અધ્યાય-૮૬-સાતમો દિવસ સમાપ્ત-પાંડવોનો જય
॥ संजय उवाच ॥ विरथं तं समासाद्य चित्रसेन यशस्विन I रथमारोपयासाम विकर्णस्तनयस्तन ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે રથ વગરના થયેલા તે ચિત્રસેન પાસે આવીને વિકર્ણે તેને પોતાના રથ પર બેસાડી દીધો.પછી,તે સંકુલયુદ્ધે અત્યંત તુમુલ સ્વરૂપ જયારે પકડ્યું ત્યારે ભીષ્મ એકદમ યુધિષ્ઠિર તરફ ધસી ગયા.તે વખતે સર્વ કંપી ઉઠ્યા ને યુધિષ્ઠિરને મૃત્યુના મુખમાં આવેલા માનવા લાગ્યા.યુધિષ્ઠિર પણ નકુલ અને સહદેવની સાથે ભીષ્મ સામે આવી જઈને હજારો બાણો મૂકી ભીષ્મને છાઈ દીધા.સામે ભીષ્મે પણ બાણોનો સમૂહ છોડીને યુધિષ્ઠિરને ચારે બાજુથી અદશ્ય કરી દીધા.યુધિષ્ઠિરે ભીષ્મ તરફ સર્પ સમાન ઝેરી નારાચ બાણ છોડ્યું,જેને ભીષ્મે ક્ષુરપ્ર બાણથી વચ્ચે જ છેદી નાખ્યું અને બીજા બાણોથી યુધિષ્ઠિરના ઘૉડાઓનો સંહાર કર્યો.ત્યારે યુધિષ્ઠિર નકુલના રથ પર ચડી ગયા.





