May 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-162


જે મનુષ્યની બુદ્ધિ અનર્થમાં હોય તેણે પૂર્વાપરનો (ભવિષ્યનો) વિચાર ઉત્પન્ન થતો નથી,
પ્રિય પદાર્થમાં તલ્લીન થયેલું ચિત્ત,તે પદાર્થ ને પામવાના દૃઢ પ્રયત્ન ને કારણે (ખોટી ભાવનાને લીધે)
તે વિપરીત “ભાવ” ને પામે છે અને તેને “પછી નો” (પછી શું થશે? તેવો) વિચાર સૂઝતો નથી.
કર્કટી રાક્ષસીએ “જગતને ગળી જવા રૂપી” પોતાનો મનોરથ સિદ્ધ કરવા સારું,પોતાના “મોટા શરીર” નો
ત્યાગ કર્યો,અને “સૂચી શરીર”(સોય જેવા નાના) શરીરનો અંગીકાર કર્યો!!
તેણે સ્વાર્થની સિદ્ધિ માટે મરણ નું મહાદુઃખ પણ મહાસુખ-રૂપ માન્યું!! સંતોષ માન્યો !!
એક વસ્તુ પર અતિ-પ્રીતિ કરનાર મનુષ્ય ને બીજી વસ્તુ માં ભાન રહેતું નથી, અને તે એક વસ્તુ ની
અતિ ઈચ્છા રાખનાર મનુષ્ય ને તેમાં ભલે તેનો નાશ થતો હોય તો પણ તે તેને તે સુખ-રૂપ માને છે.
આવી રીતે પ્રાણી-માત્ર ને ગળી જવાની ઈચ્છાવાળી તે “જીવ-વિશુચિકા” આકાશ-રૂપ નિરાકાર અને
આકાશ ની પેઠે સૂક્ષ્મ-લિંગ-શરીર વાળી થઇ હતી.તેજ ના સૂક્ષ્મ પ્રવાહ ની જેવી તેની કાંતિ હતી,
તે “પ્રાણ-તંતુ-રૂપ” હતી અને “કુંડલીની શક્તિ” જેવો તેનો આકાર હતો.
સૂર્ય ના કિરણ જેવી (પ્રકાશ-મય) તે સુંદર હતી, એટલા માટે,એ રાક્ષસી ની “ક્રૂર-મનોવૃત્તિ” જ
“જીવ-વિશુચિકા” રૂપે રહેલી છે.પુષ્પ ના ગંધ ની પેઠે-તે “જીવ-સૂચી” પ્રાણીના હૃદયમાં પ્રવેશ કરે છે,
અને પ્રાણી ની “હિંસા” (મરણ) થવાના “કારણ-રૂપે” (રોગો) પ્રગટ  રહે છે.
તે પારકા પ્રાણ હરણ કરીને પોતાનો પરમ-અર્થ પુરો કરવામાં પારાયણ (મગ્ન) રહે છે,
આમ તે રાક્ષસી આયસી (લોઢા જેવી) અને અનાયસી (રોગ-રૂપી-જીવ-રૂપે) સૂચી(સોય)રૂપ થઇ.
હવે તે ઝાકળના જેવી પાતળી (અનાયસી) અને ચાંદીના જેવી કોમળ (આયસી)-તે રાક્ષસીએ
“બે પ્રકારના-સૂક્ષ્મ-સ્વ-રૂપ” થી મનુષ્ય ના શરીરમાં પ્રવેશ કરીને શરીર ને વીંધતાં દશે દિશામાં
ફરવા માંડ્યું. અને આમ જયારે તેણે દશે દિશામાં ફરવા માંડ્યું
રોગથી પરવશ થયેલા,સ્થૂળ અને દુબળા મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરીને તે રાક્ષસી “વાત-સૂચી”
(વાયુ-રૂપ-સૂચી) થઇ.અને તેણે “વિશુચિકા” (કોલેરા-જેવો?) નો રોગ ઉત્પન્ન કરવા માંડ્યો.
તે કોઈ સમયે સ્વસ્થ અને સુબુદ્ધિ-વાળા મનુષ્યોના શરીરમાં “જીવ-સૂચી-પણા” થી પ્રવેશ કરીને,
તેમનામાં તે “અંત-વિશુચિકા” (દુષ્ટ-બુદ્ધિ) ઉત્પન્ન કરીને તેમનો અંત લાવતી હતી.
આમ, દુષ્ટ-બુદ્ધિ વાળા મનુષ્યોના શરીરમાં રહીને તે રાક્ષસી કદી તૃપ્ત થતી તો-
કદી પુણ્યવાન મનુષ્યો તેને “મંત્ર,ઔષધિ,તપ” વગેરે ના ક્રમ થી તેને કાઢી પણ મૂકતાં હતાં.
આ પ્રમાણે “બે-દેહ થી” (આયસી અને અનાયસી) આકાશમાં અને પૃથ્વી પર ફરતાં ફરતાં તેનાં ઘણાં વર્ષો
ચાલ્યાં ગયાં.તે રાક્ષસી
--કોઈ સમયે પૃથ્વીમાં ધૂળમાં સંતાઈ રહેતી,તો --કોઈ સમયે,હાથની આંગળીઓમાં સંતાઈ રહેતી.
--કોઈ સમયે આકાશની પ્રભામાં સંતાઈ રહેતી તો --કોઈ સમયે વસ્ત્રના તંતુમાં સંતાઈ રહેતી.
--કોઈ સમયે સ્નાયુ-રૂપી નદીમાં,કોઈ સમયે વ્યભિચાર થી દૂષિત થયેલી ઇન્દ્રિયમાં,
--કોઈ સમયે મનુષ્યના હાથ-પગ  ની સુકાઈ ગયેલી રેખાઓમાં,
--કોઈ સમયે કાંતિહીન મનુષ્યોના ઉચ્છવાસ ઉપડાવી તેમાં,
--કોઈ સમયે બણબણતી માંખ વાળા,દુષ્ટ (ગંધ) વાયુવાળા (બીલી-આંબા-વગેરે વૃક્ષો વિનાના સ્થળમાં) તો
-- કોઈ સમયે એવા દેશમાં સંતાઈ રહે કે-કે જે દેશમાં સ્થૂળ પશુ અને મનુષ્યોનાં હાડકાં પડ્યાં હોય.(કે જેમાં નિરંતર આત્મનિષ્ઠ અને પરપીડ ને હરનારાનો અભાવ હોય-જેમાં અપવિત્ર મનુષ્યો ભૂંડાં વસ્ત્રો પહેરીને ઘૂમતાં હોય!!)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE