને જ દૃશ્ય કહી શકાય).(૯૩)

જેમ,આછા અંધારામાં દોરડી પડી હોય,તે દોરડીરૂપે નહિ જણાયા થી,એકાએક સર્પ નો ભાસ થાય છે,
તેમ,પોતાનો આત્મા એ જ પરમાત્મા છે,પરંતુ પોતાના અજ્ઞાન રૂપી અંધારા ને લીધે મનુષ્ય વિચારે છે કે.
આત્મા ને જીવ (શરીર) પણું થયું છે અને તે આત્મા જ અત્યંત દુઃખરૂપ છે.

પ્રકાશ કરવાથી જેમ દોરડીમાં ના સર્પ નો ભ્રમ દૂર થઇ,દોરડી પ્રત્યક્ષ થાય છે,તેમ,
કોઈ સંત-મહાત્મા ના કહેવાથી,જ્ઞાન નો ઉદય  થાય છે અને અજ્ઞાન દૂર થતાં,મનુષ્ય ને અનુભવ થાય છે કે-હું જીવ (શરીર) નથી પણ કુટસ્થ-સર્વદા એક સ્વ-રૂપે રહેનાર,સાક્ષી-રૂપ શિવ છું (૯૪)

ગુરૂ-શિષ્ય સંવાદ.
ગુરૂ-દિવસે અને રાતે તને કયું તેજ દેખાય છે?
શિષ્ય-દિવસે મને સૂર્ય અને રાતે ચન્દ્ર તથા દીવો તેજ રૂપે દેખાય છે.
ગુરૂ-આ તેજ ને જોવામાં તને કયું તેજ ઉપયોગી થાય છે?
શિષ્ય-ચક્ષુ.આંખના તેજ થી તેઓ ને હું જોઉં છું.
ગુરૂ-એ ચક્ષુ તુ મીંચી જાય (બંધ કરે) ત્યારે તને શું પ્રકાશતું જણાય છે?
શિષ્ય-ત્યારે તો બુદ્ધિ  જ અત્યંત પ્રકાશે છે.
ગુરૂ-તે બુદ્ધિ ના પ્રકાશ ને જાણવા (બુદ્ધિ ને જાણવા) કોની જરૂર રહે છે?
શિષ્ય-એ બુદ્ધિ ને જાણનારો તો હું પોતે જ છું.
ગુરૂ-ત્યારે તે—જ- તું-સર્વ થી શ્રેષ્ઠ જ્યોતિ (પ્રકાશ-આત્મા) છે.
શિષ્ય-હા,ખરું,હું જ સર્વ નો પ્રકાશક પરમ જ્યોતિ આત્મા છું  (૯૫)

પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી ભોગવવાનું હોય ત્યાં સુધી તેટલો કાળ જીવન-મુક્ત પુરુષ પૃથ્વી પર રહે છે,
પણ તે કાળ દરમિયાન તે દેહાદિ સમુદાય (શરીર અને ઇન્દ્રિયો) ને અહમબુદ્ધિ  થી ફરી વળગી રહેતો નથી.
કેવળ સંગ-રહિત (અનાશક્ત) બુદ્ધિ થી સુખ-પૂર્વક સર્વ વ્યવહારો કરે છે.
કારણકે તે દ્વંદ ભાવ થી રહિત,નિત્યશુદ્ધ,નિત્યતૃપ્ત,બ્રહ્માનંદ સ્વ-રૂપ, સ્થિર બુદ્ધિવાળો.અને અડગ હોય છે.
તેની મમતા અને અહંકાર ઓગળી ગયા હોય છે,અને મોહ છૂટી ગયો હોય છે. (૯૬)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE