જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેને પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.
SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 7, 2026
ભાગવત રહસ્ય-૫૮-Bhgavat Rahasya-58
જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેને પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1040
અધ્યાય-૩૪-ચક્રવ્યૂહ રચના (ચક્રાવો)
II संजय उवाच II समरेत्युग्रकर्माणि: कर्मभिर्व्यजितश्रमाः I सकृष्णा: पांडवा: पंच देवैरपि दुरासदाः II १ II
સંજય બોલ્યો-યુદ્ધમાં અતિ પરાક્રમ કરનાર અને પરાક્રમથી જ સ્પષ્ટ દેખાતા,પરિશ્રમવાળા શ્રીકૃષ્ણ સહીત પાંચ પાંડવો,દેવોથી પણ ગાંજ્યા જાય તેવા નહોતા.ધૈર્ય,પરાક્રમ,વંશ,બુદ્ધિ,કીર્તિ,યશ અને શોભા-આ બધા ગુણોની સમાનતાવાળો યુધિષ્ઠિર સિવાયનો બીજો કોઈ પુરુષ થયો નથી અને થશે પણ નહિ.હે રાજન,પ્રલયકાળનો યમ,વીર્યવાન પરશુરામ અને રથમાં બેઠેલો ભીમ એ ત્રણેય લોકમાં સરખા જ કહેવાય છે.પ્રતિજ્ઞાપાલન અને પરાક્રમ કરવામાં ચતુર એવા ગાંડીવધારી અર્જુનની તો આખી પૃથ્વીમાં મને ઉપમા જ મળતી નથી.
Feb 6, 2026
ભાગવત રહસ્ય-૫૭-Bhgavat Rahasya-57
“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?”
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1039
અભિમન્યુ વધ પર્વ
અધ્યાય-૩૩-અભિમન્યુના વધનો સંક્ષેપ
II संजय उवाच II पूर्वमस्मासु भग्नेषु फ़ाल्गुनेनामितौजसा I द्रोणे च मोघसंकल्पे रक्षिते च युधिष्ठिरे II १ II
સંજય બોલ્યો-અતુલ તેજવાળા અર્જુને આપણી સેનામાં પ્રથમ જ ભંગાણ પાડ્યું અને દ્રોણનો સંકલ્પ વ્યર્થ કરીને યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું.વળી,તમારા પુત્રોનો યુદ્ધમાં પરાજય થયો,તેમનાં કવચો તૂટી ગયાં હતાં ને તેઓ ધૂળથી ભરાઈ ગયા હતા,ત્યારે દ્રોણાચાર્યની સંમતિ પ્રમાણે તેઓ સૈન્યોને પાછાં વાળી છાવણી તરફ જવા લાગ્યા.તે પછી બીજા દિવસનું સવાર થયું ત્યારે દુઃખી મનવાળો દુર્યોધન વિનય અને અભિમાન સાથે દ્રોણાચાર્યને સર્વ યોધ્ધાઓના દેખતાં કહેવા લાગ્યો કે-




