Jun 12, 2022

નર્મદાષ્ટકમ-Narmadashtakam with gujarati meaning

सविन्दु सिन्धु-सुस्खलत्तरंगभंगरंजितं, द्विषत्सु पापजातजात करिवारी संयुतं ।
कृतांतदूत कालभूत भीतिहारी वर्मदे, त्वदीय पादपंकजं नमामि देवि नर्मदे ।।१।।


પોતાના જળ-બિંદુઓ દ્વારા સમુદ્રની ઉછળતી લહેરોમાં સુંદર (રોચક) દૃશ્ય ઉત્પન્ન કરનાર,શત્રુઓના પણ પાપ સમુદાયનો નાશ કરનાર,(અંત સમયમાં) યમદૂતો (કાળદૂતો)ના ભયને હરીને રક્ષા કરનારી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

त्वदंबु लीनदीन मीन दिव्य संप्रदायकं, कलौ मलौघभारहारि सर्वतीर्थनायकं ।
सुमत्स्य, कच्छ, नक्र, चक्र, चक्रवाक शर्मदे, त्वदीय पादपंकजं नमामि देवि नर्मदे ।।२।।


આપના નિર્મલ જળમાં મગ્ન (લીન) રહેનાર દિન-દુઃખી માછલાંઓને દિવ્ય (સ્વર્ગ) પદ આપનાર,
આ કળિયુગના પાપરૂપી ભારને હરનારી,સર્વ તીર્થજળોમાં શ્રેષ્ઠ,માછલાં,કાચબો (કચ્છ)મગર (નક્ર) વગેરે જળ-સમુદાય,તથા ચક્રવાક આદિ પક્ષી-સમુદાયને સુખ દેનારી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

महागभीर नीरपूर – पापधूत भूतलं, ध्वनत् समस्त पातकारि दारितापदाचलम् ।
जगल्लये महाभये मृकंडुसूनु – हर्म्यदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥३॥


આપના કલકલ ધ્વનિથી સમસ્ત પાપોને નાશ કરનાર,સંકટોના પર્વતોને દૂર કરનાર,અત્યંર ગંભીર જળના પ્રવાહ દ્વારા પૃથ્વીના પાપોને ધોનાર,અને મહા ભયંકર સંસારના પ્રલય વખતે માર્કંડેય ઋષિને આશ્રય આપનાર,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

गतं तदैव मे भयं त्वदंबुवीक्षितं यदा, मृकण्डुसूनु शौनकासुरारिसेवितं सदा।
पुनर्भवाब्धि जन्मजं भवाब्धि दु:ख वर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥४॥


માર્કંડેય,શૌનક,તથા દેવતાઓથી,જેમનું નિરંતર સેવન થાય છે એવા આપના જળને મેં જયારે જોયું ત્યારે,
જન્મ-મરણ-રૂપ દુઃખ અને સંસાર સાગરમાં ઉત્પન્ન થયેલ સર્વ ભયો ભાગી ગયા (દૂર થઇ ગયા),
આમ,આવા સંસાર-રૂપી સમુદ્રના દુઃખોથી મુક્ત કરનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

अलक्ष्य-लक्ष किन्नरामरासुरादि पूजितं, सुलक्ष नीरतीर – धीरपक्षी लक्षकूजितं।
वशिष्ठ शिष्ट पिप्पलादि कर्दमादि शर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥५॥


અદૃશ્ય એવા લાખો કિન્નરો,દેવતાઓ,તથા મનુષ્યો દ્વારા પૂજન થનાર,આપના જળના કિનારે (પ્રત્યક્ષ) નિવાસ કરનાર લાખો પક્ષીઓ કિલકિલાટ કરે છે,વળી,વશિષ્ઠ,પિપ્પલાદ,કર્દમ આદિ ઋષિઓને સુખ દેનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

सनत्कुमार नाचिकेत कश्यपादि षट्पदै, घृतंस्वकीय मानसेषु नारदादि षट्पदै: ।
रविंदु रंतिदेव देवराज कर्म शर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥६॥


સનત્કુમાર,નાચિકેત,કશ્યપ,નારદ-આદિ ઋષિઓ આપને પોતાના મનમાં ધારણ ધારણ કરી સુખ પામે છે,
સૂર્ય,ચંદ્ર,રંતિદેવ અને ઈંદ્રાદિ દેવતાઓને પણ સુખ દેનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

अलक्ष्यलक्ष्य लक्ष पाप लक्ष सार सायुधं, ततस्तु जीव जन्तु-तन्तु भुक्ति मुक्तिदायकम्।
विरंचि विष्णु शंकर स्वकीयधाम वर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥७॥


જેની ગણના કરવા મન પણ પહોંચી ન શકે એવા અસંખ્ય (લાખો) પાપોનો નાશ કરવા માટે પ્રબળ આયુધ (તલવાર) સમાન,આપના કિનારે રહેનાર જીવ,જંતુ,તંતુ ઓને આ લોકના સુખ તથા પરલોક (મુક્તિ)નું સુખ દેનાર,અને બ્રહ્મા,વિષ્ણુ,શંકર આદિને પોતપોતાનું પદ (સ્થાન) ને સામર્થ્ય આપનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

अहोमृतं स्वनं श्रुतं महेशकेशजातटे, किरात-सूत वाडवेषु पंडिते शठे-नटे ।
दुरन्त पाप-तापहारि सर्वजन्तु शर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥८॥

અહો,શંકરજીની જટાઓથી ઉત્પન્ન રેવાજીને કિનારે,મેં અમૃત સમાન આનંદદાયક કલકલ શબ્દ સાંભળ્યો,
સમસ્ત જાતિઓના જીવોને આનંદ (સુખ) આપનાર,કિરાત (ભીલ)સૂત (ભાટ)બાડવ (બ્રાહ્મણ)પંડિત (વિદ્વાન)
શઠ (ધૂર્ત) અને નટના અનંત પાપોનું હરણ કરનાર (નાશ કરનાર) એવી
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

इदंतु नर्मदाष्टकं त्रिकालमेव ये यदा, पठंति ते निरंतरं न यान्ति दुर्गतिं कदा ।
सुलभ्य देह दुर्लभं महेशधाम गौरवं, पुनर्भवा नरा न वै विलोकयन्ति रौरवम् ॥९॥


જે કોઈ મનુષ્ય,આ નર્મદાષ્ટકમનો હરરોજ ત્રણ કાળ (સવાર-બપોર-સાંજ) પાઠ કરે છે,તે કદી દુર્ગતિને પ્રાપ્ત થતો નથી,અને ત્રૈલોક્યમાં દુર્લભ એવું માનવ શરીર ધારણ કરીને તે આ લોકમાં પણ સુખ પામે છે.તે પુનર્જન્મના બંધનથી છૂટી જાય છે ને રૌરવ-આદિ નરકોને કદી પણ જોતો (પામતો) નથી,ને શિવલોકને પ્રાપ્ત કરે છે

નર્મદાષ્ટકમ સમાપ્ત