Feb 4, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-70



વશિષ્ઠ બોલ્યા-હે,રામ,તમે "જીવ" ને ચૈતન્ય-રૂપ સમજી ને "જગત" ને તે -ચૈતન્ય-રૂપ સમજ્યા છો.
આથી હજી સંસારનો નાશ થાય એવી સાચી વાત કંઈ સમજ્યા જ નથી.
આ સંસાર-રૂપ "જીવ" તો પશુ (પ્રાણી) કહેવાય છે -તો શું તે -જીવ ચૈતન્ય-માત્ર "દેવ" હોઈ શકે ખરો?

એ "જીવ" તો દેહનું ગ્રહણ કરીને જરા તથા મરણ -આદિ અનેક ભયને ભોગવે છે. એ જીવ નિરાકાર હોવા
છતાં,અજ્ઞાન ને લીધે દુઃખ ના પાત્ર-રૂપ જ છે.તો તેને ચૈતન્ય-માત્ર દેવ કેમ કહેવાય?

"જીવ" પોતે ચેતન-શક્તિવાળો હોવાથી અનર્થ-રૂપ મન ને જાગ્રત કરે છે,અને મન-રૂપ થઈને રહે છે,
આથી તે દુઃખના પાત્ર-રૂપ જ છે.
વિષયો થી રહિત-પણું  એટલે કે વિષયો થી દૂર રહેવા-પણું એ એ "જીવ" ની સંપૂર્ણ "સ્થિતિ" છે.
અને તેને જાણવાથી મનુષ્ય ને શોક કરવો પડતો નથી,પણ તે "કૃતાર્થ-પણું" પ્રાપ્ત કરે છે.

જયારે સઘળાં "કારણો" ના "કારણ" એવા પરમ-સ્વ-રૂપ નો અનુભવ થાય છે-
ત્યારે જડતા તથા ચૈતન્ય ના અધ્યાસ રૂપ ગાંઠ છૂટી જાય છે.સઘળા સંશયો છેડાઈ જાય છે, અને
સઘળાં કર્મો નો ક્ષય થઇ જાય છે.

જીવ જે "વિષયો" તરફ ખેંચાય છે-તે "વિષયો" નો અભાવ કર્યા વિના તેને રોકી શકાય તેમ નથી. અને-
પ્રત્યક્ષ દેખાતા વિષયોનો અભાવ "જ્ઞાન" વિના થઇ શકે એમ નથી જ.
તો પછી જ્ઞાન થયા વિના મોક્ષ પણ ક્યાંથી થાય?

સમાધિ પણ "દૃશ્ય" (જગત) એવા વિષયો નો બાધ કરવાથી થાય છે તો-\
મોક્ષમાં "દૃશ્ય" વિષયો નો બાધ કરવાની આવશ્યકતા હોય તેમાં તો કહેવું જ શું?

રામ બોલ્યા-હે,બ્રહ્મન,નિરાકાર છતાં,પશુ જેવા અજ્ઞાની,જે જીવ ને જાણવાથી સંસાર ટળતો નથી -
તે જીવ ક્યાં રહે છે અને કેવો છે? વળી,સંસાર-રૂપી સમુદ્રમાંથી તારનાર પરમાત્મા -કે જે-
મહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રોના સંગ થી જાણવામાં આવે છે-તે ક્યાં છે અને કેવા છે તે તમે મને કહો.

વશિષ્ઠ બોલ્યા-ચેતન રૂપ-વાળા અને જન્મ-મરણ વગેરે જંગલમાં ભટકતા આ જીવ ને (શરીરને)
જે "આત્મા" માને છે,તેઓ પંડિત છતાં મૂર્ખ છે.
જીવ (શરીર) ચેતન છતાં પણ સંસાર-રૂપ છે.અને દુઃખ ના સમૂહ-રૂપ જ છે. માટે એ (શરીર) ને જાણવાથી,
કોઈ પણ "તત્વ" જાણવામાં આવ્યું હોય તેમ સમજવું જ નહિ.
પણ,હે,રામ,જો પરમાત્મા ને જાણવામાં આવે તો,સઘળાં દુઃખો નો સમૂહ શાંત થઇ જાય છે.

રામ બોલ્યા-મને પરમાત્મા નું ખરું સ્વરૂપ કહો કે જે જાણવાથી મારું મન સર્વ મોહ ને તરી જાય.

વશિષ્ઠ બોલ્યા-આપણું જ્ઞાન જગતના એક પ્રદેશમાંથી પલકવારમાં (જગતના) બીજા પ્રદેશમાં પહોંચે છે.
તે વખતે -તે (જગતના) બંને પ્રદેશના સંબધ થી રહિત એવું જે નિર્વિષય સ્વ-રૂપ પ્રતીત થાય છે તે -
પરમાત્મા નું સ્વ-રૂપ છે.
જે "જ્ઞાન-રૂપી" મહાસાગરમાં સંસાર (દૃશ્ય) નાશ-વગેરે કોઈ "વિકારો" ને પ્રાપ્ત થયા વિના,
પણ અત્યંત "અભાવ" પામે છે તે પરમાત્માનું સ્વ-રૂપ છે.
દ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) નો ક્રમ -એમ ને એમ રહે છતાં (તે ક્રમ) અસ્ત પામી જાય,

અને ભરપૂર (ભરેલું) છતાં પણ કલ્પનાઓ ને અવકાશવાળું(ખાલી) લાગે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE