Jul 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-877

 

यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ । समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥१५॥

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥१६॥

अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् । विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥१७॥

જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે.

અસત્ કદી અમર નથી રહેતું ,જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો તત્વદર્શીઓ એ આવો આનો નિર્ણય લીધેલો છે.

જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે,અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. (૧૭)

Jul 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-876

અધ્યાય-૨૬-સાંખ્યયોગ 


संजय उवाच--तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् । विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥१॥

સંજય કહે છે-આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને,મધુસૂદને આમ કહ્યું.(૧)


कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् । अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२॥

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते । क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥ ३॥

હે અર્જુન,યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે?કારણ કે જેને લીધે 

ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે,આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી.(૨)

હે પાર્થ,તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.(૩)

Jul 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-875

 

निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥३१॥

न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥३२॥

હે કેશવ,મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે.મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ 

કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું,હે કૃષ્ણ,મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે,

ન તો રાજ્યગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે. (૩૧-૩૨)

Jul 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-874

 

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः । पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥१५॥

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः । नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥१६॥

ભગવાન ઋષિકેશે પાંચજન્ય અને ધનંજય(અર્જુને) દેવદત્ત શંખ વગાડ્યો.ભીમે પોતાનો પૌડ્રક 

નામના શંખનો,કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનંતવિજય નામના શંખનો,

નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો. (શંખ વગાડ્યો) (૧૬)


काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः । धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥१७॥

द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते । सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥१८॥

ધનુર્ધર કાશિરાજ,મહારથી શિખંડી,ધૃષ્ટદ્યુમ્ન્ય,વિરાટરાજ,અજેય એવા સાત્યકિ,

મહારાજા દ્રુપદ,અભિમન્યુ તથા દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો. (૧૭-૧૮)

Jul 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-873

 

અધ્યાય-૨૫-અર્જુનવિષાદ યોગ(શ્રીમદ ભગવદ્ ગીતા)


II नीलकंठ II प्रणम्य भगवत्पादान श्रीधरादिश्च सदगुरून I संप्रदायानुसारेण गीताव्याख्यां समारभे II १ II

હું નીલકંઠ,શ્રી શંકરાચાર્યને તથા શ્રીધર આદિ સદ્દગુરુઓને પ્રણામ કરીને,સંપ્રદાયને અનુસરતું ગીતાનું વ્યાખ્યાન આરંભું છું.

શ્રી મહાભારતમાં સર્વ વેદોના અર્થનો સમાવેશ કરેલો છે અને મહાભારતના અર્થનો ગીતામાં સમાવેશ કરેલો છે,માટે ગીતાને સર્વ શાસ્ત્રમય માણેલી છે(2)કર્મ,ઉપાસના અને જ્ઞાન-આવા ભેદથી આ ગીતશાસ્ત્ર ત્રણ કાંડના સ્વરૂપવાળું છે,અને વળી બીજા કેટલાક આચાર્યો માને છે કે-ગીતામાં કર્મકાંડ અને ઉપાસનાકાંડ એ બે જ કાંડો આવે છે.(જ્ઞાનકાંડ નહિ)(3)

Jul 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-872

 

અધ્યાય-૨૪-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ 


II धृतराष्ट्र उवाच II केषां प्रद्रष्टास्त्रत्राग्रे योधा युध्यंति संजय I उदग्रमनसः के वा के वा दीना विचेतस: II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,આ હૃદયને કંપાવી નાખે એવા યુદ્ધમાં પ્રથમ કોના યોદ્ધાઓ મોટા આનંદથી યુદ્ધ કરતા હતા?

કોના મન ઊંચાં થઇ ગયાં હતાં? પ્રથમ કોણે પ્રહાર કર્યો હતો? કોની સેનામાં સુગંધ પ્રસરતી હતી અને પુષ્પો 

તાજાં દેખાતાં હતાં? કયા પક્ષના ગર્જના કરતા યોદ્ધાઓની શુભ વાણી નીકળતી હતી?