Jun 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-837

 

અધ્યાય-૧૮૩-ભીષ્મને પ્રસ્વાપનાસ્ત્રની સ્મૃતિ 


II भीष्म उवाच II ततोऽहं निशि राजेन्द्र प्रणम्य शिरसा तदा I ब्राह्मणानां पितृणां च देवतानां च सर्वशं II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,તે પછી રાત્રે,બ્રાહ્મણોને,પિતૃઓને,દેવ-દેવતાઓને,નિશાચર પ્રાણીઓને અને ક્ષત્રિયોને મસ્તક વડે પ્રણામ કરીને એકાંતમા શયન કરીને મનમાં વિચારવા લાગ્યો કે-'પરશુરામ સાથે મારું આ યુદ્ધ ઘણા દિવસથી ચાલે છે પણ તેમને હું જીતી શકતો નથી,હે દેવતાઓ,જો મારાથી તેમને જીતી શકાય તેમ હો તો મને દર્શન આપો' ત્યારે તે પ્રભાતે જે બ્રાહ્મણો(વસુઓ)એ મારું રક્ષણ કર્યું હતું તેઓએ મને સ્વપ્નમાં દર્શન આપી આશ્વાસન આપ્યું ને કહેવા લાગ્યા કે-

Jun 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-836

 

અધ્યાય-૧૮૨-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II ततः प्रभाते राजेन्द्र सूर्ये विमलतं गते I भार्गवस्य भयासार्ध पुनर्युध्धमववर्तत II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,બીજે દિવસે પ્રભાતમાં સૂર્યનો સ્વચ્છ પ્રકાશ પડતાં જ મારી સાથે પરશુરામનું યુદ્ધ શરુ થયું.

પરશુરામે રથમાં સ્થિર બેસી,જેમ,મેઘ પર્વત પર વૃષ્ટિ કરે તેમ મારા પર બાણસમૂહની વૃષ્ટિ કરવા લાગ્યા.તે બાણોથી મારો સારથી ઘવાયો ને જમીન પર ગબડી પડ્યો.ને થોડા જ સમયમાં તેણે પ્રાણ છોડી દીધા.મારા સારથિના મરણથી,હું ઉન્મત્ત જેવો થઇ ગયો ને રામના પર બાણ ફેંકવા લાગ્યો.તે વખતે રામે એક મૃત્યુતુલ્ય બાણ મારા પર છોડ્યું,રુધિરપાન કરનારું તે બાણ મારી છાતીમાં વાગ્યું ને મારી સાથે જ તે જમીન પર ઢળી પડ્યું.

Jun 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-835

 

અધ્યાય-૧૮૧-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II समागतस्य रामेण पुनरेवातिदारुण I अन्येद्युतमूलं युद्धं तदा भरतसत्त II १ II

ભીષ્મે  કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,બીજે દિવસે પણ મારો રામની સાથે સમાગમ થતાં પુનઃ અમારી વચ્ચે અતિભયંકર તુમુલ યુદ્ધ થયું.દિવ્યાસ્ત્રને જાણનારા ધર્માત્મા પરશુરામ રોજ રોજ મારા પર દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરવા લાગ્યા.ને હું પણ પ્રાણોની દરકાર ન કરતાં તે અસ્ત્રોને અટકાવતાં,અસ્ત્રોથી નાશ પમાડવા લાગ્યો.પરશુરામનાં લગભગ બધાં જ અસ્ત્રો રોકાઈ જવાથી તેમણે છેવટે અગ્નિ જેવી પ્રજ્વલિત,પ્રદીપ્ત અણીવાળી શક્તિ મારા પર મૂકી,પણ જેને મેં મારા બાણોથી ટુકડા કરી જમીન પર પાડી દીધી.ત્યારે પરશુરામે ક્રોધે ભરાઈને બીજી ભયંકર બાર શક્તિઓ મારા પર ફેંકી.અત્યંત પ્રકાશમાન તે શક્તિઓને જોઈને પ્રથમ તો હું ગભરાયો,પણ તેની સામે બાર બાણ મૂકીને તે શક્તિઓનો નાશ કર્યો.

Jun 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-834

અધ્યાય-૧૮૦-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II आत्मनस्तु ततः सुतो हयानां च विशांपते I मम चापनयामास शल्यान्कुलसंमतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,યુદ્ધ બંધ પડ્યા પછી,મારા સારથિએ મારા ને તેના પોતાના શરીરમાં પેસેલાં બાણોને કાઢી નાખ્યાં,ને ઘોડાઓને નવરાવીને બીજા દિવસ માટે તૈયાર કરી દીધા.બીજા દિવસે પરશુરામે બાણોનો વરસાદ કર્યો,કે જેને મેં રસ્તામાં જ કાપી નાખ્યા.પછી,તેમણે દિવ્યાસ્ત્રોનો પ્રયોગ કરવા માંડ્યો પણ તે અસ્ત્રોને પણ મેં અટકાવ્યા કેમકે ગુરુ કરતાં અધિક અસ્ત્રક્રિયા દર્શાવવાની મારી ઈચ્છા હતી.તે પછી,મેં વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેનો તેમણે ગુહ્યકાસ્ત્રથી નાશ કર્યો.મારા આગન્યાસ્ત્રનું તેમણે વારુણાસ્ત્રથી વારણ કર્યું.

Jun 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-833

 

અધ્યાય-૧૭૯-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ 


II भीष्म उवाच II तमहं स्मयन्निव रणे प्रत्यभाषं व्यवस्थितम् I भूमिष्ठं नोत्सहे योद्धुं भवंतं रथमास्थितः II १ II

ભીષ્મે કહ્યું-પછી,રણભૂમિ પર સ્થિર થઈને ઉભા રહેલા પરશુરામને મેં કંઈક ગર્વિત વાણીથી કહ્યું કે-'રથમાં બેઠેલો હું,ભૂમિ પર ઉભા રહેલા એવા તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતો નથી,માટે હે રામ,તમે જો મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતા હો તો,શરીર પર બખ્તર ધારણ કરો ને રથમાં વિરાજો' તે સાંભળી પરશુરામ બોલ્યા કે-'હે ભીષ્મ,પૃથ્વી મારો રથ છે,વેદો મારા ઘોડાઓ છે,વાયુ મારો સારથિ છે અને વેદમાતાઓ (ગાયત્રી-સાવિત્રી-સરસ્વતી)મારુ બખ્તર છે.આમ કહીને તેમણે મને મોટા બાણસમૂહથી ચારે બાજુથી ઢાંકી દીધો.

May 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-832

 

ભીષ્મે કહ્યું-'હે બ્રહ્મન,આગળ એણે જ મને કહ્યું હતું કે તે શાલ્વ પર પ્રીતિવાળી છે,ને તેથી મેં તેને જવાની આજ્ઞા આપી હતી,ને તે શાલ્વ પ્રતિ ચાલી ગઈ,તેમાં મારો શો દોષ? હું ભયથી,દયાથી,ધનલોભથી અથવા કામનાથી ક્ષાત્રધર્મનો ત્યાગ નહિ કરું.'

પરશુરામે કહ્યું-'હે ભીષ્મ,તું મારા કહેવા પ્રમાણે નહિ કરે તો આજે હું અમાત્યો સહિત તારો નાશ કરીશ'

ભીષ્મે કહ્યું-'હે ભગવન,હું તમારા પ્રત્યે ગુરૂભાવને વિચારીને તમને પ્રાર્થના કરું છું-મેં એકવાર આ કન્યાનો ત્યાગ કર્યો છે એટલે તેને હું સ્વીકારીશ નહિ.હું સ્વધર્મનો ત્યાગ કરીશ નહિ.માટે તમે પ્રસન્ન થાઓ,ક્રોધ કરો કે તમારે જે કરવું હોય તે કરો.