અધ્યાય-૭-દ્રોણનો સેનાપતિપદે અભિષેક
II द्रोण उवाच II वेदं षड्गं वेदाहमर्थविद्यां च मानवीं I त्रैम्बकंथेष्वस्त्रं शस्त्राणि विविधानि च II १ II
દ્રોણ બોલ્યા-'હું વેદોને,વેદોનાં છ અંગોને,મનુએ કહેલી અર્થવિદ્યાને,શિવે આપેલાં અસ્ત્રને અને એ ઉપરાંત અનેક જાતનાં શસ્ત્રોને જાણું છું.જયની ઈચ્છાવાળા તમે મારામાં જેજે ગુણો કહયા છે તે બધાને દેખાડવાની ઈચ્છાથી હું પાંડવો સામે યુદ્ધ કરીશ પણ દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને હું આ રણસંગ્રામમાં કોઈ પણ રીતે મારી શકીશ નહિ કેમ કે તેને મારો વધ કરવા માટે જ ઉત્પન્ન કરવાં આવ્યો છે.હું સોમક યોદ્ધાઓનો નાશ કરતો રહીશ અને પાંડવોના સૈન્યો સામે યુદ્ધ કરીશ પણ પાંડવો હર્ષયુક્ત થઈને મારી સામે યુદ્ધ કરશે નહિ'




