Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-14

જેઓ બ્રહ્મ-વૃત્તિ ને સંપૂર્ણ જાણે છે,અને જાણી ને હંમેશ તે વૃત્તિ ને વધારતા રહે છે,
--તે સત્પુરુષો ને ધન્ય છે,અને તેઓ જ ત્રણે ભુવન માં વંદનીય છે.  (૧૩૧)


જેઓની બ્રહ્માકાર વૃત્તિ સારી રીતે વધી હોય,અને સંપૂર્ણ પક્વ થઇ હોય,
--તેઓ જ ઉત્તમ બ્રહ્મ-ભાવ ને પામી ચુક્યા છે,જયારે,
--બીજા શબ્દ-વાદી વાતો કરનારા બ્રહ્મ-ભાવ ને પામતા નથી. (૧૩૨)


જેઓ બ્રહ્મની વાતો કરવામાં જ હોશિયાર હોય,પણ બ્રહ્માકાર વૃત્તિ થી રહિત હોય છે,
--તેઓ અતિશય રાગી અને અજ્ઞાની જ હોય છે,તેથી તે વારંવાર સંસારમાં અવર-જવર કર્યા કરે છે,
જન્મ-મરણ પામ્યા જ કરે છે,અને સંસાર માંથી છૂટતા નથી.  (૧૩૩)


જેમ બ્રહ્મ,સનક,શુકદેવ –વગેરે જ્ઞાનીઓ એક ક્ષણ પણ બ્રહ્માકાર વૃત્તિ વિના રહેતા નથી,
--તેમ બ્રહ્મ-વેતા પુરુષો,આંખ ના અડધા પલકારા જેટલો સમય પણ,
--એ બ્રહ્મમય (બ્રહ્માકાર)  વૃત્તિ વિના રહેતા નથી.   (૧૩૪)


કાર્ય (સંસાર) માં કારણ-પણું (બ્રહ્મ-પણું) લાગુ રહે છે,પણ કારણ માં કાર્ય-પણું કદી ના જ આવે, માટે,
--આ સિદ્ધાંત ને લક્ષ્યમાં રાખી,કાર્ય (સંસાર) ના અભાવનો વિચાર કરી,તેનો (કાર્ય નો) ત્યાગ કરી,
--કારણ-પણું (બ્રહ્મ-પણું) પ્રાપ્ત કરવું,ને સર્વ ના મૂળ કારણ (બ્રહ્મ) સ્વ-રૂપ થવું. (૧૩૫)


માટી અને ઘડા નો જ વારંવાર દાખલો લઇ,તેમાં કારણ-માટી સાચી છે? કે  કાર્ય-ઘડો સાચો છે?
તે ફરી ફરી તપાસી ને પછી,
--આ “સંસાર રૂપ”--“કાર્ય” નું જે મૂળ “કારણ”—“બ્રહ્મ”  છે, અને,
--જે વસ્તુ (બ્રહ્મ) વાણી નો વિષય નથી,તે શુદ્ધ બ્રહ્મ-રૂપ વસ્તુ નું જ દર્શન કરવું.  (૧૩૬)


આ જ પ્રકારે બ્રહ્માકાર વૃત્તિ થઇ શકે છે,અને તે પછી જેઓ ના ચિત્ત શુદ્ધ થયાં હોય છે,
--તેવા પુરુષો ની એ વૃત્તિ “જ્ઞાન” ને પ્રગટ કરે છે.  (૧૩૭)


“જો કારણ (બ્રહ્મ) ન હોય તો કાર્ય (સંસાર) ન જ હોય” આવા “વ્યતિરેક” થી,
સહુ પ્રથમ મનુષ્યે બ્રહ્મ-રૂપ કારણ ની તપાસ કરવી,
--અને પછી,”જો કારણ (બ્રહ્મ) હોય તો જ કાર્ય (સંસાર) હોય, આવા “અન્વય” થી,
આ સંસાર-રૂપ “કાર્ય” માં નિત્ય તે બ્રહ્મ-રૂપ “કારણ” નું જ દર્શન કરવું.  (૧૩૮)


મનનશીલ મનુષ્યે પ્રથમ તો કાર્ય(સંસાર) માં જ કારણ (બ્રહ્મ) ને જોવું,ને પછી કાર્ય નો ત્યાગ કરવો,
--અને એમ નિત્ય ના બ્રહ્મ ના ધ્યાન થી કારણ-રૂપ બ્રહ્મ નું દર્શન થાય છે,અને
--પછી કારણ (બ્રહ્મ) માં રહેલું કારણ-પણું (બ્રહ્મ-પણું) પણ નાશ પામે છે,
--અને પોતે શુદ્ધ બ્રહ્મ-રૂપે બાકી રહે છે.   (૧૩૯)


જેમ ભમરી એ કીડા ને ડંસ મારી,પકડી લાવી ને પોતાના દર માં પૂરે છે,ત્યારે દરમાં પુરેલ કીડો,
“હમણાં ભમરી આવી ને મને ડંશ મારશે” એવા સતત ભય ને લીધે,સતત ભમરી નું જ ધ્યાન કરતાં કરતાં,છેવટે પોતે પણ ભમરી જ બની જાય છે,
--તેમ,જો મનુષ્ય તીવ્ર શક્તિ થી,નિશ્ચયપૂર્વક,જે વસ્તુ (બ્રહ્મ) ની ભાવના કરે છે,
--જે (બ્રહ્મ) નું ધ્યાન કર્યા કરે છે,તે તે જ વસ્તુ (બ્રહ્મ) સ્વ-રૂપે જલ્દી બની જાય છે.એમ સમજવું.(૧૪૦)


આ સર્વ જગત ભલે દૃશ્ય જણાય છે,પણ ખરી રીતે,અદૃશ્ય-ચૈતન્ય-રૂપ છે,ભાવ-રૂપ અને આત્મસ્વરૂપ છે,
--આમ,નિત્ય સાવધાન-પણે,વિદ્વાન મનુષ્યે,સર્વ સ્વ-રૂપે,પોતાના આત્મા ની જ ભાવના કરવી,
--અને સર્વ પદાર્થો ને કેવળ આત્મા-રૂપે જ ચિંતવવા (૧૪૧)


વિદ્વાન (જ્ઞાની) પુરુષે,”દૃશ્ય”  જગત ને “અ-દૃશ્ય”  કરી.તેને બ્રહ્માકારે ચિંતવવું,
--અને તે ચૈતન્યરસ વડે,પૂર્ણ બુદ્ધિ થી નિત્ય-સુખ માં રહેવું.  (૧૪૨)


જેઓના રાગ-દ્વેષાદિ દોષો થોડે અંશે પણ ક્ષીણ થયા હોય,તેમને માટે,
--હઠયોગ-સહિત,આ પંદર અંગો વાળો “રાજ યોગ” ઉપયોગી છે.(આને જ રાજયોગ કહેવાય છે.) (૧૪૩)


જેઓનું મન પરિપક્વ થયું હોય એવા પુરુષો ને જ કેવળ આ રાજયોગ સિદ્ધ થાય છે,
--અને (વળી) ગુરૂ તથા દેવ ના ભક્ત,સર્વ મનુષ્યો ને પણ આ યોગ જલ્દી સુલભ થાય છે.  (૧૪૪)


અપરોક્ષાનુભૂતિ-સમાપ્ત.



PREVIOUS PAGE         INDEX PAGE             END