Sep 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-928

 

અધ્યાય-૫૩-દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणो महेष्वासः पान्चाल्यश्वापिपार्षतः I उभौ समीयतुर्यतौ तन्ममाचक्ष्व संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,મહાધનુર્ધારી દ્રોણાચાર્ય અને દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નનો કેવી રીતે સંગ્રામ થયો? રણમાં ભીષ્મ,અર્જુનને જીતી શક્યા નહિ તેમાં,પરાક્રમ કરતાં ભાવિને હું પ્રબળ માનું છું.ભીષ્મ જો કોપ કરીને લડે તો ચર-અચર લોકનો નાશ કરી શકે,ત્યારે તે પોતાના બળથી પાંડવોને યુદ્ધમાં કેમ જીતી શક્યા નહિ? તે મને કહે'

Sep 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-927

 

અધ્યાય-૫૨-ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनीकेषु मामकेष्वितरेषुच I कथं प्रहरतां श्रेष्ठाः संप्रहारं प्रचक्रिरे ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-એ પ્રમાણે મારાં  તથા શત્રુઓનાં સૈન્યો ગોઠવાઈ ગયા પછી યોદ્ધાઓ અન્યોન્યને કેવી રીતે પ્રહાર કરવા લાગ્યા?

સંજયે કહ્યું-આવી રીતે વ્યૂહરચનાવાળું સૈન્ય જોઈને દુર્યોધન બધા સૈનિકોને આજ્ઞા કરવા લાગ્યો કે-'હે સૈનિકો,મનમાં દંશ રાખીને યુદ્ધનો પ્રારંભ કરો' તેની આજ્ઞાથી સર્વ યોદ્ધાઓ,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે ધસ્યા.અને રોમાંચજનક તુમુલ યુદ્ધ શરુ થયું.હે રાજન,તમારા અને પાંડવોના રથો અને હાથીઓ પણ સેળભેળ થઇ ગયા.રથીઓએ છોડેલાં તીક્ષ્ણ બાણો એકબીજાને ઘાયલ કરવા ને મારવા લાગ્યા,અનેક લાશો પડવા લાગી.

Sep 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-926

 

અધ્યાય-૫૧-કૌરવોની વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ क्रौञ्चं द्रष्ट्वा ततो व्युहमभेद्यं तनयस्तव I रक्ष्यमाणं महाघोरं पार्थेनामिततेजसा ॥१॥ 

સંજયે કહ્યું-પૂર્વોક્ત,અભેદ્ય એવા ઘોર ક્રૌંન્ચવ્યુહને જોઈને,ને તેના રક્ષક તરીકે ઉભેલા અર્જુનને જોઈને,દુર્યોધન,દ્રોણાચાર્ય પાસે જઈને,કૃપ,શલ્ય-આદિ ને સર્વ ભાઈઓ તથા યોદ્ધાઓને હર્ષ પમાડતો કહેવા લાગ્યો કે-હે વીર યોદ્ધાઓ,તમારામાંનો પ્રત્યેક,પાંડવોનો નાશ કરવા માટે સમર્થ છે તો તમે સર્વ એકત્ર થઈને તો શું ન કરી શકો? તો પણ,ભીષ્મથી રક્ષિત એવું આપણું સૈન્ય અપૂર્ણ દેખાય છે અને ભીમસેનથી રક્ષિત એવું તેઓનું સૈન્ય પૂર્ણ દેખાય છે,માટે સર્વ પોતપોતાના સૈન્યને આગળ કરીને ભીષ્મનું રક્ષણ કરો.કેમ કે તે એક સર્વને માથે ભારે છે.(સર્વનો નાશ કરવા તે અર્જુનની જેમ જ સમર્થ છે)

Sep 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-925

 

અધ્યાય-૫૦-બીજો દિવસ-યુધિષ્ઠિરનો ઉદ્વેગ ને કૌંચવ્યૂહ 


॥ संजय उवाच ॥ कृतेवहारे सैन्यानां प्रथमे भरतर्षभ I भीष्मे च युध्धसंरब्धे हृष्टे दुर्योधने तथा ॥१॥ 

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,એ પ્રમાણે પહેલે દિવસે,જયારે સૈન્યોને પાછાં વળ્યાં,ત્યારે ભીષ્મ ઘણા જ ક્રોધાયમાન હતા અને દુર્યોધન ઘણો જ આનંદિત થયો હતો,તેથી પોતાના પરાજયની શંકા કરીને શોકાતુર થયેલા યુધિષ્ઠિર,પોતાના ભાઈઓ અને પોતાના પક્ષના રાજાઓને સાથે,કૃષ્ણની પાસે જઈને,ભીષ્મના પરાક્રમ સંબંધી વિચાર કરી,તેમને કહેવા લાગ્યા કે-

Sep 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-924

 

અધ્યાય-૪૯-શંખયુદ્ધ અને પ્રથમ દિનની સમાપ્તિ 


॥ धृतराष्ट्र उवाच ॥ श्वेते सेनापतौ तात संग्रामेनिहते परै: I किंकुर्वन्महेष्वासाः पंचालाः पांडवैः सहा ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે તાત,શ્વેતકુમાર સેનાપતિને શત્રુઓએ જયારે યુદ્ધમાં મારી નાખ્યો,ત્યારે મોટા ધનુર્ધારી એવા પાંચાલોએ અને પાંડવોએ શું કર્યું?તે શ્વેતકુમારને માટે પ્રયત્ન કરતા તથા યુદ્ધમાં નાસી જતા પાંડવોના યોદ્ધાઓનો પરાજય અને આપણો જય બતાવનારાં વાક્યોને સાંભળીને મારુ મન પ્રસન્ન થાય છે તથા આપણા પક્ષના અત્યાચાર-અપરાધથી મને શરમ ઉપજતી નથી.

પણ,ભીષ્મ જેવા ધર્મવ્રતે,શ્વેતકુમાર જે રથરહિત હતો તેનો યુદ્ધનીતિથી વિરુદ્ધ વર્તી કેમ નાશ કર્યો? 

Sep 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-923

 

અધ્યાય-૪૮-શ્વેતકુમારનો વધ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं श्वेते महेष्वासे प्राप्ते शल्य रथं प्रति I कुरवः पांडवेयाश्व किमकुर्वत संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,એ પ્રમાણે જયારે મોટા ધનુષ્યને ધારણ કરનાર એવો શ્વેતકુમાર 

શલ્યના રથની સામે આવી પહોંચ્યો,ત્યારે કૌરવો,પાંડવો અને ભીષ્મે શું કર્યું?તે મને કહે.

સંજયે કહ્યું-ત્યાર પછી,હજારો ક્ષત્રિયો અને હજારો મહારથી યોદ્ધાઓ શૂરવીર એવા સેનાપતિ શ્વેતકુમારને આગળ કરીને દુર્યોધનને પોતાનું બળ દેખાડવા લાગ્યા.વળી,તે શ્વેતકુમારનું રક્ષણ કરવા શિખંડીને આગળ કરીને,પાંડવોની સેનાનો નાશ કરતા ભીષ્મની સામે યોદ્ધાઓએ ધસારો કર્યો.તુમુલ યુદ્ધ ચાલ્યું.ભીષ્મે ઘણું અદભુત કર્મ કર્યું ને રથોને બાણો વડે ઢાંકી દીધા.અને સૂર્યને પણ બાણો વડે ઢાંકી દીધો.તેમણે સેંકડો બાણો છોડીને ક્ષત્રિયોનો સંહાર કરવા માંડ્યો.